- National
- કોકરોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શનઃ દિલ્હી પોલીસે સામેથી જઈને આપી પરમિશન, જુઓ જંતર મંતર પર કેવી છે સ્...
કોકરોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શનઃ દિલ્હી પોલીસે સામેથી જઈને આપી પરમિશન, જુઓ જંતર મંતર પર કેવી છે સ્થિતિ
CJPના સ્થાપક અભિજીત દીપકે શનિવારે સવારે અમેરિકાથી દિલ્હી પહોંચ્યો હતો. CJP જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેણે CJP સમર્થકોને કહ્યું કે, આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે. તમને જણાવી દઈએ કે અભિજીત દીપકે પોલીસ સ્ટેશન મંજૂરી માંગવા માટે પહોંચે એ પહેલા જ દિલ્હી પોલીસ જ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને તેને જંતર મંતર પર સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી દીધી હતી. ત્યાર બાદ અભિજીતે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોને ડાયરેક્ટ જંતર મંતર પર જ ભેગા થવાનું કહ્યું હતું અને હાલમાં હજારોની સંખ્યામાં યુવાનો જંતર મંતર પર એક જ માંગ કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે.

'કોકરોચ ઇઝ બેક ' એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપી છે. આપણે હવે સીધા જંતર મંતર પર ભેગા થઈ શકીએ છીએ; મૂળ યોજના મુજબ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. કોકરોચ આવી રહ્યા છે; ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે.
આ અગાઉ, અભિજીત દીપકે એક્સ પર લખ્યું હતું, "હું ઉતરી ચૂક્યો છું. જંતર મંતર પર ટૂંક સમયમાં તમને બધાને મળવા માટે આતુર છું. પુસ્તક અને આપણો ત્રિરંગો લાવવાનું ભૂલશો નહીં. પોલીસ કર્મચારીઓને ફૂલો આપો; તે કરુણા અને કૃતજ્ઞતાનું પ્રતિક હશે. આપણે આ આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે.

જંતર-મંતર પર વાતાવરણ કેવું છે?
લદ્દાખ સ્થિત પર્યાવરણ કાર્યકર્તા અને શિક્ષણવિદ સોનમ વાંગચુકે આશંકા વ્યક્ત કરી હતી કે CJPના સ્થાપક અભિજીત દીપકેની એરપોર્ટ પર ધરપકડ થઈ શકે છે. જોકે, CJPએ તેના X હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં અભિજીત દીપકે એરપોર્ટ છોડીને કારમાં આગળ વધી રહ્યો છે. આ ફોટામાં, દીપકના હાથમાં બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર પણ દેખાય છે. આ દરમિયાન, જંતર-મંતર પર સુરક્ષા ખૂબ જ કડક છે. જોકે, યુવાનોની ભીડ પણ હાજર છે, અને તેમની સંખ્યા વધી રહી હોય તેવું લાગે છે.
જંતર-મંતર પર મોટી સંખ્યામાં મીડિયા કર્મચારીઓ અને પત્રકારો પણ દેખાય છે. આ વાતાવરણ વચ્ચે, વ્યંગાત્મક સોશિયલ મીડિયા અભિયાન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) વર્ચ્યુઅલ દુનિયાથી વાસ્તવિક દુનિયા તરફ એટલે કે રસ્તા પર ઉતરી રહી છે. અગાઉ, CJPએ તેના X હેન્ડલ, 'Cockroach Is Back' પર લખ્યું હતું કે, 6 જૂન, સવારે 9 વાગ્યે કાલે મળીશું, સાથી કોકરોચો. આપણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઇને રહીશું. હવે સમય આવી ગયો છે આ નાના મજાકને એક આંદોલનમાં ફેરવવાનો સમય આવી ગયો છે.
