DyCM મનિષ સિસોદિયાને ઝટકો, કોર્ટે જામીન ન આપ્યા, 5 દિવસ CBI કસ્ટડીમાં મોકલી દીધા

લીકર પોલિસી સ્કેમ કેસમાં દિલ્હીની કોર્ટે CBIને મનિષ સિસોદિયાની પાંચ દિવસની કસ્ટડી આપી દીધી છે. મનિષ સિસોદિયા તરફથી 3 વરિષ્ઠ વકીલોએ ધારદાર દલિલો કરી હતી, પણ તે કામ નહોતી આવી અને કોર્ટે 4 માર્ચ સુધી મનિષ સિસોદિયાને CBI કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જજે CBIને પૂછ્યું હતું કે કસ્ટડી કેમ જોઈએ છે. તેના જવાબમાં CBIએ કહ્યું હતું કે, આગામી તપાસ માટે કસ્ટડીની જરૂર છે. મનિષ સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા છે, તો કસ્ટડી આપવાની જરૂર નથી. આનાથી સમાજમાં ખોટો સંદેશ જશે. પણ બંને પક્ષની દલિલ સાંભળીને કોર્ટે મનિષ સિસોદિયાને કસ્ટડીમાં મોકલી દીધા છે.

મનીષ સિસોદિયા મામલે ભાજપ સાંસદ બોલ્યા- જેલ તો તેમને જવું જ પડશે

આ CBI આબકારી નીતિ કૌભાંડમાં મનીષ સિસોદિયાએ પૂછપરછ કરી રહી છે. CBIની પૂછપરછ અગાઉ મનીષ સિસોદિયા રાજઘાટ પણ પહોંચ્યા હતા. મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી (AAP) સતત આરોપ લગાવી રહી છે કે, આજે મનીષ સિસોદિયાની CBI ધરપકડ કરી શકે છે. તેના પર ભાજપે જોરદાર પ્રહાર કર્યો. ભાજપ નેતાઓએ તેને આમ આદમી પાર્ટીની ગભરાટ બતાવી છે.

તેના પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ મનીષ સિસોદિયા પર પ્રહાર કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારને ઇવેન્ટ મેનેજમેન્ટ બદલવાથી તેમને ભ્રષ્ટાચાર છુપાવવામાં મદદ મળશે. આબકારી નીતિ કૌભાંડ પર આમ આદમી પાર્ટીએ કોઈ જવાબ આપ્યો નથી. એક વાત તો સ્પષ્ટ છે કે, તેઓ સત્ય છુપાવવામાં લાગ્યા છે. તેમને CBIને જવાબ આપવો જોઈએ. ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂરિયાત નથી.

તો દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી હરીશ ખુરાનાએ ટ્વીટ કરતા કહ્યું કે, એટલા ડરી કેમ રહ્યા છો @msisodia જી. જો કંઈ નથી કર્યું તો ડરવાની શી જરૂરિયાત છે. પોતાની જાતને 'બિચારો' દેખાડવાનો પ્રયત્ન અત્યારથી @arvindKejriwal. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે, જ્યારે ઠેર ઠેર દારૂની દુકાન હોય, ઑક્સિજન વેચી, લાંચખોરી કરી તો મનીષ જીને ભગતસિંહ જીની યાદ ન આવી.

હવે જ્યારે પાપોના હિસાબ થવાનો સમય આવ્યો છે તો ભગતસિંહ જી યાદ આવી રહ્યા છે. યાદ રાખજો ભગત સિંહજી આઝાદી માટે જેલ ગયા હતા, તમે જેલ જશો ભ્રષ્ટાચાર કર્યો તેના માટે. પ્રવેશ વર્માએ આગળ કહ્યું કે, મહાત્મા ગાંધીજી ભ્રષ્ટાચાર અને દારૂને અભિશાપ માનતા હતા, જો તમે તો બંને સર્વગુણ સંપન્ન છો, મનીષ જી પોતાની માતાજીનો આશીર્વાદ આજે લઈ રહ્યા છે. જો ભ્રષ્ટાચાર કરવા અગાઉ તેમને જણાવ્યું હોત તો આજે આ દિવસ ન જોવા પડતા.

દિલ્હીના લાખો યુવાનોનું જીવન બરબાદ કર્યું. તેમને જેલ તો જવું જ પડશે. ભાજપ દિલ્હીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, એ સમજથી વિરુદ્વ છે કે આમ આદમી પાર્ટીને નાટક કરવામાં આટલો આનંદ કેમ આવે છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. તેના પર આ પ્રકારની ખોટી ટિપ્પણી કરવી તેમની ગભરાટ દેખાડે છે. દિલ્હીના બાળકો અને વાલીઓનું માથું આજે શરમથી નમી ગયું છે કે દિલ્હીના શિયાં મંત્રી આ પ્રકારનું નાટક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ડ્રામેબાજ છે, જે પોતાની દરેક ઘટનાને એક ઇવેન્ટના રૂપમાં લે છે.  

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.