આ વખતે લૂંટેરો દુલ્હો પકડાયો, 4 વખત લગ્ન, પીડિતા પાસેથી પડાવ્યા 32 લાખ... ગુજરાતના 'લગ્ને લગ્ને કુંવારા' આધેડને પકડ્યો

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં પોલીસે એક ચાલાક 'લૂંટારા વર'ની ધરપકડ કરી છે. આ આરોપી પોતાને કુંવારો બતાવીને મહિલાઓ સાથે લગ્ન કરી તેને છેતરતો હતો, અને પછી મહિલાઓને પ્રેમના પોકળ વચન આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી જતો હતો. આ આરોપીએ એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ ચાર વાર લગ્ન કર્યા હતા. આવી જ રીતે, તેણે દુર્ગમાં એક મહિલા શિક્ષિકા સાથે આશરે 32 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. મહિલાની ફરિયાદના આધારે, દુર્ગ પોલીસે આરોપીને ગુજરાતથી ધરપકડ કરી હતી.

55 વર્ષીય પીડિતા સરકારી શિક્ષિકા છે. શિક્ષિકાએ મોહન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે 2019માં કોવિડ-19 રોગચાળા દરમિયાન એક લગ્નની વેબસાઈટ પર ગુજરાત રહેવાસી 54 વર્ષીય બિરેન્દ્ર કુમાર સોલંકીને મળી હતી. બિરેન્દ્રએ પોતાને ગુજરાતમાં એક ઉદ્યોગપતિ તરીકે બતાવ્યો હતો.

આ સમય દરમિયાન, બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થયો અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. લગ્ન નક્કી થયા પછી, પીડિતા 2019માં બિરેન્દ્રને મળવા ગુજરાત ગઈ હતી. જ્યારે તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે બિરેન્દ્રએ કોવિડ-19 રોગચાળાનો ઉલ્લેખ કરીને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની વાત કરી. પીડિતા, એક શિક્ષિકા, આરોપીની આ વાતોમાં ફસાઈ ગઈ અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી.

Fake-Groom2
ibc24.in

બંને 2019થી 2023 સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા. પછી, 2023માં, રોગચાળો સમાપ્ત થયા પછી, પીડિતાએ ફરીથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આરોપી બિરેન્દ્ર એકલો દુર્ગ ગયો હતો અને મહિલા સાથે રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પછી, જ્યારે પીડિતા શિક્ષકે ગુજરાતમાં બિરેન્દ્રના પૈતૃક ઘરે જવાની વાત કરી, ત્યારે તે બહાના બનાવીને તેણે ટાળતો રહ્યો.

એક દિવસ, પીડિતાને ખબર પડી કે બિરેન્દ્ર કુમાર સોલંકીએ અગાઉ ત્રણ વખત આ જ રીતે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાંથી ફક્ત એક ને જ તેણે છૂટાછેડા આપ્યા હતા. આ બાજુ, પીડિતા સાથે લગ્ન કર્યા હોવા છતાં, આરોપી બિરેન્દ્રએ 2023માં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, અને તેમને જોડિયા બાળકો પણ છે.

જ્યારે મહિલાએ બિરેન્દ્રને આ અંગે પૂછ્યું, ત્યારે તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. આરોપીએ ધમકી આપી હતી કે તે હવે તે તેની સાથે નહીં રહે અને તેના પૈસા અને દાગીના પણ પાછા નહીં આપે.

Fake-Groom1
gnttv.com

દુર્ગના મોહન નગર પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. SSP વિજય અગ્રવાલે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને મોહન નગર પોલીસને આરોપીની તપાસ કરવા અને ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આરોપીને FIR થયાની જાણ થતાં જ તે ટ્રેન દ્વારા ભાગી રહ્યો હતો. આ દરમિયાન દુર્ગ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આરોપી બિરેન્દ્રએ વિવિધ બહાનાઓ હેઠળ મહિલા પાસેથી કુલ 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એક દિવસ, તે દુર્ગ આવ્યો અને ગુજરાત ભાગી જતા પહેલા મહિલાના ઘરેથી 12 લાખ રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન અને દાગીના લઇ લીધા હતા. મહિલાની ફરિયાદના આધારે, આરોપીને ગુજરાતથી પકડીને દુર્ગ લાવવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Fake-Groom3
mpcg.ndtv.in

પોલીસે જણાવ્યું હતું કે, એક મહિલા શિક્ષિકાએ ફરિયાદ કરી હતી કે તે 2021માં બિરેન્દ્ર સોલંકીને મળી હતી. તેણે પોતાને અપરિણીત જાહેર કર્યો હતો, અને આ સમય હતો જ્યારે મહિલાની મુલાકાત તેની સાથે થઇ હતી. બંનેએ 2021માં લગ્ન કર્યા. લગ્ન પછી, તેઓ વિવિધ પ્રસંગોએ એકબીજાના ઘરે આવવા જવા લાગ્યા.

આ સમય દરમિયાન, વીરેન્દ્રએ મહિલા પાસેથી અલગ અલગ બહાના હેઠળ થોડા થોડા કરીને 32 લાખ રૂપિયા લઇ લીધા હતા અને પછી તેણે મળવાનું બંધ કરી દીધું. જ્યારે મહિલાએ બિરેન્દ્ર વિશે માહિતી એકત્રિત કરી, ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. તેણે અગાઉ બે વાર લગ્ન કરી ચુક્યો હતો, અને આ તેના ત્રીજા લગ્ન હતા. તેણે 2023માં ચોથી પત્ની સાથે પણ લગ્ન કર્યા હતા અને તેની સાથે રહેતો હતો. પોલીસે ગુજરાતના કચ્છના ભૂજથી બિરેન્દ્રની ધરપકડ કરી હતી. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.