માતા અને ભાઇએ પરણેલી દીકરીના બળજબરીથી ફરી લગ્ન કરાવી દીધા, લીધા એક લાખ આડત્રીસ હજાર રૂપિયા..

ઉત્તર પ્રદેશના બાંદામાં બળજબરી કરીને લગ્ન કરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સગી માતાએ તેના પુત્ર સાથે મળીને તેની પરિણીત પુત્રીને હરિયાણાના એક યુવાનને વેચી દીધી. યુવતીની ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. મહિલાઓને આ રીતે વેચવાનું આ સંગઠિત નેટવર્ક પોલીસના રડાર પર છે અને કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના બાંદામાં બળજબરીથી લગ્ન કરાવવા માટે વેચી દેવાનો એક સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. પૈસા માટે, એક સગી માએ તેના પુત્ર સાથે મળીને પોતાની પહેલાથી જ પરિણીત પુત્રીને ફરી વખત લગ્ન માટે હરિયાણાના એક યુવાનને વેચી દીધી. એટલું જ નહીં, તેને ફરીથી લગ્ન કરવા માટે બળજબરી કરવામાં આવી અને તેને એક અજાણ્યા પુરુષ સાથે મોકલી દેવામાં આવી. આ પછી, પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ખુબ ઉતાવળે આ કેસ નોંધ્યો, આરોપીની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો.

Anti-Human-Trafficking1
amarujala.com

ASP કહે છે કે, યુવતીનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ, યુવતીની માતા અને તેના ભાઈની શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક પલાશ બંસલના નિર્દેશ હેઠળ, બે પોલીસ ટીમો આ પ્રકારે યુવતીઓને બળજબરીથી વેચવાના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

પોલીસ અધિક્ષકના મીડિયા સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર પ્રેસ નોટ અનુસાર, 22 નવેમ્બરના રોજ, ચિત્રકૂટની એક પરિણીત યુવતીએ AHTU પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા, તેની માતા, મુન્ની અને ભાઈ, જયનારાયણ, તેને બાંદા લાવ્યા હતા અને તેને હરિયાણાના રહેવાસી કૃષ્ણ કુમારને રૂ. 1,38,000માં વેચી દીધી હતી. તેના લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યા હતા, જ્યારે તે પહેલાથી જ પરિણીત હતી. એટલું જ નહીં, યુવતીના પરિવારે તેના નકલી દસ્તાવેજો પણ બનાવડાવ્યા હતા.

Anti-Human-Trafficking
amarujala.com

આ બાબતની જાતે નોંધ લઈને પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને આ રીતે યુવતીઓને વેચવા માટે IPCની કલમ 143(2) અને 336(3) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે તપાસ શરૂ કરી અને કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધ્યું. આ બાજુ માહિતી મળતાં જ પોલીસે આરોપી કૃષ્ણ કુમારની ધરપકડ કરી. પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે. પોલીસ યુવતીઓને વેચવાના આટલા મોટા ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.