માતા અને ભાઇએ પરણેલી દીકરીના બળજબરીથી ફરી લગ્ન કરાવી દીધા, લીધા એક લાખ આડત્રીસ હજાર રૂપિયા..

ઉત્તર પ્રદેશના બાંદામાં બળજબરી કરીને લગ્ન કરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સગી માતાએ તેના પુત્ર સાથે મળીને તેની પરિણીત પુત્રીને હરિયાણાના એક યુવાનને વેચી દીધી. યુવતીની ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. મહિલાઓને આ રીતે વેચવાનું આ સંગઠિત નેટવર્ક પોલીસના રડાર પર છે અને કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના બાંદામાં બળજબરીથી લગ્ન કરાવવા માટે વેચી દેવાનો એક સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. પૈસા માટે, એક સગી માએ તેના પુત્ર સાથે મળીને પોતાની પહેલાથી જ પરિણીત પુત્રીને ફરી વખત લગ્ન માટે હરિયાણાના એક યુવાનને વેચી દીધી. એટલું જ નહીં, તેને ફરીથી લગ્ન કરવા માટે બળજબરી કરવામાં આવી અને તેને એક અજાણ્યા પુરુષ સાથે મોકલી દેવામાં આવી. આ પછી, પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ખુબ ઉતાવળે આ કેસ નોંધ્યો, આરોપીની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો.

Anti-Human-Trafficking1
amarujala.com

ASP કહે છે કે, યુવતીનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ, યુવતીની માતા અને તેના ભાઈની શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક પલાશ બંસલના નિર્દેશ હેઠળ, બે પોલીસ ટીમો આ પ્રકારે યુવતીઓને બળજબરીથી વેચવાના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

પોલીસ અધિક્ષકના મીડિયા સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર પ્રેસ નોટ અનુસાર, 22 નવેમ્બરના રોજ, ચિત્રકૂટની એક પરિણીત યુવતીએ AHTU પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા, તેની માતા, મુન્ની અને ભાઈ, જયનારાયણ, તેને બાંદા લાવ્યા હતા અને તેને હરિયાણાના રહેવાસી કૃષ્ણ કુમારને રૂ. 1,38,000માં વેચી દીધી હતી. તેના લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યા હતા, જ્યારે તે પહેલાથી જ પરિણીત હતી. એટલું જ નહીં, યુવતીના પરિવારે તેના નકલી દસ્તાવેજો પણ બનાવડાવ્યા હતા.

Anti-Human-Trafficking
amarujala.com

આ બાબતની જાતે નોંધ લઈને પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને આ રીતે યુવતીઓને વેચવા માટે IPCની કલમ 143(2) અને 336(3) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે તપાસ શરૂ કરી અને કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધ્યું. આ બાજુ માહિતી મળતાં જ પોલીસે આરોપી કૃષ્ણ કુમારની ધરપકડ કરી. પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે. પોલીસ યુવતીઓને વેચવાના આટલા મોટા ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

About The Author

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.