CAA હેઠળ પહેલીવાર ભારતીય નાગરિકતા મળી, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર મળ્યું

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના બહાર પાડ્યા પછી, આજે પ્રથમ વખત, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા. આ સાથે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ 14 લોકોને તેમની અરજીઓ એક પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કર્યા પછી પ્રમાણપત્રો આપ્યા હતા. આ ઉપરાંત, નાગરિકતા સંશોધન કાયદા વિશેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અરજદારોને જણાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ, ડાયરેક્ટર અને રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2024ને નોટિફાઈ કર્યું હતું. આમાં, અરજી કરવાની પદ્ધતિઓ, જિલ્લા સ્તરીય સમિતિ (DLC) દ્વારા અરજીની પ્રક્રિયાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.

નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી તો પસાર થઇ ગયું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. ત્યાર પછી તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. અને પછી ચૂંટણી આવી. બીજી વખત ચૂંટણી પછી, નવી સરકારની રચના કરવામાં આવી, તેથી તે ફરીથી ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવી. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી, આ 10 જાન્યુઆરી, 2020થી કાયદો બની ગયો, પરંતુ તેનું નોટિફિકેશન આ વર્ષે 11 માર્ચે બહાર પાડવામાં આવ્યું.

આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે, વ્યક્તિએ વેબસાઇટ indiancitizenshiponline.nic.in પર જવું પડશે. આ સિવાય CAA-2019 નામની એપ દ્વારા પણ અરજી કરી શકાય છે. નાગરિકતા માટે 29 દસ્તાવેજોની જરૂર પડશે. તેમાંથી નવ દસ્તાવેજો સાબિત કરશે કે, તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનના નાગરિક છો. જ્યારે બાકીના 20 દસ્તાવેજો તમે જે તારીખે ભારતમાં પ્રવેશ્યા છો તેનો પુરાવો હશે.

ઓનલાઈન અરજી કર્યા પછી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આ પછી સમિતિ અરજદારને Email/SMS દ્વારા જાણ કરશે કે, તેણે મૂળ દસ્તાવેજો સાથે રૂબરૂ આવવા માટે આ તારીખ અને સમયે આવવું. જો દસ્તાવેજો વ્યવસ્થિત હશે, તો નિયુક્ત અધિકારી ઓનલાઈન પ્રમાણિત કરશે કે, કાગળો ચકાસવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ કમિટી ઓથ ઓફ એલિયન્સ પણ અપલોડ કરશે અને એમ્પાવર્ડ પેનલને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં અરજી મોકલશે. આ પેનલ પછી આ બાબતની તપાસ કરશે અને અરજીને મંજૂર અથવા નકારી કાઢશે અને અંતે, અરજી કરનારને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમને નાગરિકતા આપવામાં આવશે, તેઓ ભારતમાં પ્રવેશ્યાની તારીખથી ભારતીય નાગરિક તરીકે માન્ય ગણાશે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.