15 સદીનું સ્મારક તોડી બંગલો બનાવ્યો. IAS અધિકારીને કરી દેવાયા સસ્પેન્ડ

15મી સદીના સ્મારકને તોડીને સરકારી આવાસ બનાવવાના મામલામાં હોમ મિનિસ્ટ્રીએ 2007ની બેચના IAS અધિકારી પર મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં એક સ્મારક તોડીને સરકારી આવાસ બનાવનારા આરોપી IAS અધિકારી ઉદિત પ્રકાશ રાયને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સામે વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તો સાથે હોમ મિનિસ્ટ્રીએ એક અન્ય આદેશમાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં વિભિન્ન પદો પર તૈનાત IPS અધિકારી બસંત રથનું સસ્પેન્સન 6 મહિના માટે વધારી દેવામાં આવ્યું છે.

આદેશ વિના હેડક્વાર્ટર છોડી શકશે નહીં

હોમ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ઉદિત પ્રકાશ રાય સામે વિભાગીય કાર્યવાહી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્સનના સમય દરમિયાન 2007ના એજીએમયૂટી કેડરના અધિકારી ઉદિત રાયનું હેડક્વાર્ટર મિઝોરમ રહેશે અને તેઓ પરવાનગી વિના તેમનું હેડક્વાર્ટર છોડી શકશે નહીં.

2022માં ઓગસ્ટ મહિનામાં દિલ્હીના નાયબ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ કરપ્શનના બે કેસોમાં એક કાર્યકારી ઈજનેરને અનુચિત લાભ આપવા માટે કથિત પણે 50 લાખ રૂપિયા લાંચ લેવા માટે રાય વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

15મી સદીનું સ્મારક તોડી સરકારી બંગલો બનાવ્યો

ઉદિત રાય પર આરોપ છે કે તેમણે દિલ્હી જળ બોર્ડ(DJB)ના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પર રહેતા સમયે 15મી સદીનું એક સ્મારક તોડી પડાવ્યું અને તેના પર સરકારી આવાસનું નિર્માણ કરાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જ એક મહેલને ધ્વસ્ત કરીને સરકારી આવાસના નિર્માણ કરવા માટે દિલ્હી સરકારે IAS અધિકારી રાયને નોટિસ મોકલી હતી.

DAMBના ઉપાધ્યક્ષના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઉદિત રાયે આવક કરતા વધારે સંપત્તિના મામલામાં સરકારી ઈજનેર પીએસ મીણાને છોડી દીધા હતા. એક કેસમાં તેમનો દીકરો અને બીજામાં તેની પત્નીની સંલિપ્તાની વાત કહેવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેઓ દિલ્હી જળ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં પોતાના કાર્યકાળ સમયે 15મી સદીનું એક સ્મારક ધ્વસ્ત કર્યા પછી સરકારી આવાસના નિર્માણમાં કથિતપણે સામેલ હતા.

IAS અધિકારી સામે IP સ્ટેટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હોમ મિનિસ્ટ્રીએ કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ અખિલ ભારતીય સેવા નિયમ 1969ના નિયમ 3 હેઠળ પોતાની શક્તિનો પ્રયોગ કરતા ઉદય પ્રકાશ રાયને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.