પ્રેમલગ્ન માટે મુસ્લિમ સબીનાએ હિંદુ બની નામ રાખ્યું સોનમ

ઉત્તર પ્રદેશના જનપદ બરેલીમાં રહેતી એક યુવતીએ પોતાના પ્રેમ માટે જાતિ ધર્મની દીવાલો તોડી નાંખી છે અને અગ્નિને સાક્ષી માનતા હિંદુ રીત-રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. યુવતીએ હિંદુ ધર્મ અપનાવ્યા બાદ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાધી છે. સોનમે જણાવ્યું કે, તે અને સોમપાલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ, બંનેનો ધર્મ અલગ હોવાના કારણે તેમના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નહોતા. જોકે, પ્રેમ લગ્ન કરનારા પ્રેમી-યુગલે પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોતાની સુરક્ષાની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશના બિશારતગંજ ક્ષેત્રમાં રહેતી યુવતીએ પ્રેમ માટે ધર્મ બદલીને પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કરી લીધા. તેનું નામ પહેલા સબીના હતું, જે હિંદુ ધર્મ અપનાવ્યા બાદ હવે સોનમ બની ગઈ છે. અગસ્ત મુનિ આશ્રમના મહંત કેકે શંખધારે હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન સંપન્ન કરાવ્યા છે. બિશારતગંજની સબીના ઉર્ફ સોનમે અને કુંડરિયા ખુર્દ ગામમાં રહેતા પ્રેમી સોમપાલે એકબીજાને વરમાળા પહેરાવી અને પછી યે દોસ્તી તેરે નામ સે શુરૂ તેરે નામ પર ખતમ ગીત પણ ગાયુ. બંનેએ પોતે વયસ્ક હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે.

સોનમે કહ્યું કે, પોલીસ-પ્રશાસન નવવિવાહિત જોડાની સુરક્ષાની વ્યવસ્થા કરાવે કારણ કે, પરિજનો દ્વારા જીવનું જોખમ સતાવી રહ્યું છે. પરંતુ, હવે પ્રેમી યુગલ સુરક્ષાને લઇને એસએસપી બરેલી પ્રભાકર ચૌધરીને મળીને સુરક્ષા માટે માંગ કરશે. હાલ નવવિવાહિત જોડાએ પોતાની સુરક્ષાને લઇને સ્થાનિક પોલીસને પણ પત્ર લખી દીધો છે.

આચાર્ય કેકે શંખધારે જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષોમાં બરેલીમાં 68 યુવતીઓએ ધર્મ પરિવર્તન કર્યું છે અને મુસ્લિમમાંથી હિંદુ બનીને પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા છે. આચાર્યએ જણાવ્યું કે, ગંગાજળથી શુદ્ધિકરણ કરી મંત્ર ઉચ્ચારણ કરાવવામાં આવે છે અને હિંદુ રીતિ રિવાજ સાથે અગ્નિની સામે સાત ફેરા કરાવવામાં આવે છે. લગ્ન માટે શપથ પત્ર પણ જમા કરાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, તેમને અગાઉ પાકિસ્તાની નંબરથી સિર તન સે જુદા કરવાની ધમકી પણ મળી ચુકી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.