સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના દરવાજા પર દમ તોડી રહી છે. આનું તાજેતરનું ઉદાહરણ મધ્ય પ્રદેશના ગુનામાં જોવા મળ્યું હતું. જ્યાં આરોગ્ય સેવાઓ એટલી ખરાબ રીતે ભાંગી પડી ગઈ છે કે એક પુત્રએ તેના બીમાર પિતાને ખભા પર લઈ જવું પડ્યું કારણ કે હોસ્પિટલવાળા તેને સ્ટ્રેચર ન આપી શક્યા.

NDTVના અહેવાલ મુજબ, મુનેશ રઘુવંશી તેના બીમાર પિતા, ઇમરત સિંહને ગુના જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ તેને મદદ વિના અસહાય છોડી દેવામાં આવ્યો. મુનેશને તેના વૃદ્ધ, બીમાર પિતાને હોસ્પિટલ પરિસરમાં ખભા પર લઈ જવા મજબૂર થવું પડ્યું, કારણ કે ત્યાં કોઈ સ્ટ્રેચર કે કોઈ સપોર્ટ સ્ટાફ પણ નહોતો.

Madhya-Pradesh-Hospital4
bengali.abplive.com

મુનેશ લાંબા સમય સુધી પોતાના પિતાને ખભા પર લઈને હોસ્પિટલમાં ભટકતો રહ્યો. તેને એવી આશા હતી કે કોઈ તેને મદદ કરશે. પરંતુ ત્યાં કોઈ વોર્ડ બોય કે સ્ટાફ નહોતો. મુનેશે વારંવાર હોસ્પિટલના સ્ટાફને મદદ માટે વિનંતી કરી. અહેવાલો અનુસાર, ઘણા સમય બાદ આખરે સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ વાત માત્ર સ્ટ્રેચરની નહોતી. મુનેશે તેના પિતાને સ્ટ્રેચર પર રાખ્યા અને સારવાર માટે બીજા માળે જવા આગળ વધ્યો, પરંતુ તેને ખબર પડી કે હોસ્પિટલની લિફ્ટ બંધ છે. ત્યારબાદ તે એકલો તેના પિતાને રેમ્પ પર ધક્કો મારતા જેમ-તેમ બીજા માળે પહોંચ્યો. આ દરમિયાન, કોઈ સ્ટાફ સભ્ય તેની મદદ માટે આવ્યો નહીં.

હોસ્પિટલના રેકોર્ડ મુજબ, હાલમાં જિલ્લા હોસ્પિટલમાં 15 વોર્ડ બોય તૈનાત છે. તેઓ 3 શિફ્ટમાં કામ કરે છે. એક વોર્ડ બોયને ત્રણ શિફ્ટોમાં દરેકમાં સ્ટ્રેચરની ડ્યૂટી સોંપવામાં આવે છે, જ્યારે બાકીનાને વોર્ડમાં તૈનાત કરવામાં આવે છે. મુનેશે કહ્યું કે તેના પિતા હાઈ બ્લડ પ્રેશરના દર્દી. તે કહે છે કે, ‘હું મારા પિતાને ખભા પર લઈને હોસ્પિટલની અંદર ફરતો રહ્યો. મેં મદદ માટે વિનંતી કરી, પરંતુ કોઈએ જવાબ ન આપ્યો. હું અંદરથી હચમચી ગયો છું.

Madhya-Pradesh-Hospital5
patrika.com

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, CMHO ડૉ. રાજકુમાર રિશ્વરે કહ્યું કે પરિસ્થિતિ અસ્વીકાર્ય છે. વોર્ડ બોય્સે સ્ટ્રેચર સાથે દર્દીને મદદ કરવી જોઈતી હતી. તે સમયે ફરજ પર કોણ હતું તે જાણવા માટે તપાસ કરવામાં આવશે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, ગુના જિલ્લા હોસ્પિટલમાં આવી ઘટના પહેલી વાર બની નથી. દર્દીઓ અને તેમના પરિવારો વારંવાર મૂળભૂત સુવિધાઓનો અભાવ, સ્ટાફની ગેરહાજરી અને ખરાબ ઓન-ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અંગે ફરિયાદ કરતા રહે છે.

About The Author

Top News

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના...
National 
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.