'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેહલોત કહે છે કે તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો હતો, પરંતુ એક ષડયંત્રના કારણે આખી બાજી પલટી ગઈ. અને આજે પણ લોકો અસલી વાસ્તવિકતા જાણતા નથી.

થોડા વર્ષો પહેલા, કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે ચૂંટણીની ચર્ચા હતી. તે સમયે, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતૃત્વએ અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. ગેહલોત પોતે પણ આ પદ માટે તૈયાર હતા અને તેને પોતાનું સન્માન માનતા હતા.

02

પરંતુ જેવું તે નક્કી થવા લાગ્યું પાર્ટીએ નિરીક્ષકોને રાજસ્થાન મોકલ્યા, એટલે કે, એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. ત્યાર પછી, પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. ગેહલોતના મતે, આ સમગ્ર ઘટના પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેના કારણે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બની ન શક્યા.

આ સમગ્ર ઘટના પછી, દેશભરમાં એવી અફવાઓ ફેલાઈ ગઈ કે ગેહલોતે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેઓ રાજસ્થાનનું CM પદ છોડવા માંગતા ન હતા. આનો અર્થ એ થયો કે લોકોની નજરમાં, આ ગેહલોતની પોતાની પસંદગી હતી. તેમના નજીકના સાથીઓ અને સમર્થકો પણ આ માનતા હતા.

03

ગેહલોત હવે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, આ ધારણા ખોટી છે. તેઓ કહે છે કે તેઓ અધ્યક્ષ બનવા માંગતા હતા, તેમની પુરી તૈયારી પણ હતી અને તેઓ જાતે પાછળ નથી હટ્યા. પરંતુ, તે વખતે જે બન્યું તે એક ષડયંત્રનું પરિણામ હતું. તેઓ કહે છે કે આ ષડયંત્રથી તેમની છબી ખરાબ થઈ અને દેશભરમાં તેમના વિશે ખોટી છાપ ઉભી થઈ.

ગેહલોતે એમ પણ કહ્યું કે, તેઓ અભણ કે અજાણ્યા નેતા નથી. તેમણે કામરાજ, મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશા ખૂબ જ આદરણીય રહ્યું છે. અધ્યક્ષ બનવા માટે કોઈ ખાસ પરિવાર કે પૃષ્ઠભૂમિની જરૂર નથી.

04

ગેહલોતના મતે, સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વએ તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં, તેમના માટે આ જવાબદારી સ્વીકારવી સ્વાભાવિક હતી. પરંતુ એ દરમિયાન, અચાનક એવી કેટલીક ઘટનાઓ બની જેણે સમગ્ર પરિસ્થિતિ બદલી નાખી.

ગેહલોત કહે છે કે આજે પણ, ખૂબ ઓછા લોકો આ સમગ્ર બાબતનું વાસ્તવિક સત્ય જાણે છે. તેઓ સતત લોકોને એ સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે ધારણા પહેલાથી જ બની ગઈ છે તેને દૂર કરવી સરળ નથી. તેમના મતે, તેઓ એટલા માટે નથી ચુકી ગયા કે તેમની ઈચ્છા ન હતી, પરંતુ સંજોગો અને ષડયંત્ર આના માટે જવાબદાર હતું.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.