પત્નીનું વારંવાર સાસરું છોડીને જવું પતિ સાથે અન્યાય, HCએ મંજૂર કર્યા છૂટાછડા

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું કે, પતિની કોઈ ભૂલ વિના પત્નીનું વારંવાર પોતાનું સાસરું છોડીને જતું રહેવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે. જસ્ટિસ સુરેશ કુમારે કૈતની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, વૈવાહિક સંબંધ પરસ્પર સમર્થન, સમર્પણ અને નિષ્ઠાના માહોલમાં ફળેફુલે છે તથા દૂરી અને પરિત્યાગ આ જોડાણને તોડે છે. કોર્ટની આ ટિપ્પણી એક-બીજાથી અલગ રહેતા એક દંપતીને પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધાર પર છૂટાછેડા પ્રદાન કરતા આવી છે. દંપતીના લગ્ન વર્ષ 1992માં થયા હતા અને ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

મહિલાના પતિએ છૂટાછેડાનો અનુરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીનો ગુસ્સાળું અને અશાંત સ્વભાવ છે તેમજ તે ઓછામાં ઓછી 7 વખત તેને છોડીને જતી રહી. પતિનો આરોપ છે કે છેલ્લી વખત વર્ષ 2011માં એવું ત્યારે થયું જ્યારે પત્નીએ એમ કહેતા ઘર છોડી દીધું કે તેનો પતિ મરી ગયો છે અને ત્યારબાદ તેના પતિના હાથ પર રાખડી બાંધી દીધી હતી. આ સંકેત આપે છે કે તે હવે તેના માટે એક ભાઇની જેમ છે. તો પત્નીએ પણ પતિનું ઘર વારંવાર છોડવાની વાતને ઇનકાર ન કર્યો, પરંતુ એવો આરોપ લગાવ્યો કે, તેનો પતિ તેના પ્રત્યે ઉદાસીન હતો અને તેના સાસરાના લોકો તેનું અપમાન કરતા હતા.

પત્નીએ એમ પણ કહ્યું કે, દરેક વખત તેણે જ સાસરી છોડી નથી, પરંતુ કેટલીક વખત પતિ તેને પોતે પિયર છોડી આવ્યો. પત્નીએ એમ પણ કહ્યું કે, જ્યાં સુધી તે ત્યાં રહી, તેને પોતાના સાસરામાં ઘણા પ્રકારના અપમાનનો સામનો કરવો પડ્યો. છૂટાછેડા આપવાનો ઇનકાર કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર આપનારી અરજીને સ્વીકારતા પીઠે ઉલ્લેખ કર્યો કે, 7 વખત મહિલા પોતાના પતિથી અલગ થઈ અને દરેકની અવધિ 3 થી 10 મહિનાની હતી. પીઠમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા પણ સામેલ છે.

હાઇ કોર્ટે કહ્યું કે, લાંબા સમય સુધી અલગ રહેવાથી પરિણીત સંબંધને અપૂર્ણીય ક્ષતિ પહોંચી શકે છે, જે માનસિક ક્રૂરતા છે અને પરિણીત સંબંધોથી વંચિત કરવાનું અત્યધિક ક્રૂરતાનું કૃત્ય છે. કોર્ટે કહ્યું કે, આ એક સ્પષ્ટ મામલો છે, જ્યાં આરોપી (પત્ની)એ સમય સમય પર અપીલકર્તાની કોઈ ભૂલ વિના, સાસરાનું ઘર છોડી દીધું. સમય સમય પર આરોપીનું આ પ્રકારે જવું માનસિક ક્રૂરતાનું કૃત્ય છે, જેની અપિલકર્તા (પતિ)ને અકારણ કે કોઈ ઔચિન્તય વિના સામનો કરવો પડ્યો. પીઠે કહ્યું કે, આ અરજીકર્તાને માનસિક વેદનાનો કેસ છે, જેનાથી તે છૂટાછેડા હાંસલ કરવાનો હકદાર છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.