ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7 લોકો માર્યા ગયા અને 3 અન્ય ઘાયલ થયા. આ અકસ્માત પોતાની પાછળ એક મોટો પ્રશ્ન છોડી ગયો છે. ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? ચાલો સમજવાનો પ્રયાસ કરીએ કે ચાર્જિંગ પોઇન્ટ લગાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ.

ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સતત હાઇ-વોલ્ટેજ વીજળીનો ઉપયોગ કરે છે. તેથી, જો વાયરિંગ, ચાર્જર અથવા કનેક્શન યોગ્ય ન હોય, તો શોર્ટ સર્કિટ અથવા ઓવરહિટીંગનું જોખમ રહેલું છે. આનો અર્થ એ છે કે, અયોગ્ય ઇન્સ્ટોલેશન અથવા નબળી-ગુણવત્તાવાળા વાયરના ઉત્પાદનો ખતરનાક બની શકે છે. જો કે, ઇન્દોરની ઘટનાના મામલે હકીકતમાં શું થયું, કઈ કંપનીની કાર હતી અને ચાર્જર સ્થાનિક હતું કે કોઈ કંપનીનું હતું, તે તો તપાસ થયા પછી જ જાણી શકાશે, પરંતુ અહીં કેટલીક એવી સાવચેતીઓ છે કે જે આપણે લઈ શકીએ છીએ. તેના વિશે જાણી લઈએ...

Indore EV Charging Fire
jagran.com

તમારા ઘર અથવા ઓફિસમાં EV ચાર્જિંગ પોઇન્ટ ઇન્સ્ટોલ કરતી વખતે હંમેશા પ્રમાણિત અને અનુભવી ઇલેક્ટ્રિશિયનની મદદ લો. કાર કંપનીના નિષ્ણાતો દ્વારા વાયરિંગ કરાવવું એ હંમેશા શ્રેષ્ઠ રહેશે. હંમેશા કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો. જો થર્ડ-પાર્ટી ચાર્જર ઇન્સ્ટોલ કરી રહ્યા છો, તો તેને કંપનીના ઇલેક્ટ્રિશિયન દ્વારા જ ફીટ કરાવો. જો શક્ય હોય તો, યોગ્ય લોડ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે અલગથી સમર્પિત પાવર લાઇન ઇન્સ્ટોલ કરવી શ્રેષ્ઠ છે. કાર કંપની સાથે ચકાસવું પણ મહત્વપૂર્ણ છે કે થર્ડ-પાર્ટી ચાર્જર તમારી કારની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) સાથે સુસંગત છે.

Indore EV Charging Fire
gujarati.news18.com

ચાર્જિંગ પોઈન્ટ હંમેશા ખુલ્લી જગ્યાએ જ લગાવવું જોઈએ, કોઈપણ જ્વલનશીલ પદાર્થોથી દૂર. બંધ જગ્યાઓમાં ચાર્જ કરવાથી ગરમી વધી શકે છે, જે જોખમ વધારી શકે છે. ક્યારેય બિલ્ડિંગના પાર્કિંગ લોટમાં અથવા રૂમમાં ચાર્જિંગ પોઈન્ટ ઇન્સ્ટોલ કરશો નહીં. ઉપરાંત, ખાતરી કરો કે MCB અને RCCB જેવા સલામતી ઉપકરણો ઇન્સ્ટોલ કરેલા છે. આ વસ્તુ કોઈ પણ પ્રકારની ખામીના કિસ્સામાં તરત જ પાવર કાપી નાખે છે. ખાતરી કરો કે યોગ્ય અર્થિંગ જાળવવામાં આવ્યું છે કે નહીં, જે સલામતીને વધુ મજબૂત બનાવે છે. તમારા EVને ચાર્જ કરવા માટે એક્સ્ટેંશન બોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. વાહનને ચાર્જ કરવામાં સમય લાગે છે, અને લાંબા સમય સુધી એક્સ્ટેંશન બોર્ડનો ઉપયોગ કરવાથી વાયર વધુ ગરમ થઈ શકે છે અને વાયર બળી શકે છે.

Indore EV Charging Fire
gujarati.news18.com

જ્યાં EV ચાર્જ કરવામાં આવી રહી છે તે વિસ્તાર સંપૂર્ણપણે સૂકો હોવો જોઈએ. ચોમાસા અથવા વરસાદ દરમિયાન, ખાતરી કરો કે પાર્કિંગની જગ્યામાં પાણી ભરાયેલું તો નથી ને. જો તમે સ્કૂટરની બેટરી કાઢીને ચાર્જ કરો છો, તો તેને જમીન પર ન મુકો, તેને ટેબલ કે શેલ્ફ પર રાખવું વધુ સુરક્ષિત છે.

ઈલેક્ટ્રિક વાહન ચાર્જ કરવામાં સમય લાગે છે. હોમ ચાર્જરથી વધુમાં વધુ 6-8 કલાક લાગે છે. તેથી, તમે અને હું સામાન્ય રીતે રાત્રે ચાર્જ કરીએ છીએ. આપણે તેને પ્લગમાં ભરાવી દીધું અને, પછી સીધું સવારે જ તેને તપાસીએ છીએ, એટલે કે આપણે ભૂલી ગયા છીએ. જોકે EVમાં બેટરી 100 ટકા સુધી પહોંચે કે તરત જ ચાર્જિંગ બંધ થઈ જાય છે, તેમ છતાં સપ્લાય ચાલુ રહે છે. તેથી, રાત્રે બદલે સાંજે અથવા સવાર માટે ચાર્જિંગ સમય સેટ કરવો શ્રેષ્ઠ છે. ચાર્જિંગ પૂર્ણ થતાં જ તેને અનપ્લગ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેટરીને 100 ટકા સુધી ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. 20 ટકાથી 80 ટકાની રેન્જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Indore EV Charging Fire
newstrack.com

અહીં તમને જણાવીએ કે ઈન્દોરમાં ખરેખર શું થયું હતું, ટાટા પંચ ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટથી આગ લાગી, જેના કારણે 3 માળનું મકાન આગની લપેટમાં આવી ગયું. રબરના ઉદ્યોગપતિ મનોજ પુગલિયા અને તેમની ગર્ભવતી પુત્રવધૂ સિમરન સહિત 8 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 4 ઘાયલ થયા.

મૃતકોમાંથી 6 મનોજના સંબંધીઓ હતા, જેઓ મંગળવારે બિહારના કિશનગંજથી આવ્યા હતા. આ ઘટના બુધવારે સવારે 3:30થી 4 વાગ્યાની વચ્ચે બંગાળી સ્ક્વેર નજીક ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કારમાંથી આગ ઘર સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરો પણ લપેટામાં આવી ગયા. આના કારણે સિલિન્ડરો એક પછી એક ફાટવા લાગ્યા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘરનો એક ભાગ તો તૂટી પડ્યો. ઘરમાં લગાવેલા ડિજિટલ તાળાઓ ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર સુતેલા લોકો બહાર નીકળી શક્યા નહીં.

About The Author

Related Posts

Top News

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.