અમદાવાદ પ્લેન ક્રૅશનો રિપોર્ટ આવ્યો, પાયલટે પૂછ્યું- સ્વીચ કેમ બંધ કરી... સામે આવી 10 મોટી વાતો

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. વિમાન ટેકઓફ કર્યા બાદ થોડી જ સેકન્ડ બાદ ક્રેશ થઈ ગયું. તેનું એક મહત્ત્વનું કારણ બંને એન્જિન બંધ થવાનું હતું. હેરાન કરી દેનારી વાત પણ છે કે વિમાને જરૂરી ઊંચાઈ મેળવી લીધી હતી, પરંતુ ત્યારબાદ બંને એન્જિન 'RUN'માંથી 'CUTOFF' મોડમાં જતા રહ્યા. AAIB રિપોર્ટમાં પાયલટની વાતચીતનો પણ ઉલ્લેખ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ ડ્રીમલાઇનર 787-8ના પાયલટ સુમિત સભરવાલ અને કો-પાયલટ ક્લાઇવ કુંદરે એન્જિન બંધ થવાને લઈને સવાલ-જવાબ કર્યા હતા.

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના રિપોર્ટમાંથી શું-શું સામે આવ્યું?

શું થયું હતું?

અમદાવાદથી લંડન (ગેટવિક) જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન (VT-ANB), જે ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત 12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે (IST) થયો હતો.

અકસ્માતની તપાસમાં કોણ-કોણ સામેલ છે?

ભારતનો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ તપાસ શરૂ કરી છે. ઘણા દેશોના એક્સપર્ટ પણ મદદ કરી રહ્યા છે જેમ કે, અમેરિકા (NTSB), બ્રિટન (AAIB-UK), પોર્ટુગલ અને કેનેડા.

કેટલા લોકો માર્યા ગયા?

આ અકસ્માત્માતમાં કુલ 260 લોકો માર્યા ગયા હતા, 229 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ અને 19 જમીન પર ઉપસ્થિત લોકો. 1 મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

air-india-plane-crash2
firstpost.com

વિમાન બાબતે જાણકારી

આ વિમાન 2012માં બન્યું હતું, તેમાં GE GENx-1B એન્જિન લાગ્યા હતા. તેના મેન્ટેનેન્સમાં કોઈ મોટી ખામી જોવા મળી નહોતી. ઉડાણ અગાઉ કેટલાક નાના ટેક્નિકલ પોઇંટ્સ સક્રિય હતા, પરંતુ બધા નિયંત્રણમાં હતા.

કેટલું નુકસાન થયું?

વિમાન પૂરી રીતે બળીને નષ્ટ થઈ ગયું. જમીન પર 5 ઇમારતોને પણ આગ અને ટકકારને કારણે ભારે નુકસાન થયું.

વિમાન ક્યાં પડ્યું?

રનવેથી માત્ર 1 કિમી દૂર BJ મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે ટકરાયું. કાટમાળ લગભગ 1000 ફૂટ x 4000 ફૂટના વિસ્તારમાં ફેલાયેલો મળ્યો હતો.

ફ્લાઇટ રેકોર્ડર (બ્લેક બોક્સ)

એક રેકોર્ડરમાં 46 કલાકના ડેટા અને 2 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ હતું, જેમાં અકસ્માતનો સમય પણ સામેલ હતો. બીજું રેકોર્ડર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, એટલે તેમાંથી ડેટા કાઢી શકાયા નથી.

air-india-plane-crash2
firstpost.com

પાયલટ અને ATCની વાતચીત

ટેકઓફની મંજૂરી 08:07 UTC પર મળી હતી. 2 મિનિટ બાદ 08:09 UTC પર પાયલટે ‘MAYDAY’ કોલ કર્યો, એટલે ઈમરજન્સીની સ્થિતિ બતાવી.

ફ્લાઇટનું વિવરણ

વિમાનમાં કુલ 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર. વજન મર્યાદામાં હતું અને કોઈ ખતરનાક સમાન નહોતો. બંને પાયલટ ઉડાણ અગાઉ પૂરી રીતે ફિટ હતા.

photo_2025-07-12_13-27-50

અકસ્માતનું કારણ શું હતું?

ટેકઓફ બાદ તરત જ, બંને એન્જિનના ફ્યુલ CUTOFF સ્વીચ બંધ થઈ ગઈ, જેના કારણે એન્જિન બંધ થઈ ગયા. કોકપીટની વાતચીતમાં એક પાયલટે પૂછ્યું કે સ્વીચ કોણે બંધ કરી, તો બીજાએ કહ્યું ‘મેં નથી કરી.’ પાઇલટોએ એન્જિન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક એન્જિન સારી રીતે ચાલુ ન થયું. ઇમરજન્સી પાવર સિસ્ટમ (RAT) ઓટોમેટિક ચાલુ થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.