કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP)નું જંતર મંતર પર ચાલી રહેલ વિરોધ પ્રદર્શન બુધવારે પાંચમા દિવસે પ્રવેશ્યું. વિરોધ સ્થળ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકરોની હાજરી વચ્ચે, પાર્ટીના નેતાઓએ સરકાર પર ગંભીર શિક્ષણ મુદ્દાઓને અવગણવાનો આરોપ લગાવ્યો.

શિક્ષણવિદ અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજેન્દ્ર ચૌહાણ બુધવારે સાંજે 5 વાગ્યે વિરોધ સ્થળ પર પહોંચશે. તેમણે લોકોને વિરોધના સમર્થનમાં જંતર મંતર પર પહોંચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણની નબળી સ્થિતિ, શિક્ષણ બજેટમાં વધારો અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જેવા મુદ્દાઓ વર્ષોથી ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારે આ મુદ્દાઓને ગંભીરતાથી લીધા નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો રિલીઝ કરતા, વિજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, તેમને ક્યારેક 'બે કોડીનો શિક્ષક' અને ક્યારેક 'વંદો' કહેવામાં આવે છે, પરંતુ તેમણે શિક્ષણના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે હવે જયારે પહેલીવાર એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં દેશમાં શિક્ષણ સંબંધિત મુદ્દાઓ જાહેર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

CJP Protest
threads.com

તેમણે કહ્યું, 'ઘણા વર્ષોથી, આપણે શિક્ષણની નબળી સ્થિતિ, શિક્ષણ માટે પૂરતું બજેટ અને પરીક્ષાઓની પ્રામાણિકતા જાળવવા વિશે વાત કરી રહ્યા છીએ. હવે, વિપક્ષ પણ આ મુદ્દાઓ પર બોલી રહ્યો છે, અને શાસક પક્ષને પણ જવાબ આપવો પડી રહ્યો છે.' વિજેન્દ્ર ચૌહાણે જાહેરાત કરી કે, તેઓ જંતર-મંતરમાં વિરોધ સ્થળ પર જાહેર વ્યાખ્યાન આપશે, જેમાં NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલી સામેના પડકારો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વિરોધ દરમિયાન, મંગળવારે મોડી રાત્રે, વિરોધીઓએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. 'ગો પ્રધાન ગો'ના નારા લગાવવામાં આવ્યા. પક્ષના કાર્યકરોએ જાહેરાત કરી કે જ્યાં સુધી શિક્ષણ પ્રધાન તેમના પદ પરથી રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. વિરોધીઓએ પ્રતીકાત્મક રીતે 'ધર્મેન્દ્ર પ્રધાન માટે ડાયપર ડોનેશન ડ્રાઇવ' પણ શરૂ કરી. લોકોએ કહ્યું કે, આ સરકારની શિક્ષણ નીતિ અને પરીક્ષા વ્યવસ્થાપનની નિષ્ફળતાઓ સામે પ્રતીકાત્મક વિરોધ હતો.

CJPના નેતાઓએ આરોપ લગાવ્યો કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધનો અંત લાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે, જંતર-મંતર ખાલી કરવા માટે ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે.

CJP Protest
facebook.com

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, NEET પેપર લીક, ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતાઓ અને શિક્ષણ પ્રણાલીમાં ખામીઓએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરી છે. તેમનો આરોપ છે કે સરકાર આ મુદ્દાઓ પર જવાબદારી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ છે. CJPના નેતાઓએ પુનરોચ્ચાર કર્યો કે, વિરોધ પુરી રીતે શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કથિત નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે પાર્ટીને 'આતંકવાદીઓની B-ટીમ' ગણાવી હતી. દિપકેએ જણાવ્યું હતું કે, વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો તેમના અધિકારો અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગણી માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર પરીક્ષા સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે જવાબદારી ટાળી રહી છે. દિપકેએ મંત્રીને જંતર-મંતર પર આમંત્રણ આપ્યું અને જો આરોપો સાચા હોય તો કાનૂની કાર્યવાહી કરવાની વિનંતી કરી. તેમણે મંત્રીના નિવેદનની નિંદા કરતા તેને વિદ્યાર્થીઓ અને યુવાનોનું અપમાન ગણાવ્યું.

About The Author

Top News

ઇંગ્લેન્ડ પ્રવાસે વૈભવ સૂર્યવંશી માટે હશે અલગ ડ્રેસિંગ રૂમ, કારણ છે ICCનો ખાસ નિયમ

ભારતીય ક્રિકેટમાં ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી તેના પહેલા સીનિયર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પહેલા ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ...
Sports 
ઇંગ્લેન્ડ પ્રવાસે વૈભવ સૂર્યવંશી માટે હશે અલગ ડ્રેસિંગ રૂમ, કારણ છે ICCનો ખાસ નિયમ

કમર્શિયલ પર્પઝ માટે બેંન્કિગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી: કોર્ટ, 2 વેપારીની ફરિયાદ રદ

કમર્શિયલ પર્પસ માટે બેંકિંગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી તેમ ઠરાવી ગ્રાહકની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં બે ટેક્સટાઈલના...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંન્કિગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી: કોર્ટ, 2 વેપારીની ફરિયાદ રદ

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (...
National 
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

રાશનના નિયમોમાં ફેરફાર; હવે કુટુંબ દીઠ નહીં, પરિવારના દરેક સભ્યના હિસાબે અનાજ મળશે, 7 કિલો...

કેન્દ્ર સરકારે દેશના સૌથી ગરીબ પરિવારો માટે અમલમાં મુકાયેલી અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ રાશન વિતરણ નિયમોમાં મોટો ફેરફાર...
National 
રાશનના નિયમોમાં ફેરફાર; હવે કુટુંબ દીઠ નહીં, પરિવારના દરેક સભ્યના હિસાબે અનાજ મળશે, 7 કિલો...

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.