બિહાર મતદાનઃ RJDનો આરોપ- 'લાઈટ ગઈ તો મતદાન પણ ધીમું થઇ ગયું?' પંચે કહ્યું- 'ખોટી માહિતી આપવાનું બંધ કરો!'

રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાર્ટીએ બિહાર ચૂંટણીમાં મતદાન જાણી જોઈને ધીમું કરાવવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે, તેમના મજબૂત બૂથ પર જાણી જોઈને વીજળી કાપવામાં આવી રહી છે. તેના જવાબમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આવું કંઈ થઈ રહ્યું નથી. તેમણે આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે.

Election-Commission-Tejashwi-Yadav.jpg-3

બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે, ગુરુવાર, 6 નવેમ્બરના રોજ મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, RJDX પર પોસ્ટ કરીને ધીમા મતદાનનો આરોપ લગાવ્યો. પાર્ટીએ લખ્યું, 'પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મહાગઠબંધનના મજબૂત બૂથ પર મતદાન ધીમું કરાવવાના ઇરાદાથી વચ્ચે વચ્ચે વીજળી કાપવામાં આવી રહી છે. જાણી જોઈને ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું છે. કૃપા કરીને, ચૂંટણી પંચ, વિલંબ કર્યા વિના આવી ગરબડી, ખરાબ નિયત અને દુષ્ટ ઇરાદાની નોંધ લે અને તાત્કાલિક કાર્યવાહી કરે.'

Election-Commission-Tejashwi-Yadav.jpg-2

આના પર ચૂંટણી પંચે પણ થોડા સમય પછી જવાબ આપ્યો. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ RJDની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો અને ભ્રામક છે. બિહારના તમામ મતદાન મથકો પર મતદાન સરળતાથી ચાલી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ નિષ્પક્ષ, પારદર્શક અને સરળ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તમામ માનક પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. આવા ભ્રામક પ્રચારનો કોઈ આધાર નથી.'

Election-Commission-Tejashwi-Yadav.jpg-4

અહીં તમને બતાવી દઈએ કે, બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં CM નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને સમ્રાટ ચૌધરી સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ દ્વારા જીતેલી બેઠકોનો સમાવેશ થાય છે. મતદાનના પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 27.65 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં બેગુસરાયમાં સૌથી વધુ 30.37 ટકા મતદાન થયું હતું. રાજધાની પટનામાં સવારે 11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન 23.71 ટકા થયું હતું. બિહારના ભૂતપૂર્વ CM લાલુ પ્રસાદ યાદવે પણ તેમના પરિવાર સાથે મતદાન કર્યું. તેમની સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રીઓ રોહિણી આચાર્ય અને મીસા ભારતી અને પુત્રવધૂ રાજશ્રી યાદવ પણ હતા.

About The Author

Related Posts

Top News

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.