અયોધ્યા રામ મંદિરની ધર્મ ધ્વજા પર અંકિત થયેલું કોવિદારનું વૃક્ષ શું છે, જાણો

અયોધ્યા રામ મંદિરના ધ્વજ પર સૂર્ય સાથે-સાથે કોવિદાર વૃક્ષ પણ અંકિત કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તે રાજા રામના રઘુકુળના તેજ, ​​બલિદાન અને તપનું પ્રતિક છે. ઘણા બધા ઔષધીય ગુણધર્મો ધરાવતું આ વૃક્ષ અવધ પ્રદેશ માટે સામાન્ય છે. તેને કચનાર, કચનાલ અથવા કંછનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉત્તર ભારતના હિમાલયની તળેટીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેનો ઉલ્લેખ કાલિદાસની રચનાઓ- રઘુવંશ અને મેઘદૂતમાં મળે છે. આ ઉપરાંત પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિના ગ્રંથોમાં પણ કોવિદારનો વ્યાપક ઉલ્લેખ મળે છે.

વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે, ‘એ મહાત્મા (ભરત)ના ધ્વજ પર કોવિદાર વૃક્ષ સુશોભિત થઈ રહ્યું છે. હું પોતાના વિવેક અને સુંદર હાથી પરથી પણ આવું અનુમાન લગાવું છું કે તે ભરત જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અયોધ્યામાં પોતાના ભાષણમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો.

Alcohol
zinniahealth.com

અયોધ્યા કાંડમાં કહેવામાં આવ્યું છે કે,

વિભાતિ કોવિદારશ્ચ ધ્વજે તસ્ય મહાત્મનઃ।

તર્કયામિ મતિં ચૈવ તં ચૈવ વરવારણમ્ ॥

કવિ કાલિદાસ કચનાર વૃક્ષની સુંદરતાથી એટલા મુગ્ધ થયા છે કે તેમણે મેઘદૂતમાં મેધને સીધા કહ્યું કે તમારા મિત્રનું પ્રાંગણ કોવિદાર ફૂલોથી ભરેલું છે. તેઓ લખે છે- કોવિદારઃ કુસુમિતસ્તવ સખ્યુરાગ્રે

કિરાતાર્જૂનિયમથી  લઇને આજ સુધીના કવિઓએ કચનાર વૃક્ષની સુંદરતાનું વિવિધ રીતે વર્ણન કર્યું છે. પરંતુ તેની સુંદરતામાં મર્યાદાઓ પણ છે. તે મર્યાદા લોકોકલ્યાણની છે. પ્રાચીન ગ્રંથો અનુસાર, તેની છાલ, પાંદડા અને ફૂલો રોગો મટાડે છે. તેનું વૈજ્ઞાનિક નામ બૌહિનિયા વેરિગાટા છે. તે મૂળ ભારતનું છે. જો કે, તે નેપાળ, મ્યાંમાર અને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક અન્ય દેશોમાં પણ જોવા મળે છે. તે સામાન્ય રીતે 8 થી 12 મીટરની ઊંચાઈ સુધી વધે છે. પાનખર દરમિયાન તેના પાંદડા ફેબ્રુઆરી અને માર્ચમાં ખરી પડે છે, અને આખું વૃક્ષ સુંદર લાલ, ગુલાબી અને જાંબલી રંગના સુંદર ફૂલોથી લદાઇ જાય છે. તેને અંગ્રેજીમાં ઊંટના પગ જેવું ઝાડ પણ કહેવામાં આવે છે કારણ કે તેના પાંદડા બે ભાગમાં વહેંચાયેલા હોય છે.

kovidar2
flowersofindia.net

ચરક સંહિતાથી લઈને સુશ્રુત સંહિતા, ભાવ પ્રકાશ અને રાજનિઘંટુંમાં તેના ઔષધીય ગુણધર્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચરક સંહિતામાં તેને કૃમિનાશક છે અને તેમાં એસ્ટ્રિંજન્ટના ગુણધર્મોવાળું ગણાવ્યું છે. સુશ્રુત સંહિતા તેને ગળાના ગઠ્ઠાથી લઈને કોઢ સુધીની બીમારીઓ માટે ઉપયોગી ગણાવ્યું છે. અન્ય ઘણા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ઉધરસ માટે ઉપયોગી તરીકે કરવામાં આવ્યો છે.

કોવિદારની છાલને પાંચન ઉપરાંગ થાઇરોઇડ જેવી બીમારીઓની સારવાર માટે દવા બનાવવામાં પણ થાય છે. ઘણી જગ્યાએ કચનારને રાયતાના રૂપમાં ખૂબ જ ખાવામાં આવે છે. આ ઉપરાંત કચનારની શિંગોનું શાક પણ બનાવવામાં આવે છે. તેની સુંદરતા અને ઔષધીય ગુણધર્મોને કારણે તે રઘુકુળ કુળના ધ્વજ પર પ્રતિક તરીકે અંકિત કરવામાં આવ્યું હતું. આ વખતે રામ મંદિરના ધર્મ ધ્વજ પર કોવિદાર ઉપરાંત, રઘુકુળ કુળના આદિ પુરુષ સૂર્ય અને ઓમકાર ચિહ્ન પણ અંકિત કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.