એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, જ્યારે તેઓ RSS મુખ્યાલયની મુલાકાત લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, PM મોદી તે દિવસે નાગપુરમાં માધવ નેત્રાલય આઇ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરના બિલ્ડિંગ એક્સટેન્શનનો શિલાન્યાસ કરશે અને તેઓ RSS વડા મોહન ભાગવત સહિત સંઘના નેતાઓ સાથે ચર્ચા કરવા માટે RSS મુખ્યાલયની મુલાકાત પણ લઈ શકે છે.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, માધવ નેત્રાલયે સોમવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું કે, PM મોદી ઉપરાંત, RSSના વડા મોહન ભાગવત, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. PM મોદી અને સંઘના નેતાઓ વચ્ચેની આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે, કારણ કે BJPને ટૂંક સમયમાં એક નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાનો છે જે આ વર્ષથી શરૂ થઈને 2026 સુધી ચાલનારી રાજ્ય ચૂંટણીના આગામી તબક્કામાં પાર્ટીનું નેતૃત્વ કરશે.

PM-Narendra-Modi,-RSS1
satyaday.com

ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારના RSS સાથેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. 17 મેના રોજ એક મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં, BJPના વર્તમાન પ્રમુખ JP નડ્ડાએ, અટલ બિહારી વાજપેયીના PMપદ અને PM મોદીના કાર્યકાળ દરમિયાન RSSના પક્ષ સાથેના સંબંધોમાં ફેરફાર અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 'શરૂઆતમાં અમે અસમર્થ હતા, અમે થોડા ઓછા અસમર્થ હોઈ શકીએ છીએ, અમને RSSની જરૂર હતી. આજે અમે મોટા થયા છીએ અને અમે સક્ષમ છીએ, તેથી BJP પોતાના દમ પર ચાલે છે, એ જ ફરક છે.'

આ બધા વિવાદો વચ્ચે, BJP અને RSS બંનેના નેતાઓએ કહ્યું કે, આ મુદ્દાઓ મુખ્યત્વે વાતચીતના અભાવને કારણે હતા અને તેનો ઉકેલ આવી ગયો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન સંઘ દ્વારા પક્ષથી જાળવી રાખેલ અંતર BJPના અપેક્ષિત પ્રદર્શન અને બહુમતીથી ઘણા ઓછા રહેવાનું એક કારણ હતું.

PM-Narendra-Modi,-RSS
gujaratidailytimes.com

ચૂંટણીઓ પછી, BJP નેતૃત્વએ આ અંતર ઘટાડવા માટે વધારાના પ્રયાસો કર્યા, જેના પગલે સંઘે પણ તમામ મહત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણીઓ માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી. BJP એ હરિયાણા અને મહારાષ્ટ્રમાં બે લગભગ અશક્ય જીત અને દિલ્હીમાં મોટી જીત મેળવી.

RSS મુખ્યાલય ખાતે PM મોદીની સંઘના ટોચના નેતાઓ સાથેની મુલાકાત કોઈપણ મૂંઝવણને ઉકેલવા તરફનું બીજું પગલું હોઈ શકે છે. સપ્ટેમ્બર 2015માં પણ આવી જ એક બેઠક યોજાઈ હતી, જ્યારે PM મોદી અને ભાગવત રાષ્ટ્રીય રાજધાનીમાં 93 ટોચના RSS-BJP નેતાઓની સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.

PM-Narendra-Modi,-RSS3
firstindianews.com

હાલના સમયમાં, PM મોદીએ રાષ્ટ્રીય ઉદ્દેશ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેના સ્વયંસેવકોના સમર્પણ માટે RSSની પ્રશંસા કરી હતી. રવિવારે પોસ્ટ કરાયેલા MIT સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં, PM મોદીએ કહ્યું કે, સંઘ જેવું સંગઠન અદભુત અને અનોખું છે અને કદાચ વિશ્વમાં બીજે ક્યાંય અસ્તિત્વમાં નથી. તેમણે કહ્યું, 'RSS દ્વારા મને એક હેતુપૂર્ણ જીવન મળ્યું.' જ્યારે, ગયા મહિને 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, PM મોદીએ નવી પેઢીમાં ભારતની મહાન પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે RSSને શ્રેય આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.