એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, જ્યારે તેઓ RSS મુખ્યાલયની મુલાકાત લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, PM મોદી તે દિવસે નાગપુરમાં માધવ નેત્રાલય આઇ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરના બિલ્ડિંગ એક્સટેન્શનનો શિલાન્યાસ કરશે અને તેઓ RSS વડા મોહન ભાગવત સહિત સંઘના નેતાઓ સાથે ચર્ચા કરવા માટે RSS મુખ્યાલયની મુલાકાત પણ લઈ શકે છે.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, માધવ નેત્રાલયે સોમવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું કે, PM મોદી ઉપરાંત, RSSના વડા મોહન ભાગવત, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. PM મોદી અને સંઘના નેતાઓ વચ્ચેની આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે, કારણ કે BJPને ટૂંક સમયમાં એક નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાનો છે જે આ વર્ષથી શરૂ થઈને 2026 સુધી ચાલનારી રાજ્ય ચૂંટણીના આગામી તબક્કામાં પાર્ટીનું નેતૃત્વ કરશે.

PM-Narendra-Modi,-RSS1
satyaday.com

ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારના RSS સાથેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. 17 મેના રોજ એક મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં, BJPના વર્તમાન પ્રમુખ JP નડ્ડાએ, અટલ બિહારી વાજપેયીના PMપદ અને PM મોદીના કાર્યકાળ દરમિયાન RSSના પક્ષ સાથેના સંબંધોમાં ફેરફાર અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 'શરૂઆતમાં અમે અસમર્થ હતા, અમે થોડા ઓછા અસમર્થ હોઈ શકીએ છીએ, અમને RSSની જરૂર હતી. આજે અમે મોટા થયા છીએ અને અમે સક્ષમ છીએ, તેથી BJP પોતાના દમ પર ચાલે છે, એ જ ફરક છે.'

આ બધા વિવાદો વચ્ચે, BJP અને RSS બંનેના નેતાઓએ કહ્યું કે, આ મુદ્દાઓ મુખ્યત્વે વાતચીતના અભાવને કારણે હતા અને તેનો ઉકેલ આવી ગયો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન સંઘ દ્વારા પક્ષથી જાળવી રાખેલ અંતર BJPના અપેક્ષિત પ્રદર્શન અને બહુમતીથી ઘણા ઓછા રહેવાનું એક કારણ હતું.

PM-Narendra-Modi,-RSS
gujaratidailytimes.com

ચૂંટણીઓ પછી, BJP નેતૃત્વએ આ અંતર ઘટાડવા માટે વધારાના પ્રયાસો કર્યા, જેના પગલે સંઘે પણ તમામ મહત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણીઓ માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી. BJP એ હરિયાણા અને મહારાષ્ટ્રમાં બે લગભગ અશક્ય જીત અને દિલ્હીમાં મોટી જીત મેળવી.

RSS મુખ્યાલય ખાતે PM મોદીની સંઘના ટોચના નેતાઓ સાથેની મુલાકાત કોઈપણ મૂંઝવણને ઉકેલવા તરફનું બીજું પગલું હોઈ શકે છે. સપ્ટેમ્બર 2015માં પણ આવી જ એક બેઠક યોજાઈ હતી, જ્યારે PM મોદી અને ભાગવત રાષ્ટ્રીય રાજધાનીમાં 93 ટોચના RSS-BJP નેતાઓની સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.

PM-Narendra-Modi,-RSS3
firstindianews.com

હાલના સમયમાં, PM મોદીએ રાષ્ટ્રીય ઉદ્દેશ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેના સ્વયંસેવકોના સમર્પણ માટે RSSની પ્રશંસા કરી હતી. રવિવારે પોસ્ટ કરાયેલા MIT સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં, PM મોદીએ કહ્યું કે, સંઘ જેવું સંગઠન અદભુત અને અનોખું છે અને કદાચ વિશ્વમાં બીજે ક્યાંય અસ્તિત્વમાં નથી. તેમણે કહ્યું, 'RSS દ્વારા મને એક હેતુપૂર્ણ જીવન મળ્યું.' જ્યારે, ગયા મહિને 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, PM મોદીએ નવી પેઢીમાં ભારતની મહાન પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે RSSને શ્રેય આપ્યો હતો.

About The Author

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.