મોડી રાત્રે પત્ની સાથે ઝેરનું ઇન્જેક્શન લઇ લીધું, પુત્રેને એક સવાલે બચાવ્યો

ડૉ. ઈન્દ્રેશ શર્મા મંગળવારે રાત્રે દીકરાને પણ મોતનું ઇન્જેક્શન લગાવવા જઈ રહ્યો હતો. તેના પર દીકરા ઇશાને તેને પૂછ્યું કે પપ્પા શું કરી રહ્યા છો? ત્યારે ડૉક્ટરે ઇન્જેક્શન લગાવવાનું પ્રેક્ટિકલ કરી દેખાડવાની વાત કહી, પરંતુ ત્યારબાદ તેણે પોતાનો ઇરાદો બદલી દીધો. જો તે ઇન્જેક્શન લગાવી દેતો તો ઇશાન સાથે પણ દુર્ઘટના થઈ શકતી હતી. ડૉક્ટર શર્માની કહાની ગરીબી, બીમારીના દર્દ અને તફલિફ ભરેલી છે. ITI પોલીસ મુજબ, ઈન્દ્રેશ પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો.

પત્ની, દીકરી ઉર્વી અને દીકરો ઇશાન બધા તેને વ્હાલા હતા. 12 વર્ષ અગાઉ જ્યારે પત્ની બીમાર પડી તો તેણે સાથ ન છોડ્યો. તે કેન્સરથી લડી રહેલી પત્ની સાથે દરેક પળ સાથે રહ્યો. ઘણી વખત પત્નીને લોહી આપ્યું, જેના કારણે લોહીની કમી થઈ ગઈ. પત્નીની સારવારમાં ઘણા પૈસા ખર્ચ થતા હતા, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. સૈનિક કોલોનીમાં તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં જ રહેવા ગયા હતા. તે છેલ્લા ઘણા મહિનાથી મકાનનું ભાડું પણ આપી શકતો નહોતો. દીકરી ઉર્વીનો અભ્યાસ પણ દસમા બાદ છૂટી ગયો હતો, જ્યારે દીકરાનો અભ્યાસ કોરોનાકાળથી બંધ હતો.

જાન્યુઆરીમાં જ દીકરી ઉર્વીના લગ્ન જસપુરના લક્ષ્મીનગરના રહેવાસી મયંક સાથે કર્યા. મોહલ્લાના રહેવાસીઓએ જણાવ્યું કે, તે પહેલા પણ એક વખત આ પ્રકારના ઇન્જેક્શન ખરીદી કરી ચૂક્યો હતો, પરંતુ ત્યારે ઇરાદો બદલી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેના સંબંધીઓ સાથે સંબંધ વધારે સારા નહોતા. દેહરાદૂનમાં રહેતા તેના પરિવારના લોકોને તેના ઘરે આવતા જોયા નહોતા. પોલીસ મુજબ, પત્નીની બીમારી વચ્ચે ડૉ. શર્મા પોતે પણ બીમાર થઈ ગયો હતો. હાલના દિવસોમાં તેને કેટલીક બીમારીઓએ ઘેરી લીધો હતો.

સાથે જ ખરાબ આર્થિક સ્થિતિના કારણે તે ખૂબ પરેશાન રહેતો હતો. તેનાથી ઝઝૂમતા પત્ની સહિત આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. મંગળવારે રાત્રે તેણે દીકરા સાથે ખૂબ મસ્તી કરી. રાત્રે 12 વાગ્યા સુધી લૂડો રમતા રહ્યા. ત્યારબાદ તેણે પોતાને અને પત્નીને ઇન્જેક્શન લગાવી દીધી. ITI પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આશુતોષ સિંહે જણાવ્યું કે, એનેસ્થિસિયાના ઓવરડોઝથી મોત થવાની આશંકા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, એનેસ્થિસિયા શરીરને સુન્ન કરી દે છે. જેથી દર્દનો અનુભવ થતો નથી. કદાચ ડૉક્ટરે દર્દ સહિત મોત માટે ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હશે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.