‘દેશ દબાણમાં નથી...’, મોહન ભાગવતે આડકતરી રીતે ટ્રમ્પને આપી દીધી સલાહ, બોલ્યા- ‘ભારતે રસ્તો પસંદ કરી લીધો છે’

RSS ચીફ મોહન ભાગવતે ફરી એકવાર એક મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બોલતા તેમણે કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યું છે, પરંતુ કોઈપણ દેશના દબાણમાં નથી. ભલે કોઈ દેશ ટેરિફ લગાવે અથવા દબાણ બનાવે, ભારતે આત્મનિર્ભર બનવાનો માર્ગ પસંદ કરી લીધો છે અને તેના પર જ ચાલવું જોઈએ. ચાલો જાણીએ કે આ ઉપરાંત તેમણે બીજું શું કહ્યું.

આ ઉપરાંત ભાગવતે વધુમાં કહ્યું કે જો ભારત સાથે કંઈ સારું કે ખરાબ થાય છે, તો હિન્દુઓને સવાલ કરવામાં આવશે. ભારત માત્ર એક ભૌગોલિક ક્ષેત્ર નથી, પરંતુ વિચાર, સંસ્કૃતિ અને ચારિત્ર્યનું નામ છે. તેમણે એમ પણ કહ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવામાં કશું જ ખોટું નથી, પરંતુ સાચો હેતુ તે જ્ઞાનનો ઉપયોગ ભારત માટે કરવાનો હોવો જોઈએ. આજના યુવાનો સ્વાભાવિક રીતે દેશભક્ત છે અને રાષ્ટ્રવાદની ઊંડી ભાવના સમાજ અને દેશની વધુ સેવામાં બદલશે.

Mohan-Bhagwat1
ndtv.com

યુવાનોને સક્રિયપણે ભાગ લેવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, 100 વર્ષો સુધી, ઘણા લોકોએ સંઘ સાથે મળીને પાક્કું કર્યું કે જ્ઞાન અને સ્કિલ્સનો ઉપયોગ દેશના હિત માટે થાય. સંઘ કોઈની વિરુદ્ધ નથી; તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એક મજબૂત અને એકજૂથ સમાજનું નિર્માણ કરવાનો છે.

ગઈકાલે ભાગવતે કહ્યું હતું કે, ‘આપણે માત્ર સુપર પાવર જ નહીં, પરંતુ વિશ્વ ગુરુ પણ બનવાનું છે. એટલે ભાગવતે હિન્દુઓને અપીલ કરી ભારતને વિશ્વના કલ્યાણ માટે વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં કામ કરે. તેમણે વધુમાં કહ્યું કે, સનાતન ધર્મને ઉપર ઉઠાવવાનો સમય આવી ગયો છે. જે પ્રક્રિયા 100 વર્ષ અગાઉ શરૂ થઇ હતી, તેને હવે વધુ તેજીથી આગળ વધારવાની આપણા બધાની જવાબદારી છે.

Mohan-Bhagwat
thehindu.com

તેમણે યુવાનોને આ સામૂહિક પ્રયાસમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી. યુવા સંમેલનનું આયોજન MIT કોલેજ ખાતે થયું હતું, જ્યાં RSSના ચીફે સહભાગીઓ સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

About The Author

Top News

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમવાની છે....
Sports 
પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?

‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

કાનપુર શહેરના પંકી સેક્ટર-2માં આવેલી HDFC બેંક શાખા એ સમયે અખાડો બની ગઈ, જ્યારે એક મહિલા કર્મચારીએ...
National 
‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.