પત્નીનું વારંવાર સાસરું છોડીને જવું પતિ સાથે અન્યાય, HCએ મંજૂર કર્યા છૂટાછડા

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું કે, પતિની કોઈ ભૂલ વિના પત્નીનું વારંવાર પોતાનું સાસરું છોડીને જતું રહેવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે. જસ્ટિસ સુરેશ કુમારે કૈતની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, વૈવાહિક સંબંધ પરસ્પર સમર્થન, સમર્પણ અને નિષ્ઠાના માહોલમાં ફળેફુલે છે તથા દૂરી અને પરિત્યાગ આ જોડાણને તોડે છે. કોર્ટની આ ટિપ્પણી એક-બીજાથી અલગ રહેતા એક દંપતીને પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધાર પર છૂટાછેડા પ્રદાન કરતા આવી છે. દંપતીના લગ્ન વર્ષ 1992માં થયા હતા અને ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

મહિલાના પતિએ છૂટાછેડાનો અનુરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીનો ગુસ્સાળું અને અશાંત સ્વભાવ છે તેમજ તે ઓછામાં ઓછી 7 વખત તેને છોડીને જતી રહી. પતિનો આરોપ છે કે છેલ્લી વખત વર્ષ 2011માં એવું ત્યારે થયું જ્યારે પત્નીએ એમ કહેતા ઘર છોડી દીધું કે તેનો પતિ મરી ગયો છે અને ત્યારબાદ તેના પતિના હાથ પર રાખડી બાંધી દીધી હતી. આ સંકેત આપે છે કે તે હવે તેના માટે એક ભાઇની જેમ છે. તો પત્નીએ પણ પતિનું ઘર વારંવાર છોડવાની વાતને ઇનકાર ન કર્યો, પરંતુ એવો આરોપ લગાવ્યો કે, તેનો પતિ તેના પ્રત્યે ઉદાસીન હતો અને તેના સાસરાના લોકો તેનું અપમાન કરતા હતા.

પત્નીએ એમ પણ કહ્યું કે, દરેક વખત તેણે જ સાસરી છોડી નથી, પરંતુ કેટલીક વખત પતિ તેને પોતે પિયર છોડી આવ્યો. પત્નીએ એમ પણ કહ્યું કે, જ્યાં સુધી તે ત્યાં રહી, તેને પોતાના સાસરામાં ઘણા પ્રકારના અપમાનનો સામનો કરવો પડ્યો. છૂટાછેડા આપવાનો ઇનકાર કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર આપનારી અરજીને સ્વીકારતા પીઠે ઉલ્લેખ કર્યો કે, 7 વખત મહિલા પોતાના પતિથી અલગ થઈ અને દરેકની અવધિ 3 થી 10 મહિનાની હતી. પીઠમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા પણ સામેલ છે.

હાઇ કોર્ટે કહ્યું કે, લાંબા સમય સુધી અલગ રહેવાથી પરિણીત સંબંધને અપૂર્ણીય ક્ષતિ પહોંચી શકે છે, જે માનસિક ક્રૂરતા છે અને પરિણીત સંબંધોથી વંચિત કરવાનું અત્યધિક ક્રૂરતાનું કૃત્ય છે. કોર્ટે કહ્યું કે, આ એક સ્પષ્ટ મામલો છે, જ્યાં આરોપી (પત્ની)એ સમય સમય પર અપીલકર્તાની કોઈ ભૂલ વિના, સાસરાનું ઘર છોડી દીધું. સમય સમય પર આરોપીનું આ પ્રકારે જવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે, જેની અપિલકર્તા (પતિ)ને અકારણ કે કોઈ ઔચિન્તય વિના સામનો કરવો પડ્યો. પીઠે કહ્યું કે, આ અરજીકર્તાને માનસિક વેદનાનો કેસ છે, જેનાથી તે છૂટાછેડા હાંસલ કરવાનો હકદાર છે.

About The Author

Related Posts

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.