નો બેન્ડ...બાજા...બારાત... સૌરભ અને નેહાએ બંધારણને સાક્ષી માનીને એકબીજા સાથે લગ્ન કર્યા

કોઈપણ લગ્ન સમારંભમાં, યુવક અને કન્યા એકબીજાને વરમાળા પહેરાવતી વખતે મંત્રોચ્ચાર સાથે અગ્નિને સાક્ષી માનીને એકબીજાના બને છે. પરંતુ, દક્ષિણ ભાગમાં ઉત્તર પ્રદેશના છેલ્લા જિલ્લા લલિતપુરમાં એક અનોખા લગ્ન ખૂબ જ ચર્ચામાં છવાઈ ગયા છે. ગુરુવારે રાત્રે, લલિતપુરમાં એક અનોખા લગ્ન થયા, જેમાં પરંપરાગત રિવાજો અને ધાર્મિક વિધિઓથી અલગ થઈને બંધારણીય મૂલ્યો અને આધુનિક વિચારસરણી માટે એક નવો માપદંડ સ્થાપિત થઇ ગયો.

શાંતિ દેહદાન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ, બિરધા ગામના એક યુવાન સૌરભ અને સૌરાઈ ગામની એક યુવતી નેહાના લગ્ન ગુરુવારે સંપૂર્ણપણે બંધારણીય રીતે સંપન્ન થયા. આ લગ્નમાં ન તો અગ્નિના સાત ફેરા ફરવામાં આવ્યા કે ન કોઈ અન્ય વિધિઓ કરવામાં આવી, તેના બદલે, કન્યા અને વરરાજાએ ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરીને એકબીજાના જીવનસાથી બન્યા. આ સમારંભમાં દરેક વિધિ માસ્ટર ઓફ સેરેમની દ્વારા બંધારણીય અને સામાજિક મહત્વથી રંગાયેલી હતી.

Marriage-Oath-on-Constitution1
nationalpresstimes.com

સમારોહની શરૂઆત કન્યા અને વરરાજાના સ્વાગત સાથે થઈ. ત્યારપછી, બંને પક્ષના માતા-પિતાને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા અને વંદે માતરમના ગાન વચ્ચે તેમનું સન્માન કરવામાં આવ્યું. કન્યા અને વરરાજાએ એકબીજાના માતા પિતાના ચરણને સ્પર્શ કર્યા અને આશીર્વાદ માંગ્યા, જેને ટ્રસ્ટે તેમને જન્મ આપનારાઓ પ્રત્યેની સર્વોચ્ચ ફરજ ગણાવી.

લગ્નનું મુખ્ય આકર્ષણ બંધારણ પ્રત્યે આદર રહ્યું હતું. કન્યા અને વરરાજાએ બંધારણની પ્રતિકૃતિ સમક્ષ પુષ્પાંજલિ અને મૌન પ્રણામ અર્પણ કર્યા. ત્યારપછી, ટ્રસ્ટના પ્રતિનિધિ ડૉ. K.S. યાદવે ભારતના બંધારણની પ્રસ્તાવના પ્રત્યે વફાદારીના શપથ લેવડાવ્યા.

હાથ જોડીને, કન્યા અને વરરાજાએ, બંધારણને પોતાના સર્વોચ્ચ ગુરુ માનીને, જીવનભર એકબીજાને ટેકો આપવા અને સમાનતાની ભાવના સાથે જીવવાનું વચન આપ્યું. શપથ ગ્રહણ પછી, તેઓએ બંધારણની પરિક્રમા કરી.

Marriage-Oath-on-Constitution2
jagran.com

ધાર્મિક વિધિના ભાગ રૂપે, વરરાજા સૌરભે પ્રતીકાત્મક રીતે નેહા પર મંગળસૂત્ર પહેરાવ્યું અને સિંદૂર લગાવ્યું. ત્યારપછી કન્યા અને વરરાજા, તેમના માતાપિતા અને બે સાક્ષીઓએ સોગંદનામા પર સહી કરી. ટ્રસ્ટના સ્થાપક ખુશાલ ચંદ્ર સાહુએ નવદંપતીઓને સત્તાવાર લગ્ન પ્રમાણપત્ર અને બંધારણની નકલ ભેટમાં આપી.

ટ્રસ્ટે લગ્ન દ્વારા દીકરીઓના આધુનિક સશક્તિકરણનો સંદેશ આપ્યો. કન્યા પક્ષે જણાવ્યું હતું કે, લગ્ન પછી પણ દીકરીની માલિકી બદલાતી નથી, તે હંમેશા તેના માતાપિતાની સંતાન રહે છે.

Marriage-Oath-on-Constitution4
amarujala.com

રાષ્ટ્રગીત 'જન ગણ મન'ના સામૂહિક ગાન સાથે આ સમારોહનું સમાપન થયું. આ અનોખા પ્રસંગના સાક્ષી બનવા માટે બિરધા અને સૌરાઈ ગામોના મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ હાજર રહ્યા હતા. ટ્રસ્ટના ખજાનચી સુષ્મા સાધ, વંદના મહેતા, JP યાદવ અને સામંત સિંહ યાદવ, વરરાજા પક્ષ તરફથી તેના પિતા મૂળચંદ અને સોમતી, ​​અને કન્યા પક્ષ તરફથી તેના પિતા શ્રીરામ, મદનલાલ અને અન્ય પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

શાંતિ દેહદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ખુશાલ ચંદ્ર સાહુએ જણાવ્યું હતું કે, આ લગ્ન બંધારણની ભાવનાથી પ્રેરિત છે. અમારો ઉદ્દેશ્ય સામાજિક જાગૃતિ ફેલાવવાનો અને દરેક ઘરમાં બંધારણીય મૂલ્યોનો ફેલાવો કરવાનો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.