'હિંદુઓ માંસ તો ખાય, પણ આ પ્રકારનું...', કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આપી સલાહ

On

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ તેમના સંસદીય ક્ષેત્ર બેગુસરાયમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હિંદુઓને તેમના ધર્મનું પાલન કરવા અને માત્ર ઝટકા માંસ ખાવાનું કહ્યું હતું. ગિરિરાજ સિંહે તેમના સમર્થકોને હલાલ માંસ ખાવા સામે પ્રતિજ્ઞા લેવાનું પણ કહ્યું હતું. કહ્યું કે હલાલ માંસ ખાઈને પોતાને ભ્રષ્ટ ન કરવો જોઈએ.

પ્રવચન દરમિયાન મંત્રીએ નવું બિઝનેસ મોડલ રજૂ કર્યું અને માત્ર 'ઝટકા' માંસ વેચતી દુકાનો શરૂ કરવાની વાત પણ કરી. ગિરિરાજ સિંહે આ ભાષણ અંગે મીડિયા સૂત્રો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સનાતન ધર્મમાં બલિદાનની પ્રથા પ્રાચીન સમયથી છે. એક મંદિરમાં એક ધાર્મિક ટ્રસ્ટે કહ્યું કે, ત્યાં બલિદાનની પ્રથા બંધ કરવામાં આવે. હું તેને પૂછવા માંગુ છું કે, શું તમે બકરીદને રોકી શકશો? બલિદાનની પ્રથા એ આપણો ધર્મ છે. હું મુસ્લિમ ભાઈઓનું સન્માન કરું છું. હું તેને વંદન કરું છું. તેઓ તેમના ધર્મમાં એટલી અતૂટ શ્રદ્ધા ધરાવે છે કે, કોઈપણ મુસ્લિમ ભાઈ હલાલ સિવાય અન્ય કોઈ માંસ ખાતા નથી.'

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે, 'હું સનાતન હિન્દુ ભાઈઓને પણ વિનંતી કરું છું કે, તમારા ધર્મની રક્ષા કરવા અને ધર્મનું પાલન કરવા માટે તમે હલાલ માંસ ખાવાનું બંધ કરો અને માત્ર ઝટકા માંસ ખાઓ. જો તમને તે ન મળે, તો તે ખાશો નહીં. ગમે તેટલા દિવસ સુધી ના મળે તો પણ બીજું કોઈ માંસ ખાતા નહીં. જો તમે તે ખાવાનું શરૂ કરશો, તો લોકો તમારા ખાવા માટે તેની દુકાનો પણ ખોલશે.'

એટલું જ નહીં, ગિરિરાજે આવા કતલખાના સ્થાપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી જ્યાં ઝટકા મારીને પ્રાણીઓની કતલ કરવામાં આવે છે અને ત્યાં માત્ર ઝટકાનું માંસ વેચતી દુકાનો હોવી જોઈએ.

મીડિયા સૂત્રો અનુસાર, ગિરિરાજ સિંહના નિવેદન પર, JDU પ્રવક્તા નીરજ કુમારે કહ્યું, BJPને 33 હજાર વોલ્ટનો રાજકીય ઇલેક્ટ્રિક આંચકો લાગવા જઈ રહ્યો છે. I.N.D.I.A જોડાણની આગામી બેઠકના પરિણામો તેમણે ઝટકો આપશે. બિન-BJP પક્ષોની એકતા અને મતનું વિભાજન અટકાવવાથી BJPને ફટકો પડશે. જનતા હવે I.N.D.I.A ગઠબંધન દ્વારા NDAને ઝટકો આપવાની તૈયારી કરી રહી છે.

થોડા અઠવાડિયા પહેલા, ગિરિરાજ સિંહે CM નીતિશ કુમારને એક પત્ર લખીને UPની CM યોગી આદિત્યનાથ સરકારની જેમ બિહારમાં 'હલાલ' લેબલવાળા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.