CAA હેઠળ પહેલીવાર ભારતીય નાગરિકતા મળી, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર મળ્યું

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના બહાર પાડ્યા પછી, આજે પ્રથમ વખત, 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા. આ સાથે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ 14 લોકોને તેમની અરજીઓ એક પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કર્યા પછી પ્રમાણપત્રો આપ્યા હતા. આ ઉપરાંત, નાગરિકતા સંશોધન કાયદા વિશેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અરજદારોને જણાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ, ડાયરેક્ટર અને રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2024ને નોટિફાઈ કર્યું હતું. આમાં, અરજી કરવાની પદ્ધતિઓ, જિલ્લા સ્તરીય સમિતિ (DLC) દ્વારા અરજીની પ્રક્રિયાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.

નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી તો પસાર થઇ ગયું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. ત્યાર પછી તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. અને પછી ચૂંટણી આવી. બીજી વખત ચૂંટણી પછી, નવી સરકારની રચના કરવામાં આવી, તેથી તે ફરીથી ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવી. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી, આ 10 જાન્યુઆરી, 2020થી કાયદો બની ગયો, પરંતુ તેનું નોટિફિકેશન આ વર્ષે 11 માર્ચે બહાર પાડવામાં આવ્યું.

આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે, વ્યક્તિએ વેબસાઇટ indiancitizenshiponline.nic.in પર જવું પડશે. આ સિવાય CAA-2019 નામની એપ દ્વારા પણ અરજી કરી શકાય છે. નાગરિકતા માટે 29 દસ્તાવેજોની જરૂર પડશે. તેમાંથી નવ દસ્તાવેજો સાબિત કરશે કે, તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનના નાગરિક છો. જ્યારે બાકીના 20 દસ્તાવેજો તમે જે તારીખે ભારતમાં પ્રવેશ્યા છો તેનો પુરાવો હશે.

ઓનલાઈન અરજી કર્યા પછી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આ પછી સમિતિ અરજદારને Email/SMS દ્વારા જાણ કરશે કે, તેણે મૂળ દસ્તાવેજો સાથે રૂબરૂ આવવા માટે આ તારીખ અને સમયે આવવું. જો દસ્તાવેજો વ્યવસ્થિત હશે, તો નિયુક્ત અધિકારી ઓનલાઈન પ્રમાણિત કરશે કે, કાગળો ચકાસવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ કમિટી ઓથ ઓફ એલિયન્સ પણ અપલોડ કરશે અને એમ્પાવર્ડ પેનલને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં અરજી મોકલશે. આ પેનલ પછી આ બાબતની તપાસ કરશે અને અરજીને મંજૂર અથવા નકારી કાઢશે અને અંતે, અરજી કરનારને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમને નાગરિકતા આપવામાં આવશે, તેઓ ભારતમાં પ્રવેશ્યાની તારીખથી ભારતીય નાગરિક તરીકે માન્ય ગણાશે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.