NCP તૂટી, અજિત પવારે ધારાસભ્યો સાથે શિંદે સરકારને સમર્થન આપ્યું, બન્યા DyCM

રાજકારણના ચાણક્ય ગણાતા NCPનાસુપ્રીમો શરદ પવારને  તેમના ભત્રીજા અજિત પવારે રવિવારે રજાના દિવસે તગડો ઝટકો આપ્યો છે. અજિત પવાર અત્યારે તેમના સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થવા માટે રાજભવન પહોંચી ગયા છે અને અત્યારે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં ડેપ્યુટી CM તરીકેના શપથ પણ લઇ લીધા છે. અજિત પવાર આ પહેલા પણ અનેક વખત બળવો કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર અજિત પવાર શિંદે-ભાજપ સરકારમાં સામેલ અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી અપેક્ષા હતી અને હવે એ સાચું પડ્યું છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓ પણ રાજભવન પહોંચી ગયા છે. અજિત પવાર સહિત તેમના સમર્થક મંત્રી પદના શપથ લીધા છે. અજીત પવાર સહિત 9 NCPના ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું છે. NCPના 9 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે, જેમાં ધર્મરાવ અત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે, હસન મુશ્રીફ, છગન ભૂજબલ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલિપ વલસે પાટીલ અને અજીત પવાર સામેલ છે.

રાજભવનમાં સવારથી રીતસરની તૈયારી શરૂ ચાલતી હતી. બપોરે અજિત પવારે ડેપ્યુટી CM તરીકેના શપથ પણ લઇ લીધા છે. નવાઇ પમાડે એવી વાત એ છે કે શરદ પવારના ખાસ અને નજીકના ગણાતા પ્રફુલ્લ પટેલ, દિલીપ વલસે, છગન ભૂજબળ પણ રાજભવનમાં હાજર છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.