CAA હેઠળ પહેલીવાર ભારતીય નાગરિકતા મળી, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર મળ્યું

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના બહાર પાડ્યા પછી, આજે પ્રથમ વખત, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા. આ સાથે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ 14 લોકોને તેમની અરજીઓ એક પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કર્યા પછી પ્રમાણપત્રો આપ્યા હતા. આ ઉપરાંત, નાગરિકતા સંશોધન કાયદા વિશેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અરજદારોને જણાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ, ડાયરેક્ટર અને રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2024ને નોટિફાઈ કર્યું હતું. આમાં, અરજી કરવાની પદ્ધતિઓ, જિલ્લા સ્તરીય સમિતિ (DLC) દ્વારા અરજીની પ્રક્રિયાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.

નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી તો પસાર થઇ ગયું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. ત્યાર પછી તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. અને પછી ચૂંટણી આવી. બીજી વખત ચૂંટણી પછી, નવી સરકારની રચના કરવામાં આવી, તેથી તે ફરીથી ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવી. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી, આ 10 જાન્યુઆરી, 2020થી કાયદો બની ગયો, પરંતુ તેનું નોટિફિકેશન આ વર્ષે 11 માર્ચે બહાર પાડવામાં આવ્યું.

આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે, વ્યક્તિએ વેબસાઇટ indiancitizenshiponline.nic.in પર જવું પડશે. આ સિવાય CAA-2019 નામની એપ દ્વારા પણ અરજી કરી શકાય છે. નાગરિકતા માટે 29 દસ્તાવેજોની જરૂર પડશે. તેમાંથી નવ દસ્તાવેજો સાબિત કરશે કે, તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનના નાગરિક છો. જ્યારે બાકીના 20 દસ્તાવેજો તમે જે તારીખે ભારતમાં પ્રવેશ્યા છો તેનો પુરાવો હશે.

ઓનલાઈન અરજી કર્યા પછી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આ પછી સમિતિ અરજદારને Email/SMS દ્વારા જાણ કરશે કે, તેણે મૂળ દસ્તાવેજો સાથે રૂબરૂ આવવા માટે આ તારીખ અને સમયે આવવું. જો દસ્તાવેજો વ્યવસ્થિત હશે, તો નિયુક્ત અધિકારી ઓનલાઈન પ્રમાણિત કરશે કે, કાગળો ચકાસવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ કમિટી ઓથ ઓફ એલિયન્સ પણ અપલોડ કરશે અને એમ્પાવર્ડ પેનલને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં અરજી મોકલશે. આ પેનલ પછી આ બાબતની તપાસ કરશે અને અરજીને મંજૂર અથવા નકારી કાઢશે અને અંતે, અરજી કરનારને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમને નાગરિકતા આપવામાં આવશે, તેઓ ભારતમાં પ્રવેશ્યાની તારીખથી ભારતીય નાગરિક તરીકે માન્ય ગણાશે.

Top News

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Gujarat 
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Copyright (c) Khabarchhe All Rights Reserved.