ભોપાલનો બ્રિજ 90 નહીં, 119 ડિગ્રીનો છે’, મંત્રીજીનો દાવો- વિકસિત દેશોમાં પણ આવા પુલ છે

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો ‘90 ડિગ્રીવાળો બ્રિજ’ એકવાર ફરી ચર્ચામાં છે. ઐશબાગ રેલ ઓવરબ્રિજને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે PWD મંત્રી રાકેશ સિંહે મૌન તોડ્યું છે. વિધાનસભામાં તેમણે વિભાગનો પક્ષ રાખતા કહ્યું કે બ્રિજ 90 ડિગ્રીનો નહીં, પરંતુ 119 ડિગ્રીનો છે.

તેમણે કહ્યું કે એક ખોટી ધારણા બની ગઈ છે જેના પર બધા ચાલી પડ્યા છે. હાઈકોર્ટની તપાસમાં જાણવા મળ્યું કે પુલ હકીકતમાં 119 ડિગ્રીનો હતો. PWD મંત્રીએ તર્ક આપ્યો કે નવું શહેર વસાવતી વખતે આપણે આદર્શ ડિઝાઇન બનાવી શકીએ છીએ, પરંતુ વસેલા જુના શહેરમાં ઉપલબ્ધ જગ્યાના આધારે જ વિકાસ કાર્યો કરવા પડે છે. મોટા વિકસિત દેશોમાં અને દેશના વિકસિત રાજ્યોમાં પણ 90 ડિગ્રીના બ્રિજ પણ છે અને 90 ડિગ્રીના રસ્તા પણ છે.

03

અસલી ભૂલ ક્યાં થઈ? મંત્રીએ સ્વીકાર્યું કે સમસ્યા બ્રિજની ડિગ્રીમાં નહીં, પરંતુ સ્લોપ (ઢાળ) અને કર્વ (ઘુમાવ) માં હતી. યોગ્ય ટેકનિકલ માપદંડ અપનાવવામાં ન આવ્યા હોવાથી વાહન ચાલકોને તકલીફ થઈ અને એન્જિનિયરો પર કાર્યવાહી કરવામાં આવી.

જણાવી દઈએ કે 18 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ ROB ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે એ વાત સામે આવી હતી કે પુલ 90 ડિગ્રીનો છે, જેનાથી અકસ્માતો થઈ શકે છે. આ વિવાદને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે 28 જૂને PWD ના 7 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા હતા અને અસામાન્ય વળાંકવાળા પુલની ‘દોષપૂર્ણ ડિઝાઇન’ માટે એક નિવૃત્ત એન્જિનિયર સામે વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો.

02

મુખ્યમંત્રી મોહન યાદવના નિર્દેશ પર બ્રિજમાં સુધારા માટે એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી. નિર્માણ એજન્સી અને ડિઝાઇન કન્સલ્ટન્ટને બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યા. માન-સન્માનની વાત મંત્રી રાકેશ સિંહે સદનમાં કહી કે આ મધ્યપ્રદેશ આપણા સૌનું છે અને એની છબી ખરાબ થવી કોઈને ગમશે નહીં. તેમણે વિપક્ષ અને જનતાને આગ્રહ કર્યો કે તેઓ ટેકનિકલ પાસાઓ અને શહેરની ભૌગોલિક સીમાઓને પણ સમજે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.