પ્રશાંત કિશોરની મોટી જાહેરાત- આગામી 5 વર્ષની 90% કમાણી અને બધી સંપત્તિ ‘જન સૂરાજ’ને કરશે દાન

ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર (PK)એ તેમની પાર્ટી, જન સૂરાજ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી 5 વર્ષ સુધી પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો જન સૂરાજને દાન કરશે. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષમાં મેળવેલી બધી સંપત્તિ, તેમાં ઘર છોડીને બાકી બધુ જન સૂરાજ અભિયાનને દાન કરશે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓ મહાત્મા ગાંધીની પ્રેરણાથી ફરી એક વખત આ અભિયાન શરૂ કરશે. તેમણે 15 જાન્યુઆરીની તારીખ જણાવતા કહ્યું કે આ દિવસે બિહારના તમામ 118,000 વોર્ડની મુલાકાત લેવાની અને બિહાર નવનિર્માણ સંકલ્પ અભિયાન હેઠળ લોકો સાથે સીધો સંવાદ કરશે.

prashant-kishor1
moneycontrol.com

PKએ ભાર મૂકીને કહ્યું કે, આ અભિયાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકો સાથે મળીને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરાવવા અને બિહારના વિકાસ માટે સામૂહિક સંકલ્પ તૈયાર કરવાનો છે. આ ત્યાગ અને મોટું દાન જન સૂરાજ અભિયાનની નાણાકીય નિર્ભરતાને મજબૂત કરવા અને તેને જન આધારિત આંદોલન બનાવવા તરફ એક મોટું પગલું છે. મીડિયા સાથે વાત કરતા પ્રશાંત કિશોર કહ્યું કે, ઘણા લોકોને લાગી રહ્યું છે, પ્રશાંત કિશોર આવ્યા હતા, પૈસા-બૈસા લઈને,હવે તો 3-4 વર્ષ થઈ ગયા પૈસા કેટલા દિવસ ચલાવશે. છોડીને ભાગી જશે. તો હું તમને જણાવી દઉં કે, હું તમારી સામે, બિહારની જનતા સામે કમિટ કરી રહ્યો છુ કે આગામી 5 વર્ષ સુધી મેં એવો પણ સંકલ્પ લીધો છે, હું આગામી 5 વર્ષમાં જે પણ કમાણી કરીશ, તેના 90 ટકા જનસૂરાજ અભિયાન માટે દાન કરી રહ્યો છું. આટલું જ નહીં, છેલ્લા 20 વર્ષમાં મેં જે પણ સ્થાવર-જંગમ સંપત્તિ હાંસલ કરી છે, એક મારા પરિવાર માટે દિલ્હીમાં એક ઘર છોડીને બાકી બધી સંપત્તિ જન સૂરાજના આ અભિયાન માટે દાન કરી રહ્યો છું.

prashant-kishor
ndtv.com

તેમણે કહ્યું કે, પૈસાના કારણે બિહારની ગરીબ જનતાની જે આશા છે, તેને બંધ નહીં થવા દઉં, પછી ભલે તેના માટે ગમે તે કરવું પડે. પૈસાના કારણે આ અભિયાન નહીં રોકાય. હું ફરીથી પુનરાવર્તિત કરું છુ કે, હું આગામી 5 વર્ષ સુધી જે કંઈ પણ મારી કમાણી હશે, તેની ઓછામાં ઓછી 90 ટકા જનસૂરાજના આ અભિયાનને ચલાવવા માટે દાન કરીશ. બીજું છેલ્લા 20 વર્ષમાં જે કંઈ પણ મેં કમાણી કરી છે, મારી જે અચલ સંપત્તિ છે તેમાં એક પોતાના પરિવાર માટે ઘર છોડીને બાકી બધુ જરૂરિયાત મુજબ જનસૂરાજને દાનમાં આપી દઇશ. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. પ્રશાંત કિશોરની જનસૂરાજનો વોટ શેર પણ 4 ટકાથી ઓછો રહ્યો છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.