પ્રશાંત કિશોરની મોટી જાહેરાત- આગામી 5 વર્ષની 90% કમાણી અને બધી સંપત્તિ ‘જન સૂરાજ’ને કરશે દાન

ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર (PK)એ તેમની પાર્ટી, જન સૂરાજ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી 5 વર્ષ સુધી પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો જન સૂરાજને દાન કરશે. આ ઉપરાંત છેલ્લા 20 વર્ષમાં મેળવેલી બધી સંપત્તિ, તેમાં ઘર છોડીને બાકી બધુ જન સૂરાજ અભિયાનને દાન કરશે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓ મહાત્મા ગાંધીની પ્રેરણાથી ફરી એક વખત આ અભિયાન શરૂ કરશે. તેમણે 15 જાન્યુઆરીની તારીખ જણાવતા કહ્યું કે આ દિવસે બિહારના તમામ 118,000 વોર્ડની મુલાકાત લેવાની અને બિહાર નવનિર્માણ સંકલ્પ અભિયાન હેઠળ લોકો સાથે સીધો સંવાદ કરશે.

prashant-kishor1
moneycontrol.com

PKએ ભાર મૂકીને કહ્યું કે, આ અભિયાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકો સાથે મળીને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરાવવા અને બિહારના વિકાસ માટે સામૂહિક સંકલ્પ તૈયાર કરવાનો છે. આ ત્યાગ અને મોટું દાન જન સૂરાજ અભિયાનની નાણાકીય નિર્ભરતાને મજબૂત કરવા અને તેને જન આધારિત આંદોલન બનાવવા તરફ એક મોટું પગલું છે. મીડિયા સાથે વાત કરતા પ્રશાંત કિશોર કહ્યું કે, ઘણા લોકોને લાગી રહ્યું છે, પ્રશાંત કિશોર આવ્યા હતા, પૈસા-બૈસા લઈને,હવે તો 3-4 વર્ષ થઈ ગયા પૈસા કેટલા દિવસ ચલાવશે. છોડીને ભાગી જશે. તો હું તમને જણાવી દઉં કે, હું તમારી સામે, બિહારની જનતા સામે કમિટ કરી રહ્યો છુ કે આગામી 5 વર્ષ સુધી મેં એવો પણ સંકલ્પ લીધો છે, હું આગામી 5 વર્ષમાં જે પણ કમાણી કરીશ, તેના 90 ટકા જનસૂરાજ અભિયાન માટે દાન કરી રહ્યો છું. આટલું જ નહીં, છેલ્લા 20 વર્ષમાં મેં જે પણ સ્થાવર-જંગમ સંપત્તિ હાંસલ કરી છે, એક મારા પરિવાર માટે દિલ્હીમાં એક ઘર છોડીને બાકી બધી સંપત્તિ જન સૂરાજના આ અભિયાન માટે દાન કરી રહ્યો છું.

prashant-kishor
ndtv.com

તેમણે કહ્યું કે, પૈસાના કારણે બિહારની ગરીબ જનતાની જે આશા છે, તેને બંધ નહીં થવા દઉં, પછી ભલે તેના માટે ગમે તે કરવું પડે. પૈસાના કારણે આ અભિયાન નહીં રોકાય. હું ફરીથી પુનરાવર્તિત કરું છુ કે, હું આગામી 5 વર્ષ સુધી જે કંઈ પણ મારી કમાણી હશે, તેની ઓછામાં ઓછી 90 ટકા જનસૂરાજના આ અભિયાનને ચલાવવા માટે દાન કરીશ. બીજું છેલ્લા 20 વર્ષમાં જે કંઈ પણ મેં કમાણી કરી છે, મારી જે અચલ સંપત્તિ છે તેમાં એક પોતાના પરિવાર માટે ઘર છોડીને બાકી બધુ જરૂરિયાત મુજબ જનસૂરાજને દાનમાં આપી દઇશ. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. પ્રશાંત કિશોરની જનસૂરાજનો વોટ શેર પણ 4 ટકાથી ઓછો રહ્યો છે.

About The Author

Related Posts

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.