અસદ અહમદના એન્કાઉન્ટરને લઇને ઉઠી રહ્યા છે આ 5 સવાલો

અતીક અહમદની હત્યા પહેલા તેના દીકરાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. અસદ અહમદ, માફિયા અતીક અહમદનો સૌથી નાનો દીકરો. 13 એપ્રિલે એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેની સાથે શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર થઈ ગયુ. આ ઘટના ઝાંસી જિલ્લાના પારીછા ડેમની પાસે થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર, અસદના એન્કાઉન્ટરને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

બાઇક પર સ્ક્રેચ પણ ના પડ્યો?

અસદ અને ગુલામ એન્કાઉન્ટર પહેલા બાઇક પર ભાગી રહ્યા હતા, એવુ યુપી STFનું કહેવુ છે. ઘટનાસ્થળ પર બાઇક પલટી મારી ગઈ હતી. ત્યાં અસદનું શવ, ગન, બાઇક, કારતૂસ પડ્યા હતા. બાઇકથી આશરે 50 મીટર દૂર પોલીસની ગાડી હતી. ગાડીના કોઈ પાર્ટ્સ તૂટેલા નહોતા અને તેના પર સ્ક્રેચ પણ પડ્યો નહોતો.

બાઇકની ચાવી ક્યાં ગઈ?

અસદ અને ગુલામના એન્કાઉન્ટર બાદ ઝાંસીની લોકલ પોલીસ કરતા પહેલા મીડિયા ત્યાં પહોંચી ચુકી હતી. એન્કાઉન્ટર બાદ જ્યારે ઘટના સ્થળ પર મીડિયા પહોંચી તો ત્યાં બાઇકની ચાવી પણ નહોતી મળી. બની શકે કે બાઇક જુની હતી તો ચાવી ઢીલી થયા બાદ પડી ગઈ હોય. પરંતુ, ત્યાં આસપાસ પણ ચાવી દેખાઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, જો કોઈ એન્કાઉન્ટર બાદ બાઇક પરથી પડે તો તે સમયે બાઇકમાંથી કોઈ ચાવી નહીં કાઢશે. એવામાં ચાવી ક્યાં ગઈ.

હેલમેટ ના મળ્યું

યુપી પોલીસના જણાવ્યા અનુસાર, અસદ અને ગુલામ આશરે 45 દિવસથી ગૂમ હતા અને તેઓ અલગ-અલગ રાજ્યોમાં ફરી રહ્યા હતા. તેમના પર પોલીસે 5-5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એવામાં તેઓ હેલમેટ વિના બાઇક પર ફરશે નહીં અને જો તેમણે હેલમેટ પહેર્યું હતું તો એન્કાઉન્ટર બાદ તેમના હેલમેટ ક્યાં ગયા.

ખરાબ રસ્તો

STFનું કહેવુ છે કે, અસદ અને ગુલામ પારીછા ડેમની આસપાસ સંતાયા હતા. આ જગ્યા નેશનલ હાઈવેથી બે કિલોમીટર દૂર હતી. તે જગ્યા સુધી પહોંચવા માટે પગદંડી બનેલી છે, જે પથરાળ, કાચી અને ઉબડ-ખાબડ છે. અહીં કોઈપણ ગાડી 10થી 20 કિમી પ્રતિ કલાક કરતા વધુ ગતિમાં ના ચાલી શકે. આથી, એ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે STF બંનેનો પીછો કરી રહ્યું હતું તો આ રસ્તા પર બાઇક સ્પીડમાં આટલી દૂર સુધી કઈ રીતે પહોંચી. અહીં એક વાત એ પણ છે કે, જે રસ્તા પર તેમને ભાગતા જણાવવામાં આવ્યા છે તે આગળ બંધ હતો.

એન્કાઉન્ટરવાળી જગ્યાને લઇને સવાલ

અસદનું જે જગ્યા પર એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, તે જગ્યા નેશનલ હાઈવેથી બે કિમી અંદર છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને રાજસ્થાન તરફથી હાઈવે પર આવી રહ્યા હતા. જ્યાં એન્કાઉન્ટર થયુ તેનો રસ્તો હાઈવે પર રોંગ સાઇડમાં પડે છે, જે બાઇકવાળાને દેખાશે જ નહીં. જે જગ્યા પર એન્કાઉન્ટર થયુ, તેની આસપાસ કોઈ ટોલ અથવા ઢાબા પણ નથી, જેના પરથી એવુ કહી શકાય કે તેઓ આસપાસ ક્યાંક રોકાયા હતા અને તે કારણે તેઓ રોંગ સાઇડ આવી ગયા. એવામાં સવાલ ઉઠે છે કે, તે બંને રોંગ સાઇડ શા માટે ભાગ્યા?

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.