10 વર્ષ પછી પિયરથી આવેલી પત્નીએ પતિ પર ગુસ્સો ઉતાર્યો

ઝાંસીના ઉલદન પોલીસ સ્ટેશન વિસ્તારમાં, 10 વર્ષ પછી સાસરિયાના ઘરે પાછી આવેલી એક મહિલાએ બકરાની બલી આપવાના બહાને તેના પતિ સાથે ઝઘડો કર્યો અને તેને ખુબ માર માર્યો. આ વિવાદ મિલકતના વિભાજન સુધી પહોંચ્યો. પતિએ પત્ની પર ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. પોલીસે બંને પક્ષોની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશના ઝાંસીના ઉલદન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષ પછી પિયરેથી સાસરીએ પાછી આવેલી એક પત્નીએ બકરાની બલિ આપવાના બહાને તેના પતિની સાથે મારપીટ શરુ કરી હતી. આ વિવાદ એ હદ સુધી વધ્યો કે તેની સાળી અને સાળાએ પણ તેના પર હાથ ઉઠાવ્યો હતો. આ મામલો બકરાની બલિ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ મિલકતના વિભાજન સુધી પણ પહોંચી ગયો હતો. પોલીસ હાલમાં બંને પક્ષોની પૂછપરછ કરી રહી છે.

Wife-Husband
amarujala.com

ઉલદન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પલરા ગામમાં ગઈકાલે રાત્રે એક વિચિત્ર ઘટનાએ ગ્રામજનોને ચોંકાવી દીધા. ગામના રહેવાસી મુકેશ શ્રીવાસે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્નને 13 વર્ષ થયા છે, પરંતુ તેની પત્ની રિંકી છેલ્લા 10 વર્ષથી તેના પિયરમાં રહેતી હતી. તે ગઈકાલે રાત્રે અચાનક બકરાની બલિ આપવાના બહાને તેના સાસરિયાના ઘરે પહોંચી હતી. મુકેશના જણાવ્યા મુજબ, રિંકી તેના ભાઈ, બહેન અને અડધા ડઝન પરિવારના સભ્યો સાથે ઘરે આવી હતી. આ દરમિયાન બકરાની બલિને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો બધો વધી ગયો હતો કે, જેના કારણે પત્ની અને તેના પરિવારે મુકેશને નિર્દયતાથી માર માર્યો.

પીડિત મુકેશે આરોપ લગાવ્યો કે, તેની પત્ની બીજા પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવે છે અને લગ્નના પહેલા ત્રણ વર્ષ સાસરે રહી હતી, અને હવે 10 વર્ષ પછી, તે અચાનક તેના સાસરિયાના ઘરે પાછી આવી ગઈ હતી અને મિલકતમાં સમાન હિસ્સો માંગવા લાગી હતી.

Uldan Police Station
ndtv.in

ઘટનાની જાણ થતાં, ગ્રામજનોએ દરમિયાનગીરી કરી અને સમજાવીને આખા વિવાદને શાંત કર્યો અને ઉલદન પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંને પક્ષોની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી. ઉલદન પોલીસ સ્ટેશનના ઓફિસરે જણાવ્યું કે, આ મામલો કૌટુંબિક વિવાદનો હોય તેવું લાગે છે. બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.