વિપક્ષોને ભેગા કરવા નીકળેલા નીતિશ કુમારને સાથીઓ જ છોડી રહ્યા છે, માઝીએ સમર્થન...

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના સંરક્ષક જીતન રામ માંઝીએ નીતિશ કુમારના નેતૃત્વમાં ચાલી રહેલી મહાગઠબંધન સરકાર સાથેનું સમર્થન પાછું લેવા માટે રાજ્યપાલને પત્ર સોંપી દીધો છે. તેમણે કહ્યું કે, તેઓ હવે દિલ્હી જઈ રહ્યા છે અને 2-3 દિવસ ત્યાં રહેશે. આ દરમિયાન તેઓ બહુજન સમાજ પાર્ટી (BSP), કોંગ્રેસ અને NDAના ઘણા નેતાઓને મળી શકે છે. તેમણે માયાવતી, રાહુલ ગાંધી અને અમિત શાહ સાથે મુલાકાત કરવાના સંકેત આપ્યા છે.

સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સ્વાસ્થ્યના કારણોથી પણ ત્યાં જઈ રહ્યા છે. હિન્દુસ્તાન આવામ મોરચાના અધ્યક્ષ સંતોષ માંઝીએ મહાગઠબંધન સરકારથી સમર્થન પાછું લેવાની જાહેરાત કરી છે. તેમણે તેના માટે સોમવારે સાંજે બિહારના રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો. જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના મહાગઠબંધન સરકારથી અલગ થયા બાદ સોમવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકરિણીની બેઠક બાદ હિન્દુસ્તાન આવામ પાર્ટીના અધ્યક્ષ અને જીતન રામ માંઝીના પુત્રએ પ્રેસ કોન્ફરન્સમાં મહાગઠબંધન સરકારથી સમર્થન પરત લેવાની સત્તાવાર ઔપચારિકતા પૂરી કરવાની વાત કહી હતી.

સંતોષ સુમને ગઠબંધનને લઈને પાર્ટી નેતાઓ કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે, આ નિર્ણય તેમના માટે પડકાર અને પરીક્ષાનો સમય છે. પાર્ટીની ભલાઇ અને તેને વધારવા અને વિસ્તાર માટે જે પણ નિર્ણય હશે તેના પર વિચાર કરીશું. સંતોષ સુમને કહ્યું કે, અત્યારે હાલમાં તેઓ (પાર્ટીના પ્રમુખ નેતા) દિલ્હી જઈ રહ્યા છે અને એવું નથી કે અમે લોકોએ ગઠબંધનને લઈને નિર્ણય કરી લીધો છે. અત્યારે આપણાં વિકલ્પ ખુલ્લા છે.

તેમણે કહ્યું કે, જો NDAના નેતાઓ તરફથી તેમને બુલાવો આવ્યો તો તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ અમે એક થર્ડ ફ્રન્ટની પણ વાત કરીશું. ઘણી બધી અન્ય પાર્ટીઓ, NGO અને સામાજિક વિકાસકર્તાઓ છે. તેમની સાથે પણ અમારી વાત થશે અને તેનું જે પણ પરિણામ હશે તે 3-4 દિવસમાં તમને બતાવી દેવામાં આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.