'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેહલોત કહે છે કે તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો હતો, પરંતુ એક ષડયંત્રના કારણે આખી બાજી પલટી ગઈ. અને આજે પણ લોકો અસલી વાસ્તવિકતા જાણતા નથી.

થોડા વર્ષો પહેલા, કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે ચૂંટણીની ચર્ચા હતી. તે સમયે, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતૃત્વએ અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. ગેહલોત પોતે પણ આ પદ માટે તૈયાર હતા અને તેને પોતાનું સન્માન માનતા હતા.

02

પરંતુ જેવું તે નક્કી થવા લાગ્યું પાર્ટીએ નિરીક્ષકોને રાજસ્થાન મોકલ્યા, એટલે કે, એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. ત્યાર પછી, પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. ગેહલોતના મતે, આ સમગ્ર ઘટના પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેના કારણે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બની ન શક્યા.

આ સમગ્ર ઘટના પછી, દેશભરમાં એવી અફવાઓ ફેલાઈ ગઈ કે ગેહલોતે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેઓ રાજસ્થાનનું CM પદ છોડવા માંગતા ન હતા. આનો અર્થ એ થયો કે લોકોની નજરમાં, આ ગેહલોતની પોતાની પસંદગી હતી. તેમના નજીકના સાથીઓ અને સમર્થકો પણ આ માનતા હતા.

03

ગેહલોત હવે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, આ ધારણા ખોટી છે. તેઓ કહે છે કે તેઓ અધ્યક્ષ બનવા માંગતા હતા, તેમની પુરી તૈયારી પણ હતી અને તેઓ જાતે પાછળ નથી હટ્યા. પરંતુ, તે વખતે જે બન્યું તે એક ષડયંત્રનું પરિણામ હતું. તેઓ કહે છે કે આ ષડયંત્રથી તેમની છબી ખરાબ થઈ અને દેશભરમાં તેમના વિશે ખોટી છાપ ઉભી થઈ.

ગેહલોતે એમ પણ કહ્યું કે, તેઓ અભણ કે અજાણ્યા નેતા નથી. તેમણે કામરાજ, મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશા ખૂબ જ આદરણીય રહ્યું છે. અધ્યક્ષ બનવા માટે કોઈ ખાસ પરિવાર કે પૃષ્ઠભૂમિની જરૂર નથી.

04

ગેહલોતના મતે, સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વએ તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં, તેમના માટે આ જવાબદારી સ્વીકારવી સ્વાભાવિક હતી. પરંતુ એ દરમિયાન, અચાનક એવી કેટલીક ઘટનાઓ બની જેણે સમગ્ર પરિસ્થિતિ બદલી નાખી.

ગેહલોત કહે છે કે આજે પણ, ખૂબ ઓછા લોકો આ સમગ્ર બાબતનું વાસ્તવિક સત્ય જાણે છે. તેઓ સતત લોકોને એ સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે ધારણા પહેલાથી જ બની ગઈ છે તેને દૂર કરવી સરળ નથી. તેમના મતે, તેઓ એટલા માટે નથી ચુકી ગયા કે તેમની ઈચ્છા ન હતી, પરંતુ સંજોગો અને ષડયંત્ર આના માટે જવાબદાર હતું.

About The Author

Related Posts

Top News

ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના...
Charcha Patra 
ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

સત્તાને કારણે વિદ્યાર્થી સંગઠન ABVPની સ્વીકૃતિ ઘટી રહી છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) કે જે ભારતીય જનતા પાર્ટી (BJP) ની વિદ્યાર્થી પાંખ કહેવાય છે ભારતના રાજકીય...
National 
સત્તાને કારણે વિદ્યાર્થી સંગઠન ABVPની સ્વીકૃતિ ઘટી રહી છે

ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું

તાજેતરમાં જ વરસાદે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ધબાધબાટી બોલાવી, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો...
Gujarat 
ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું

વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી...
Gujarat 
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.