વંધત્વ સંબંધિત ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 9 ટકા વ્યાજ સાથે અપાવ્યો

તાજેતરના એક મહત્ત્વના કેસમાં મહિલા વીમેદારે ગર્ભાશયમાં ગાંઠ અંગે કરાવેલ Laparoscopic Myomectomy તરીકે ઓળખાતું ઓપરેશન સંબંધિત ઇન્સ્યોરન્સ ક્લેઇમ સર્જકિલ ટ્રીટમેન્ટ વંધત્વ સંબંધિત હોવાનું જણાવી કલેઇમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થઈ હોવાનું ઠરાવી સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડિશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ કે.જે.દર્શોદી અને સભ્ય પૂર્વી જોષીએ કરેલ હુકમમાં ફરિયાદી વિમેદારને કલેઇમના રૂપિયા 78,877 વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત તેમજ વળતર/ખર્ચ સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપ્યો છે.

કેસની વિગત મુજબ દિપકકુમાર પટેલ (નામ બદલ્યું છે.) તથા તેમના પત્ની દિપાબેન પટેલ(નામ બદલ્યું છે.) એ પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ મારફત ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ ડું. લિ. (સામાવાળા) વિરુધ્ધ કરેલી ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદીએ પોતાનો તેમજ પત્નીનો New India Floater Mediclaim તરીકે ઓળખાતો વીમો વીમાકંપની પાસેથી લીધેલો.  વીમો અમલમાં હતો તે દરમ્યાન  ફરિયાદીને પેટમાં દુઃખાવો જેવી તકલીફો જણાતા શહેરઃ સુરત મુકામે આવેલ હોસ્પિટલ ખાતે જરૂરી ટેસ્ટસ કરાવેલા. જેના રીપોર્ટના આધારે ફરિયાદીને ઓપરેશન કરાવવાની સલાહ આપેલ. જેથી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવેલ. અને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલ. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. કુલ ખર્ચ રૂા. 78,877 થયેલો. જેથી ફરિયાદીઓએ વીમાકંપની સમક્ષ ક્લેઇમ કરેલો હતો.

 વીમા કંપનીના ટી.પી.એ દ્વારા ફરિયાદીનો ક્લેઇમ સહિ વગરના પત્રથી નામંજુર કરેલ. વીમા કંપનીએ ફરિયાદીનો કલેમ ન ચૂકવેલ. જેથી ફરિયાદીઓએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી.

ફરિયાદી તરફે એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ/ઇશાન દેસાઈનાએ દલીલો કરી હતી. સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ કે.જે.દસોંદી અને સભ્ય પુવી જોષીએ હુકમમાં જણાવ્યું હતું કે, વીમા કંપનીએ ખોટા કારણસર ફરિયાદીનો કલેઇમ નામંજુર કરી સેવામાં કસુર કરેલ છે. તેવું ઠરાવી કલેમની રકમ રૂા. 78,877/- વાર્ષિક 9 % લેખેના સાદા વ્યાજ સહિત તથા વળતર+ખર્ચ માટે બીજા રૂા. 5,૦૦૦/- સહિત ફરિયાદીને ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

 

About The Author

Related Posts

Top News

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.