પહેલા મફત ટેબલેટનું વિતરણ, હવે સરકાર માગે છે પરત, નહીં આપે તો થશે મુશ્કેલી

હરિયાણા સરકારે વિદ્યાર્થીઓને શાળાઓમાં વહેંચવામાં આવેલ ટેબલેટ પરત કરવા જણાવ્યું છે. ગત વર્ષે BJP-JJP સરકાર દ્વારા એક કલ્યાણકારી યોજના હેઠળ મફત ટેબલેટ આપવામાં આવ્યા હતા. હવે સરકાર તેમને પરત માંગી રહી છે. આ સંદર્ભે, શાળા શિક્ષણ નિયામક (DSE)એ શાળાઓના આચાર્યોને સૂચના આપી છે કે, જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ટેબલેટ પરત કર્યા નથી તેમને પરીક્ષા માટે રોલ નંબર ફાળવવામાં ન આવે.

DSE દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને 9 ફેબ્રુઆરીએ સૂચનાઓ મોકલી દેવામાં આવી હતી. ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરીને, DSEએ કાયમી સંચાલન પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી છે. આ મુજબ વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે આપવામાં આવેલા ટેબલેટ તેમની શાળામાં જમા કરાવવાના રહેશે. નિર્દેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જઈ રહ્યા છે, તેઓએ તેમના ટેબલેટ તેમની સંબંધિત શાળાઓને પરત કરવા પડશે. તેવી જ રીતે, ધોરણ 12 પાસ કર્યા પછી ગ્રેજ્યુએટ (ડિગ્રી) કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ ટેબલેટ પરત કરવાની સૂચના આપવામાં આવી છે.

ટેબલેટ એકત્રિત કરવા માટેના SOP મુજબ, જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ટેબલેટ પાછા લીધા પછી, તેમને રીસેટ કરવાના રહેશે. તેમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર મેળવતા પહેલા ટેબલેટ સાથે આપવામાં આવેલ ચાર્જર, સિમ કાર્ડ અને અન્ય એસેસરીઝ પણ તેમની સંબંધિત શાળાઓમાં જમા કરાવવાના રહેશે.

સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈપણ વિદ્યાર્થીને ટેબલેટ પાછું મેળવ્યા વિના રોલ નંબર આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી પાસે ટેબલેટ બોક્સ ન હોય, તો શિક્ષકો એ ખાતરી કરશે કે IMEI નંબર ટેબલેટની પાછળની બાજુએ કાયમી માર્કર સાથે લખાયેલો છે.'

આ ઉપરાંત શિક્ષકોને વિદ્યાર્થીનું નામ, ટેબલેટનો સીરીયલ નંબર, માતા-પિતાનું નામ, વિદ્યાર્થીનો આધાર નંબર અને ટેબલેટ તૂટેલું કે ચાર્જર તૂટેલું હોય તેવા કિસ્સામાં રીમાર્કસ સહિતનો રેકોર્ડ રાખવા પણ કહેવામાં આવ્યું છે. કોરોના રોગચાળા દરમિયાન, હરિયાણા સરકારે વિદ્યાર્થીઓને ઑનલાઇન મોડ દ્વારા યોગ્ય સહાય પૂરી પાડવા માટે પોર્ટલ શરૂ કર્યું હતું, જેથી વિદ્યાર્થીઓ કોઈપણ બ્રેક વિના તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે. આ દરમિયાન વિદ્યાર્થીઓને આ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેબલેટ પરત લેવામાં આવ્યા બાદ નવા વિદ્યાર્થીઓને ફરીથી ટેબલેટ ફાળવવામાં આવશે.

મે 2022માં, હરિયાણા સરકારે રાજ્યભરની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને મફત ટેબલેટનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. ઈ-લર્નિંગ યોજના હેઠળ લગભગ પાંચ લાખ આવા ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટેબલેટની સાથે 2GB ફ્રી ડેટા સાથેના સિમ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ટેબલેટ વ્યક્તિગત અનુકૂલનશીલ શિક્ષણ અને મોબાઇલ ઉપકરણ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ હતા, જેથી તેનો ઉપયોગ ફક્ત ઑનલાઇન વર્ગો માટે થઈ શકે.

રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના 'ઇ-લર્નિંગ-એડવાન્સ ડિજિટલ હરિયાણા ઇનિશિયેટિવ ઑફ ગવર્નમેન્ટ વિથ એડેપ્ટિવ મોડ્યુલ્સ' 5 મે, 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના ટાગોર ઓડિટોરિયમમાં 5 મેના રોજ પ્રથમ વખત ટેબલેટ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં CM મનોહર લાલ ખટ્ટર મુખ્ય અતિથિ હતા.

અગાઉ, રાજ્યના શિક્ષણ પ્રધાન કંવર પાલ ગુર્જરે ગયા વર્ષે એપ્રિલમાં નક્કી કર્યું હતું કે, સરકાર અન્ય વિદ્યાર્થીઓને વિતરિત કરાયેલા તમામ મફત ટેબલેટ પાછા લેશે. એક સરકારી અધિકારીએ ત્યારે કહ્યું હતું કે, વિતરણ કરવામાં આવી રહેલા ટેબલેટ સેમસંગ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 12,000 રૂપિયા હતી અને તેની એક વર્ષની વોરંટી હતી.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.