બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે રેસ્ટોરન્ટ અને હોટલના બિલોમાં પણ દેખાવા લાગી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક બિલોએ ગ્રાહકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જન્માવ્યો છે, કારણ કે હોટલ સંચાલકો હવે ખાવાના બિલમાં અલગથી 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' વસૂલી રહ્યા છે.

09

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિચિત્ર બિલો

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બેંગલુરુના એક જાણીતા કેફેની રસીદ વાયરલ થઈ છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે:

  • લેમોનેડ પર ગેસ ચાર્જ: એક ગ્રાહકે બે 'મિન્ટ લેમોનેડ' ઓર્ડર કર્યા હતા, જેનું બિલ ₹358 હતું. આ બિલમાં હોટલે 5% 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' એટલે કે ₹17.01 અલગથી ઉમેર્યા હતા.
  • ગ્રાહકોનો સવાલ: લોકો રમુજમાં અને ગુસ્સામાં પૂછી રહ્યા છે કે લીંબુ શરબત (લેમોનેડ) બનાવવામાં કયા ગેસનો ઉપયોગ થાય છે કે જેના પર આવો ચાર્જ વસૂલવામાં આવે છે?

આવી જ રીતે ચેન્નાઈની એક રેસ્ટોરન્ટના બિલમાં ઇડલી અને મેદુ વડા પર પણ અંદાજે ₹9.50 જેટલો ગેસ ચાર્જ લગાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુરુગ્રામમાં પણ મોમોઝની પ્લેટના ભાવમાં ₹20 નો વધારો કરી તેને 'ગેસ સંકટ' સાથે જોડવામાં આવ્યો છે.

10

મેનૂમાં ફેરફાર અને ઇન્ડક્શનનો વધતો વપરાશ

ગેસની અછતને કારણે ખાણીપીણીના બજારમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે:

  • મેનૂમાં બદલાવ: ગેસ બચાવવા માટે ઘણી જગ્યાએ લાંબો સમય રાંધવા પડતા ખોરાકને બદલે ઝડપથી તૈયાર થતી વાનગીઓ પીરસવામાં આવે છે. દા.ત. છોલે-ભટુરેને બદલે છોલે-ચાવલનો વિકલ્પ અપાઈ રહ્યો છે.
  • ઇન્ડક્શનની માંગ: ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનોને કારણે લોકો હવે ઇન્ડક્શન કૂકટોપ તરફ વળ્યા છે, પરિણામે બજારમાં ઇન્ડક્શનની માંગમાં ઉછાળો આવ્યો છે.
  • બંધ થતી હોટલો: મુંબઈ જેવા મોટા શહેરોમાં ગેસના અભાવે કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટ્સ કામચલાઉ ધોરણે બંધ કરવાની પણ ફરજ પડી છે.
LPG-Cylinder2
dynamitenews.com

શા માટે સર્જાયું છે આ સંકટ?

રિપોર્ટ્સ અનુસાર, આ ગેસ સંકટ પાછળ વૈશ્વિક કારણો જવાબદાર છે:

  1. મિડલ ઈસ્ટ સંઘર્ષ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ સપ્લાય ખોરવાયો છે.
  2. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait): ઉર્જા પુરવઠા માટે વિશ્વનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થયો છે, જે વિશ્વના મોટાભાગના તેલ અને એલએનજી (LNG) શિપમેન્ટ માટે મુખ્ય રસ્તો છે.

સરકારે કહ્યું છે સ્થિતિ કાબૂમાં છે. અફવાને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે. હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બે જહાજ ભારત ગેસ લઈને આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

મેરઠમાં એક નકલી IAS અધિકારીની ધરપકડથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. નકલી IAS અધિકારી તરીકે ઓળખીને પોલીસે ધરપકડ કરેલા રાહુલ...
National 
નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.