રાજકોટમાં પત્ની-પુત્રએ મળીને પિતાનું કાસળ કાઢી નાખ્યું

દરેક પરિવારમાં નાના-મોટા ઝઘડા થતાં રહેતા હોય છે, પરંતુ એ સતત વધી જાય ત્યારે લોકો ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. ક્યાં તો પોતે આત્મહત્યા કરી લે છે અથવા સામે બાળાનું કાસળ કાઢી નાખતા હોય છે. રંગીલા રાજકોટમાં પણ કઈક એવો જ મામલો સામે આવ્યો છે.  

રાજકોટના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસથી કંટાળેલા તા પત્ની અને પુત્રોએ મળીને પિતાનું ઢીમ ઢાળી દીધું. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકની પત્ની અને બંને પુત્રોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અને મોજાં વેચવાનો વ્યવસાય કરતા 40 વર્ષીય નરેશભાઈ નટુભાઈ વ્યાસ ગુરુવારે રાત્રે પોતાના ઘરે હતો. આ દરમિયાન તેની પત્ની અને બે પુત્રો સાથે કોઈ બાબતે ઝઘડો થઈ ગયો. ઘરકંકાસ એટલી હદે વકર્યો હતો કે આવેશમાં આવીને નરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલા નરેશભાઈ માટે તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ફરજ બજાવતા ડૉક્ટરોર તેને મૃત જાહેર કરી દીધો હતો.

murder2
divyabhaskar.co.in

હત્યાની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ DCP અને ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. મૃતક નરેશભાઈ અને તેમના પરિવારજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ ઝઘડો થયા બાદ આ ઘટના બની હતી.

જોકે, હત્યામાં છરીનો ઘા કોણે માર્યો? પત્ની કે પુત્રોએ તે હજુ સ્પષ્ટ થયું નથી. ભક્તિનગર પોલીસે મૃતકના પત્ની અને બંને પુત્રોને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ શરૂ કરી છે, જે બાદ હત્યાની મુખ્ય ભૂમિકા કોની હતી તે સ્પષ્ટ થશે.

રાજકોટ શહેરના ACP બી. વી. જાધવે જણાવ્યું હતું કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં નરેશભાઈ નટુભાઈ વ્યાસ (ઉં.વ.42)ની તેના જ ઘરમાં તેમનાં પત્ની અને પુત્ર દ્વારા છરી મારી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવ અંગે પુરાવા એકત્રિત કરવા તેમજ સેમ્પલ મેળવવા માટે પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધવા માટે તપાસ તજવીજ હાથ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.