અયોધ્યામાં રામ જન્મભૂમિ નજીક ધડાકો, વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિની નજીક ધમાકો થયો છે. આ ધમાકો થાના રામ જન્મભૂમિના શ્રૃંગાર હાટમાં નિર્માણાધીન એક દુકાનમાં થયો છે. આ ધડાકાના કારણે ત્યાં કામ કરી રહેલા એક મજૂર અનિલનો હાથ ઉડી ગયો છે. આ સાથે જ તેના પેટમાં પણ ઘણા છરા વાગ્યા છે. તેને ગંભીર અવસ્થામાં શ્રી રામ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રેફર કરી દેવામાં આવ્યો છે. ધડાકા બાદ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતા મીડિયા રિપોર્ટ અનુસાર, દુકાનના માલિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ધડાકો ફટાકડાથી થયો છે પરંતુ, પોલીસ આ મામલાને સંદિગ્ધ માનીને તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ધડાકા બાદ સમગ્ર વિસ્તારને છાવણીમાં તબ્દીલ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યારસુધીમાં રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર પણ થઈ ગયુ છે.

નિર્માણાધીન દુકાનમાં થયેલા ધડાકાએ રામનગરીના શ્રૃંગાર હાટ ક્ષેત્રમાં સનસની ફેલાવી દીધી. આ વિસ્તાર પોલીસ સ્ટેશનના રામજન્મભૂમિના યલો ઝોનમાં સ્થિત છે, જેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ધડાકા બાદ પોલીસના હોશ ઉડી ગયા. બોમ્બ સ્ક્વોર્ડે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દિવાળી પર ખરીદવામાં આવેલા ફટાકડામાંથી કેટલાક બોમ્બ બચી ગયા હતા, જેને ઘરના માલિકે એક થેલામાં રાખ્યા હતા. મજૂરને તે થેલો મળી આવતા તે તેને ચેક કરી રહ્યો હતો એવામાં અચાનક એક બોમ્બમાં ધમાકો થઈ ગયો. એક-એક કરીને ઘણા બોમ્બ ફાટવા માંડ્યા. ધડાકાના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા

ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલા જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં બની રહેલા રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા અને તેના લોકાર્પણની હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ, આશા રાખવામાં આવી રહી છે કે, આ વર્ષે 31 ડિસેમ્બરથી આવનારા વર્ષના શરૂઆતમાં 15 જાન્યુઆરીની વચ્ચે કોઈ શુભ દિવસે આ કાર્ય કરવામાં આવી શકે છે.

ચંપત રાયે કહ્યું કે, હાલ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના લોકાર્પણની તારીખ માત્ર મીડિયામાં જ ચર્ચામાં છે અને આ અંગે હજુ ન્યાસમાં કોઈ વાત નથી થઈ. તેમણે અયોધ્યામાં થઈ રહેલા રામ જન્મભૂમિ મંદિર નિર્માણની પ્રગતિને ઉત્સાહવર્ધક ગણાવી અને કહ્યું કે, ત્યારબાદ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની વચ્ચે કોઈ શુભ દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થઈ જશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.