બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારે કહ્યું- 'હું વિમાનમાંથી કૂદયો નહોતો, સીટ સાથે...'

ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ઉડાન ભરતી વખતે, વિમાન સીધું હોસ્પિટલના હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી ગયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે PM નરેન્દ્ર મોદી રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, જેઓ વિમાનમાં મુસાફરી કરતી વખતે ચમત્કારિક રીતે બચી ગયા હતા.

Person, Escaped Death
republicbharat.com

હોસ્પિટલના પલંગ પર પડેલા વિશ્વાસ કુમારે એક સમાચાર ચેનલને પોતાની વાર્તા કહી, તેમણે કહ્યું કે, રનવે પર વિમાન ગતિ પકડવા લાગ્યું કે તરત જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું હતું. પછી એકદમ શાંતિ, ત્યાર પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે, પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી શક્તિ લગાવી દીધી હતી. બસ, પછી શું... તે ઝડપભેર સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં ઘૂસી ગયું.

Person, Escaped Death
jagran.com

વિશ્વાસે કહ્યું કે મારી સીટ વિમાનના જે ભાગમાં હતી, તે ભાગ બિલ્ડિંગના નીચેના ભાગ સાથે અથડાયો હશે. ઉપરના ભાગમાં આગ લાગી હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કદાચ હું સીટ સાથે જ નીચે પડી ગયો હતો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ, તેથી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે બીજી બાજુ દિવાલ હતી, કદાચ કોઈ ત્યાંથી બહાર નીકળી શક્યું નહીં. રમેશ વિશ્વાસે કહ્યું કે, બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને તેની નજર સામે ઘણું બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડીક સેકન્ડ મોડું થયું હોત તો કદાચ...

Person, Escaped Death
navbharattimes.indiatimes.com

એક મીડિયા TV ચેનલે લંડનમાં રમેશના પરિવાર સાથે વાત કરી. UKના લેસ્ટરના રહેવાસી રમેશ વિશ્વાસ અને અજય બે ભાઈઓ હતા. બંને સાથે મુસાફરી કરી રહ્યા હતા. વિશ્વાસના બીજા એક ભાઈ નયને કહ્યું, અમે વિશ્વાસ સાથે વાત કરી, તે હોસ્પિટલમાં છે અને હાલમાં ઠીક છે. પરંતુ બીજા ભાઈ અજય વિશે કંઈ જાણી શકાયું નથી. અમે સતત માહિતી મળવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, અમે આગામી ફ્લાઇટમાં ભારત જવા રવાના થઈ રહ્યા છીએ. બસ, અમને એ આશા છે કે જેમ વિશ્વાસ સુરક્ષિત છે, તેમ અમને અજય વિશે પણ કોઈ સારા સમાચાર મળે.

https://twitter.com/aajtak/status/1933391346620117301

વિશ્વાસે અકસ્માત વિશે શું કહ્યું તે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, તેમને પણ ખબર નથી કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે, મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. પરિવાર રમેશના બચવાથી સંતુષ્ટ છે, પરંતુ અજય વિશે કંઈ ખબર ન હોવાથી પરેશાની છે. તેના પિતા અને માતાની સાથે, વિશ્વાસની પત્ની પણ ઊંડા આઘાતમાં છે. આખા મોહલ્લામાં શોકનું વાતાવરણ છે. પરિવારના બધા સભ્યો, પડોશીઓ અને મિત્રો આ ઘટનાથી ખૂબ જ નારાજ છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.