https://twitter.com/Cockroachisback/status/2063127387831689383
પરંતુ વ્યંગ અને મીમ્સથી શરૂ થયેલી આ સોશિયલ મીડિયા ઝુંબેશને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ? રાજકીય વિશ્લેષકો માને છે કે શનિવારે દિલ્હીમાં ભેગી થનારા લોકોની સંખ્યા ઘણું બધું નક્કી કરશે, પરંતુ એક વાત ચોક્કસ છે: CJPને નકારી શકાય નહીં. Cockroach Janata Party (CJP)નો સ્થાપક અભિજીત દિપક ભારત આવી પહોંચ્યો છે. CJP ન X હેન્ડલ, 'Cockroach Is Back' પર તેના સમયપત્રકની વિગતો આપતો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
https://twitter.com/Cockroachisback/status/2063123205863174417
CJPના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રંકા વીડિયોમાં દેખાય છે. વીડિયોમાં સૌરવ દાસે કહ્યું હતું કે, અભિજીત દિપક સવારે 8 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી, તેઓ અન્ય કાર્યકરો સાથે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જશે. અમે તમને બધાને ત્યાં ભેગા થવા વિનંતી કરીએ છીએ. તેમણે જણાવ્યું કે તેઓ વિરોધ માટે પોલીસ સહયોગ અને પરવાનગી લેશે. સૌરવ દાસે CJP સમર્થકોને લોકશાહી રીતે શાંતિ જાળવવા અને વિરોધ કરવા અપીલ કરી.

આશુતોષ રંકાએ સમર્થકોને ત્રિરંગો, પુસ્તકો અને ફૂલો લાવવા અને તેમના પરિવારોને પણ સાથે લાવવા વિનંતી કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરે અને લોકશાહીમાં આપણો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે. અગાઉ, સૌરવ દાસે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષોના લોકો વિરોધમાં જોડાવા માટે આવકાર્ય છે.
X પર એક ટ્વીટમાં CJPએ એમ પણ કહ્યું હતું કે, યાદ રાખો કે શું કરવું અને શું ન કરવું. બધાની નજર આપણા પર છે. અને કદાચ શનિવારે, બધાની નજર CJP અને તેની અપીલ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન અને જંતર મંતર પર ભેગા થયેલા લોકો પર પણ રહેશે. સોશિયલ મીડિયા પર CJP વિશે શંકા વ્યક્ત કરતા લોકોની કોઈ અછત નથી. એવામાં પ્રશ્ન ઉભો થાય છે CJPને કેટલી હદ સુધી ગંભીરતાથી લેવી જોઈએ?

પ્રખ્યાત રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે 30 મેના રોજ X પર લખ્યું કે, કોકરોચ જનતા પાર્ટી કોઈ પાર્ટી નથી. તે જનતાથી અલગ નથી. તે કોઈ આંદોલન નથી, પરંતુ ફક્ત એક ક્ષણ છે તેથી જ તે મહત્ત્વનું ધરાવે છે. આ એ ઉર્જાની એક દુર્લભ ક્ષણ દર્શાવે છે. જે સરમુખત્યારશાહી હુમલાઓથી પ્રજાસત્તાકને હાંસલ કરી શકે છે. તે કોઈ લહેર નથી, પરંતુ એક આંતરિક ધારે છે. તેને અવગણવું એ એક ભૂલ હશે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિરીક્ષક સ્મિતા શર્મા કહે છે કે જોવાનું મહત્ત્વપૂર્ણ હશે કે કેટલા લોકો રસ્તાઓ પર ઉતરે છે. તે કહે છે કે, સોશિયલ મીડિયા પર CJP સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે; તેમના ફક્ત Instagram પર લગભગ 2 કરોડ ફોલોઅર્સ છે. તે જ સંખ્યામાં લોકો દેખાવાની અપેક્ષા રાખવું ખોટું હશે. જો કે, જો થોડા હજાર લોકો પણ જંતર-મંતર પર પહોંચે, તો આંદોલન પર ગંભીર ધ્યાન આપવાની જરૂર રહેશે.
વરિષ્ઠ પત્રકાર, લેખક અને રાજકીય વિશ્લેષક રશિદ કિદવાઈ પણ માને છે કે સંખ્યા એક નિર્ણાયક પરિબળ હશે. તેઓ કહે છે કે, આપણે ઘણીવાર સોશિયલ મીડિયાની જમીન પરની અસરનું સચોટ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ જઈએ છીએ. 'ઈન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન' આંદોલન દરમિયાન UPAના, અહેમદ પટેલ અને પ્રણવ મુખર્જી જેવા અનુભવી રાજકારણીઓ જનતા મૂડને સમજવામાં નિષ્ફળ ગયા. તેઓ કહેતા હતા કે યુવાનોના આક્રોશ વાદળ જેવો છે, જે પસાર થઇ જશે, પરંતુ તે વાદળો પસાર થયા નહીખૂબ વરસ્યા, જેનાથી તેમને ભારે નુકસાન થયું હતું.
