વિપક્ષોને ભેગા કરવા નીકળેલા નીતિશ કુમારને સાથીઓ જ છોડી રહ્યા છે, માઝીએ સમર્થન...

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના સંરક્ષક જીતન રામ માંઝીએ નીતિશ કુમારના નેતૃત્વમાં ચાલી રહેલી મહાગઠબંધન સરકાર સાથેનું સમર્થન પાછું લેવા માટે રાજ્યપાલને પત્ર સોંપી દીધો છે. તેમણે કહ્યું કે, તેઓ હવે દિલ્હી જઈ રહ્યા છે અને 2-3 દિવસ ત્યાં રહેશે. આ દરમિયાન તેઓ બહુજન સમાજ પાર્ટી (BSP), કોંગ્રેસ અને NDAના ઘણા નેતાઓને મળી શકે છે. તેમણે માયાવતી, રાહુલ ગાંધી અને અમિત શાહ સાથે મુલાકાત કરવાના સંકેત આપ્યા છે.

સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સ્વાસ્થ્યના કારણોથી પણ ત્યાં જઈ રહ્યા છે. હિન્દુસ્તાન આવામ મોરચાના અધ્યક્ષ સંતોષ માંઝીએ મહાગઠબંધન સરકારથી સમર્થન પાછું લેવાની જાહેરાત કરી છે. તેમણે તેના માટે સોમવારે સાંજે બિહારના રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો. જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ના મહાગઠબંધન સરકારથી અલગ થયા બાદ સોમવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકરિણીની બેઠક બાદ હિન્દુસ્તાન આવામ પાર્ટીના અધ્યક્ષ અને જીતન રામ માંઝીના પુત્રએ પ્રેસ કોન્ફરન્સમાં મહાગઠબંધન સરકારથી સમર્થન પરત લેવાની સત્તાવાર ઔપચારિકતા પૂરી કરવાની વાત કહી હતી.

સંતોષ સુમને ગઠબંધનને લઈને પાર્ટી નેતાઓ કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે, આ નિર્ણય તેમના માટે પડકાર અને પરીક્ષાનો સમય છે. પાર્ટીની ભલાઇ અને તેને વધારવા અને વિસ્તાર માટે જે પણ નિર્ણય હશે તેના પર વિચાર કરીશું. સંતોષ સુમને કહ્યું કે, અત્યારે હાલમાં તેઓ (પાર્ટીના પ્રમુખ નેતા) દિલ્હી જઈ રહ્યા છે અને એવું નથી કે અમે લોકોએ ગઠબંધનને લઈને નિર્ણય કરી લીધો છે. અત્યારે આપણાં વિકલ્પ ખુલ્લા છે.

તેમણે કહ્યું કે, જો NDAના નેતાઓ તરફથી તેમને બુલાવો આવ્યો તો તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ અમે એક થર્ડ ફ્રન્ટની પણ વાત કરીશું. ઘણી બધી અન્ય પાર્ટીઓ, NGO અને સામાજિક વિકાસકર્તાઓ છે. તેમની સાથે પણ અમારી વાત થશે અને તેનું જે પણ પરિણામ હશે તે 3-4 દિવસમાં તમને બતાવી દેવામાં આવશે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.