PM મોદીની સામે વિપક્ષનો PM કોણ? જાણો પાર્ટીઓના શંભુમેળાની રણનીતિ

On

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વિપક્ષને એકજૂથ કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા નીતિશ કુમારે પોતે તેની કમાન પોતાના હાથોમાં લઈ લીધી છે. આ જ કારણ છે કે તેઓ સતત વિપક્ષના બધા મોટા નેતાઓ સાથે મુલાકાત કરવા માટે પહોંચી રહ્યા છે. જો કે, સોમવારે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ માત્ર વિપક્ષી પાર્ટીઓને એકજૂથ લગવામાં લાગ્યા છે.

તેઓ વડાપ્રધાન ફેસ નહીં બને. નીતિશ કુમારનું કહેવું હતું કે, હું એક વાત સ્પષ્ટ કરી દેવામાં માગું છું કે મારે ચહેરો (વિપક્ષી વડાપ્રધાન ફેસ) નથી બનવું. માત્ર મળીને કામ કરીશું. સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે કોલકાતા પહોંચ્યા હતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. ત્યારબાદ બંને નેતા લખનૌ પહોંચ્યા અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વાતચીત કરી હતી.

આ વાતચીત બાદ નીતિશ અને અખિલેશ યાદવે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં નીતિશ કુમારે વિપક્ષી એકતા પર વાત કરી. નીતિશ કુમારે કહ્યું કે, દેશને આગળ વધારવા માટે બધા લોકો વધારેમાં વધારે પાર્ટીઓના વિચાર એક થઈ જાય, એ જ કામમાં લાગ્યા છીએ. જે પ્રકારે શાસન થઈ રહ્યું છે તેમાં કોઈ કામ થઈ રહ્યું નથી. માત્ર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. એવી સ્થિતિમાં વધુમાં વધુ પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

એ સિલસિલામાં આજે અમે લોકોએ બેસીને વાત કરી છે. અમે લોકોએ નક્કી કર્યું છે કે વધુમાં વધુ પાર્ટીઓને દેશમાં એકજૂથ કરીએ. મળીને કામ કરીશું જેથી આ દેશ આગળ વધે અને દેશને ભાજપથી મુક્તિ મળે. લોકો (ભાજપ) દેશના ઇતિહાસને બદલવાના ચક્કરમાં છે એટલે બધાએ જાણવું જોઈએ. ખાલી પ્રચાર થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, ચૂંટણીમાં જો એક સાથે મળીને લડીશું તો ખૂબ ફાયદો થશે અને દેશહિતમાં હશે. અત્યારે એ વાત થઈ ગઈ છે કે મળીને કામ કરીશું. નીતિશ કુમારે ઉત્તર પ્રદેશ અને બિહારના સંબંધ જોડ્યા.

તેમણે કહ્યું કે, સમાજવાદીઓ સાથે જૂનો સંબંધ છે. આખા દેશના અન્ય જગ્યાઓના હિતમાં પણ એકજૂથ થઈશું. આજે સારી વાત થઈ છે. નેતા નક્કી થવાના સવાલ પર કહ્યું કે, એકજૂથ થઈ જશે તો નેતા બનીશું અને કામ કરીશું. પોતાને વિપક્ષ તરફથી વડાપ્રધાન ફેસ બનવાના સવાલ પર નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે, એક વસ્તુ અમે પોતાની બાબતે બતાવી દઈએ છીએ કે અમારે નેતા બનવું નથી. એ સારી રીતે જાણી લો. અમે માત્ર બધાને એકજૂથ કરવામાં લાગ્યા છીએ. પોતાના માટે અમને કશું જ જોઈતું નથી અમે માત્ર દેશહિતનું કામ કરીશું. બાકી બધા લોકો હશે અને બેસીને નક્કી કરીશું.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.