કિદવાઈ ઉમેરે છે કે, એક રાજકીય સંવાદદાતા તરીકે, મેં 1970ના દાયકાથી અસંખ્ય જાહેર રેલીઓ જોઈ છે. એક સમય હતો જ્યારે આવી રેલીઓમાં એક કે બે લાખ લોકોની ભીડ એકઠી થતી હતી. જયપ્રકાશ નારાયણ, ઇન્દિરા ગાંધી, ચરણ સિંહ અને ચંદ્ર શેખર જેવા નેતાઓ મોટી-મોટી રેલીઓ કરતા હતા. જોકે, 90ના દાયકા પછી ભીડ ઓછી થઈ ગઈ. આજકાલ 50,000 લોકો પણ પહોંચી જાય તો ખૂબ માનવામાં આવે છે. તેથી જ શનિવાર મહત્ત્વપૂર્ણ છે. જો 20,000 થી 25,000 થી વધુ લોકો ભેગા થાય, તો હું તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનું છું. તેમાં યુવાઓ કેટલા છે, કઇ પેઢીના લોકો સામેલ થઇ રહ્યા છે, એ પણ જોવા જેવી વાત હશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X જેવા પ્લેટફોર્મથી હટીને જો દિલ્હીની ગરમીમાં 25,000 લોકો ખરેખર દેખાય છે, તો તે નોંધપાત્ર હશે અને તે વિચારવા મજબૂર કરશે કે તેનામાં દમ છે.
મીમમાંથી જન્મેલી 'પાર્ટી'
'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અને કન્વીનર અભિજીત દીપકે જણાવ્યું કે તેણે પાર્ટી શા માટે શરૂ કરી. તેણે કહ્યું કે, હું ટ્વીટર (હવે X) પર CJI (ભારતના મુખ્ય ન્યાયાધીશ)નું એક નિવેદન જોઇ રહ્યો હતો, જેમાં તેમણે દેશના યુવાનોની સરખામણી સિસ્ટમની ટીકા કરવા અને તેમના મંતવ્યો વ્યક્ત કરવા બદલ કોકરોચ અને પરોપજીવી સાથે કરી હતી. મને આ એકદમ હાસ્યાસ્પદ લાગ્યું કારણ કે CJIને દેશના બંધારણના રક્ષક માનવામાં આવે છે, તે જ બંધારણ જે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે.
એક આવે વયક્તિ જેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાની છે તે યુવાનોની તુલના કોકરોચ અને પરોપજીવી સાથે કેવી રીતે કરી શકે? દીપકે ઉમેર્યું તે, તેણે મને ગુસ્સો અને નિરાશાથી ભરી દીધો, તેથી મેં ટ્વીટર પર મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. મેં પૂછ્યું કે જો બધા 'કોકરોચ' એક સાથે આવી જોય તો શું થશે. મને Gen-Z અને 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો તરફથી અદ્ભુત પ્રતિભાવો મળ્યા; તેઓએ કહ્યું કે આપણે એક થવું જોઈએ અને એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ.
તેથી મને 'કોકરોચ જનતા પાર્ટી' નામની ઓનલાઈન પેરોડી પાર્ટી શરૂ કરવાનો વિચાર આવ્યો. જો તમે અમને કોકરોચ કહી રહ્યા છો, તો સારું છે. અમે 'કોકરોચ જનતા પાર્ટી' બનાવીશું. આ પાર્ટીમાં જોડાવા માટે મેં યોગ્યતા માપદંડ નક્કી કર્યા છે, જેમ કે તમારે આળસુ રહેવું પડશે, જેમ CJIએ ટિપ્પણી કરી હતી. બેરોજગાર રહેવું પડશે, અને સતત ઓનલાઈન રહેવું પડશે, જેમ CJIએ કહ્યું હતું.
આ વ્યંગાત્મક ઝુંબેશને કેવી રીતે લોકપ્રિયતા મળી તે અંગે બોલતા દીપકે કહ્યું કે, અમને ખ્યાલ આવવા લાગ્યો કે આ કંઈક મોટું થવાનું છે અને ફક્ત મજાક રહી ગયું નથી કારણ કે લોકો હતાશ થઇ ચૂક્યા હતા; તેથી અમે એક વેબસાઇટ બનાવી અને પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કર્યો.
તેણે કહ્યું કે, અમે ઇન્સ્ટાગ્રામ પર બે મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચી ગયા છીએ, અને 200,000 થી વધુ લોકોએ પોતાને કોકરોચ જનતા પાર્ટીના સભ્ય તરીકે નોંધણી કરાવી છે. લાંબા સમય પછી ભારતીય રાજકારણમાં આ એક અભૂતપૂર્વ છે.

