મહાભારતના ટાઇમથી છે ગાઝિયાબાદ પણ નામ બીજુ હતું, શું યોગી હવે બદલી નાંખશે?

દિલ્હીથી નજીક ઉત્તર પ્રદેશના મુખ્ય શહેર ગાઝિયાબાદનું નામ શું બદલવામાં આવશે. ફરી એક વખત ગાઝિયાબાદનું નામ બદલવાની ચર્ચા તેજ થઈ ગઈ છે. વર્ષ 2018માં અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ તેના પર શરૂ થઈ ચૂકેલી ચર્ચા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચી ચૂકી છે. સંભવ છે જલદી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રસ્તાવ પાસ કરીને આ દિશામાં પગલું આગળ વધારી દેવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાઝિયાબાદના નવા નામના રૂપમાં 2 વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે ગજનગર અને હરનંદીનગર.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વોર્ડ નંબર 100ના ભારતીય જનતા પાર્ટી (BJP) કોર્પોરેટર સંજય સિંહે પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ કર્યો છે, જેને બોર્ડની બેઠકમાં ચર્ચા માટે લાવી શકાય છે. સદનમાં ભાજપ પાસે બહુમત હોવાના કારણે પ્રસ્તાવ પાસ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાઝિયાબાદના મેયર સુનિતા દયાળે શહેરનું નામ બદલવાનો પ્રસ્તાવ મળવાની પુષ્ટિ કરી છે.

એ અગાઉ વર્ષ 2022માં પણ દુધેશ્વર નાથ મંદિરના પૂજારી મહંત નારાયણ ગિરીએ ગાઝિયાબાદનું નામ બદલવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને આવેદન આપતા કેટલાક નામોનું સૂચન કર્યું હતું. તેમણે ગાઝિયાબાદનું નામ ગજપ્રસ્થ, દૂધેશ્વર નગર કે હરનંદીપુરમ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગિરીએ કહ્યું હતું કે આ નગર મહાભારતકાલિન છે અને એક સમયે હસ્તિનાપુરનો હિસ્સો રહેતું હતું, જે અહીથી માત્ર 40 કિલોમીટર દૂર છે. આ અગાઉ અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરી દેવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.