આ યુવતીની ભોળી શકલ પણ ન જતા, શખ્સો સાથે લગ્ન કર્યા બાદ છૂટાછેડાના નામે કરોડો રૂપિયા વસૂલે છે

હવે લગ્નના નામે બેફામ છેતરપિંડીઓ સામે આવી રહી છે. ખાસ કરીને દુલ્હનો આવી ઘટનાઓને વધુ અંજામ આપી રહી છે. લગ્ન બાદ રાતોરાત ઘરેણાં અને રોકડ લઈને પણ રફુચક્કર થઈ જાય છે તો અમુક ઘરના લોકોનો વિશ્વાસ જીત્યા બાદ બેવફાઇ કરી જાય છે. તો હવે એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતી લગ્ન કરતી અને પછી છૂટાછેડાના નામે કરોડો રૂપિયા પડાવતી હતી. ચાલો આગળ જાણીએ ક્યાંનો છે આખો મામલો.

આ એક મહિલાની વાત છે, તેણે 4 વખત લગ્ન કર્યા, પરંતુ આ મહિલાએ 12થી વધારે લોકોને પોતાની જાળમાં ફસાવી ચૂકી હતી. આ મહિલા બીજી કોઈ નહીં પણ દિવ્યાંશી ચૌધરી છે. તેના બેન્ક અકાઉન્ટમાં 8 કરોડ રૂપિયા મળ્યા છે. તે 2 ડૉક્ટર અને 2 સબ ઇન્સ્પેક્ટરને પોતાની ભોળી શકલની જાળમાં ફસાવી ચૂકી છે. જો કે ચોથા લગ્ન બાદ તેનો પાપનો ઘડો ભરાઈ ગયો. મહિલા દરેક વખતે પોતાનો શિકાર શોધી લેતી. એ જ સમયે કાનપુરના ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર આદિત્ય કુમાર લોચવને મળી. પછી શું હતું? શરૂ થયો અસલી ખેલ.

divyanshi1
bhaskarenglish.in

બુલંદશહેરના બીબીનગરના રહેવાસી આદિત્ય કુમાર લોચવ 2019 બેચના સબઈન્સ્પેક્ટર છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી. ઘરમાં એક દિવ્યાંગ ભાઈ પણ છે. ગામના એક સંબંધી દ્વારા મેરઠની મવાનાની રહેવાસી 30 વર્ષીય દિવ્યાંશી ચૌધરીનો સંબંધ આવ્યો હતો. બંને પરિવારની મરજીથી 17 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન થયા હતા.

તેમણે કહ્યુ કે, લગ્ન બાદથી દિવ્યાંશી હંમેશાં સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કહીને ઘરે જતી રહેતી. તેની સાથે જ તે તેની પાસેથી ઓનલાઈન રૂપિયા માગતી રહેતી. જેને લઈને પતિને આશંકા ગઈ. લગ્નના 4 મહિના બાદ જ્યારે આદિત્ય રજા પર ઘરે ગયો તો દિવ્યાંશી પણ ત્યાં હતી. આદિત્યએ જણાવ્યું કે જેવો તેણે પત્નીનો મોબાઈલ ચેક કર્યો પત્ની ટેન્શનમાં આવી ગઈ. તે હંમેશાં UPI ID ડિલીટ કરી દેતી હતી. જ્યારે તેને આ માટે કારણ પૂછવામાં આવ્યું તો કોઈ જવાબ ન આપી શકી. આદિત્યે ફરીથી બધી એપ ડાઉનલોડ કરાવી. એપની તપાસ કરતા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં 10થી વધારે અકાઉન્ટ અને કરોડોના ટ્રાન્ઝેક્શન નીકળ્યા.

divyanshi2
bhaskarenglish.in

પતિએ જ્યારે આ જોયું તો તેના હોશ ઊડી ગયા. તેના પર ઝઘડા શરૂ થયા. દિવ્યાંશી ગુસ્સે થઈને પિયરમાં જતી રહી. તે ત્યાં પણ શાંતિથી ન બેસી. તેણે ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ કાનપુર પોલીસ કમિશનર ઓફિસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. આરોપ લગાવ્યો કે આદિત્ય તેને બહુ હેરાન કરે છે. તેની પાસેથી સાડા 14 લાખ હડપી લીધા છે. સાથે જ એવું પણ કહ્યું કે પતિને કેટલીય મહિલા સાથે આડા સંબંધ છે અને તે બ્લેકમેલ કરે છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આખરે મહિલાને શું જોઈએ છે તો તેણે સમાધાનના નામ પર એક કરોડ રૂપિયાની માગ કરી. એટલું જ નહીં, તેણે આત્મહત્યા કરવાનું પણ નાટક કર્યું. દિવ્યાંશીએ 25 નવેમ્બર, 2024ના તત્કાલિન પોલીસ કમિશનર અખિલ કુમાર પાસે પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આદિત્ય પર દુષ્કર્મ સહિત કેટલાય ગંભીર ગુના નોંધાવ્યા. પોલીસ કમિશનરે તાત્કાલિક સ્ટોપ ઓફિસર અમિતા સિંહને તપાસ સોંપી દીધી. હવે તપાસમાં ખુલાસો થયો કે દિવ્યાંશી પહેલાથી 3 લગ્ન કરી ચૂકી છે. 2 બેન્ક મેનેજર અને એક કોન્સ્ટેબલ સાથે પહેલા લગ્ન કર્યા છે. પછી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી મોટી રકમ પડાવી લેતી હતી. તપાસ રિપોર્ટ આવ્યા બાદ દિવ્યાંશીની ધરપકડ કરી લીધી. આ રીતે ભોળી શકલ, રૂપ રૂપનો અંબાર દેખાતી દિવ્યાંશીનો ભાંડો ફૂટી ગયો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ.

About The Author

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.