2019 ચૂંટણી પહેલા સરકાર 3 લાખ કરોડ RBIમાંથી કાઢવા માગતી હતીઃ પૂર્વ ડે.ગવર્નર

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ દાવો કર્યો છે કે વર્ષ 2018માં સરકારમાં બેઠેલો કેટલાંક લોકો 2019ની ચૂંટણી પહેલાં લોકોને લોભામણી લાલચ આપવા માટે RBIમાંથી 3 લાખ કરોડ ઉપાડવા માંગતા હતા, પરંતુ RBI તરફથી તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરલ આચાર્ય તેમના પુસ્તકમાં લખ્યું છે કે 2019ની ચૂંટણી માટે સરકાર RBIના 3 લાખ કરોડનો ઉપયોગ કરવા માંગતી હતી, પરંતુ વિરોધને કારણે એ શક્ય બન્યું નહોતું અને એ પછી RBI અને સરકાર વચ્ચે મતભેદો વધી ગયા હતા.

તે સમયે સરકારે RBIને સૂચના જારી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એક્ટની કલમ 7નો ઉપયોગ કરવાની ચેતવણી પણ આપી હતી. આ મામલો સૌપ્રથમ RBI ના તત્કાલિન ડેપ્યુટી ગવર્નર આચાર્યે 26 ઓક્ટોબર, 2018ના રોજ એક લેક્ચરમાં ઉઠાવ્યો હતો. હવે આ એપિસોડને તેમના પુસ્તક 'ક્વેસ્ટ ફોર રિસ્ટોરિંગ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઈન ઈન્ડિયા'ના નવા પ્રસ્તાવનામાં પણ મુખ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આમાં, સરકારના પ્રયાસોને કેન્દ્ર દ્વારા રાજકોષીય ખાધના પાછલા દરવાજેથી નાણાબંધી તરીકે વર્ણવવામાં આવ્યો છે.

આચાર્યએ વર્ષ 2020માં પહેલીવાર પ્રકાશિત પોતાના પુસ્તકના નવા સંસ્કરણની પ્રસ્તાવનામાં કહ્યું કે નોકર શાહ અને સરકારમાં બેઠેલો લોકો અગાઉની સરકારોના કાર્યકાળમાં RBIમાં જમા થયેલી મોટી રકમને વર્તમાન સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી હતી.

RBI દર વર્ષે પોતાનો નફો પુરેપુરો સરકારને આપવાને બદલે તેમાંનો કેટલોક હિસ્સો અલગ રાખે છે. આ હિસ્સો વર્ષો જતા મોટી રકમમાં બદલાઇ જાય છે. આચાર્યએ કહ્યુ કે 2016ની નોટબંધી પહેલાના 3 વર્ષોમાં RBIએ સરકારને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. પરંતુ નોટબંધીના વર્ષોમાં ચલણી નોટના પ્રિન્ટીંગ પાછળનો ખર્ચ વધવાને કારણે સરકારને ટ્રાન્સફરની રકમમાં ઘટાડો થયો હતો. એવી સ્થિતિમાં 2019માં ચૂંટણી પહેલા સરકારે પોતાની ડિમાન્ડ વધારી દીધી હતી, કારણકે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને ચૂકી જવાથી રાજકોષીય ખાધ વધી હતી.

તેમણે સરકારના ઇરાદા પર નિશાન સાધીને કહ્યુ છે કે જ્યારે કેન્દ્ર બેંક પાસે આટલી મોટી રકમ પડી છે તો પછી ચૂંટણી ખર્ચ પર કાપ મુકવાની શું જરૂર છે. વિરલ આચાર્ય RBIમાં ડેપ્યુટી ગર્વનર પદે હતા અને તેમણે પોતાના કાર્યકાળ પુરો થવાના 6 મહિના પહેલા 2019માં રાજીનામું આપી દીધું હતું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.