‘દેશ દબાણમાં નથી...’, મોહન ભાગવતે આડકતરી રીતે ટ્રમ્પને આપી દીધી સલાહ, બોલ્યા- ‘ભારતે રસ્તો પસંદ કરી લીધો છે’

RSS ચીફ મોહન ભાગવતે ફરી એકવાર એક મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બોલતા તેમણે કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યું છે, પરંતુ કોઈપણ દેશના દબાણમાં નથી. ભલે કોઈ દેશ ટેરિફ લગાવે અથવા દબાણ બનાવે, ભારતે આત્મનિર્ભર બનવાનો માર્ગ પસંદ કરી લીધો છે અને તેના પર જ ચાલવું જોઈએ. ચાલો જાણીએ કે આ ઉપરાંત તેમણે બીજું શું કહ્યું.

આ ઉપરાંત ભાગવતે વધુમાં કહ્યું કે જો ભારત સાથે કંઈ સારું કે ખરાબ થાય છે, તો હિન્દુઓને સવાલ કરવામાં આવશે. ભારત માત્ર એક ભૌગોલિક ક્ષેત્ર નથી, પરંતુ વિચાર, સંસ્કૃતિ અને ચારિત્ર્યનું નામ છે. તેમણે એમ પણ કહ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવામાં કશું જ ખોટું નથી, પરંતુ સાચો હેતુ તે જ્ઞાનનો ઉપયોગ ભારત માટે કરવાનો હોવો જોઈએ. આજના યુવાનો સ્વાભાવિક રીતે દેશભક્ત છે અને રાષ્ટ્રવાદની ઊંડી ભાવના સમાજ અને દેશની વધુ સેવામાં બદલશે.

Mohan-Bhagwat1
ndtv.com

યુવાનોને સક્રિયપણે ભાગ લેવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, 100 વર્ષો સુધી, ઘણા લોકોએ સંઘ સાથે મળીને પાક્કું કર્યું કે જ્ઞાન અને સ્કિલ્સનો ઉપયોગ દેશના હિત માટે થાય. સંઘ કોઈની વિરુદ્ધ નથી; તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એક મજબૂત અને એકજૂથ સમાજનું નિર્માણ કરવાનો છે.

ગઈકાલે ભાગવતે કહ્યું હતું કે, ‘આપણે માત્ર સુપર પાવર જ નહીં, પરંતુ વિશ્વ ગુરુ પણ બનવાનું છે. એટલે ભાગવતે હિન્દુઓને અપીલ કરી ભારતને વિશ્વના કલ્યાણ માટે વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં કામ કરે. તેમણે વધુમાં કહ્યું કે, સનાતન ધર્મને ઉપર ઉઠાવવાનો સમય આવી ગયો છે. જે પ્રક્રિયા 100 વર્ષ અગાઉ શરૂ થઇ હતી, તેને હવે વધુ તેજીથી આગળ વધારવાની આપણા બધાની જવાબદારી છે.

Mohan-Bhagwat
thehindu.com

તેમણે યુવાનોને આ સામૂહિક પ્રયાસમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી. યુવા સંમેલનનું આયોજન MIT કોલેજ ખાતે થયું હતું, જ્યાં RSSના ચીફે સહભાગીઓ સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

About The Author

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.