બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારે કહ્યું- 'હું વિમાનમાંથી કૂદયો નહોતો, સીટ સાથે...'

ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ઉડાન ભરતી વખતે, વિમાન સીધું હોસ્પિટલના હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી ગયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે PM નરેન્દ્ર મોદી રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, જેઓ વિમાનમાં મુસાફરી કરતી વખતે ચમત્કારિક રીતે બચી ગયા હતા.

Person, Escaped Death
republicbharat.com

હોસ્પિટલના પલંગ પર પડેલા વિશ્વાસ કુમારે એક સમાચાર ચેનલને પોતાની વાર્તા કહી, તેમણે કહ્યું કે, રનવે પર વિમાન ગતિ પકડવા લાગ્યું કે તરત જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું હતું. પછી એકદમ શાંતિ, ત્યાર પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે, પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી શક્તિ લગાવી દીધી હતી. બસ, પછી શું... તે ઝડપભેર સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં ઘૂસી ગયું.

Person, Escaped Death
jagran.com

વિશ્વાસે કહ્યું કે મારી સીટ વિમાનના જે ભાગમાં હતી, તે ભાગ બિલ્ડિંગના નીચેના ભાગ સાથે અથડાયો હશે. ઉપરના ભાગમાં આગ લાગી હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કદાચ હું સીટ સાથે જ નીચે પડી ગયો હતો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ, તેથી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે બીજી બાજુ દિવાલ હતી, કદાચ કોઈ ત્યાંથી બહાર નીકળી શક્યું નહીં. રમેશ વિશ્વાસે કહ્યું કે, બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને તેની નજર સામે ઘણું બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડીક સેકન્ડ મોડું થયું હોત તો કદાચ...

Person, Escaped Death
navbharattimes.indiatimes.com

એક મીડિયા TV ચેનલે લંડનમાં રમેશના પરિવાર સાથે વાત કરી. UKના લેસ્ટરના રહેવાસી રમેશ વિશ્વાસ અને અજય બે ભાઈઓ હતા. બંને સાથે મુસાફરી કરી રહ્યા હતા. વિશ્વાસના બીજા એક ભાઈ નયને કહ્યું, અમે વિશ્વાસ સાથે વાત કરી, તે હોસ્પિટલમાં છે અને હાલમાં ઠીક છે. પરંતુ બીજા ભાઈ અજય વિશે કંઈ જાણી શકાયું નથી. અમે સતત માહિતી મળવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, અમે આગામી ફ્લાઇટમાં ભારત જવા રવાના થઈ રહ્યા છીએ. બસ, અમને એ આશા છે કે જેમ વિશ્વાસ સુરક્ષિત છે, તેમ અમને અજય વિશે પણ કોઈ સારા સમાચાર મળે.

https://twitter.com/aajtak/status/1933391346620117301

વિશ્વાસે અકસ્માત વિશે શું કહ્યું તે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, તેમને પણ ખબર નથી કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે, મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. પરિવાર રમેશના બચવાથી સંતુષ્ટ છે, પરંતુ અજય વિશે કંઈ ખબર ન હોવાથી પરેશાની છે. તેના પિતા અને માતાની સાથે, વિશ્વાસની પત્ની પણ ઊંડા આઘાતમાં છે. આખા મોહલ્લામાં શોકનું વાતાવરણ છે. પરિવારના બધા સભ્યો, પડોશીઓ અને મિત્રો આ ઘટનાથી ખૂબ જ નારાજ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.