લગ્નના દિવસે દુલ્હન હતી તૈયાર, પણ છેલ્લી ઘડીએ વરરાજાએ જાન લાવવાનો કરી દીધો ઇનકાર

ઉત્તર પ્રદેશના કુશીનગરના પદરૌના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ત્રિલોકપુર ગામમાં કરિયાવરના વિવાદે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. કરિયાવરની માગણીઓ પૂરી ન થતા વરરાજાના પરિવારે અચાનક લગ્નની જાન લાવવાનો ઇનકાર કરી દીધો. રાત્રે 8:00 વાગ્યે જ્યારે વરરાજાના પરિવારે સૂચના આપી કે તેઓ લગ્નની જાન નહીં લાવે, ત્યાં સુધીમાં 1500 લોકો માટે ભોજન તૈયાર થઈ ગયું હતું અને મહેમાનોએ ખાવાનું શરૂ કરી દીધું હતું. સૂચના મળતા જ ગામમાં વાગતું DJ, સજાવટ અને બધી તૈયારીઓ બંધ થઈ ગઈ હતી. કન્યાના પરિવારે વરરાજાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના ફોન બંધ હતા. લગ્નના દલાલે પણ તેનો ફોન બંધ કરી દીધો હતો.

marriage
wise.com

જાન ન આવવાના સમાચારથી પરેશાન થઈને કન્યાનો પરિવાર પહેલા બંસી પોલીસ સ્ટેશન અને પછી પદરૌના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવા ગયો. આ દરમિયાન જ્યારે પરિવારના કેટલાક સભ્યો વરરાજાના ઘરે ગયા ત્યારે તેમને ખબર પડી કે વરરાજા નાગેન્દ્ર સાહની, એક દિવસથી ગાયબ છે. સાંજે તેના પરિવારે પણ ગુમ થયાની ફરિયાદ નોંધાવી, પરંતુ કન્યાના પરિવારને જાણ ન કરી. ગામના સરપંચના જણાવ્યા મુજબ, જાનમાં આવનારી ગાડીઓના દરવાજા પર પાર્ક કરેલા હતા, પરંતુ વરરાજા પોતે ગાયબ હતો. ઘટના બાદ વરરાજાના ઘર પણ તાળું મારેલું મળ્યું, જેનાથી શંકા વધુ ઘેરી બની.

માહિતી અનુસાર, રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તારના બનકાટા પરવરપારના રહેવાસી નાગેન્દ્ર સાહની 8 મહિના અગાઉ ત્રિલોકપુરના રહેવાસી મોદીલાલ સાથે લગ્ન કરવા માટે સગાઈ કરી હતી. કરિયાવરમાં 5 લાખ રોકડા રૂપિયા, એક પલ્સર બાઇક અને વિદાયની વસ્તુઓનો સમાવેશ થતો હતો. તેમાંથી 3 લાખ રૂપિયા વરરાજાના પરિવારને પહેલા ચૂકવી દેવામાં આવ્યા હતા. બાકીના 2 લાખ અને બાઇક લગ્નના લગ્નના દિવસે આપવાનું નક્કી થયું હતું. વરરાજાની વિનંતી પર 1,500 લોકો માટે એક ભવ્ય મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 ક્વિન્ટલ ચિકન અને 200 માટે શાકાહારી ભોજનનો સમાવેશ થતો હતો. કન્યાના પિતા અને ભાઈઓએ ખેતીમાંથી થતી તેમની સંપૂર્ણ આવક લગ્નમાં ખર્ચી નાખી હતી.

marriage2
unfpa.org

કન્યાના પરિવારનો આરોપ છે કે વરરાજાના પરિવારે લગ્નના દિવસે કરિયાવરની માગણી વધારી દીધી હતી. તેમના પર વધારાના પૈસા માગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમણે જાન લાવવાનો ઇનકાર કરી દીધો હતો. કન્યાનો પરિવાર હવે આ પરિવાર સાથે લગ્ન કરવા માટે પૂરી રીતે તૈયાર નથી. પોલીસ ફરિયાદમાં કરિયાવરમાં વધારવા અને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ, વરરાજાનો પરિવાર તેમના ઘરને તાળા મારીને ફરાર થઈ ગયો છે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વરરાજાની શોધ સાથે સમગ્ર ઘટનાના તથ્યોની તપાસ કરી રહી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-08-2026 દિવસ: ગુરુવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.