છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ. છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં 5 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. રેલવે અને રક્ષા એવા બે વિભાગ છે, જેના પર કોઈ રાજનીતિ ન હોવી જોઈએ. કારણ કે તે દેશની જરૂરિયાત, કરોડરજ્જુ અને જીવનરેખા છે. જો આમાં રાજનીતિ કરવામાં આવશે તો તે દેશ માટે સારું નહીં હોય.

રેલવે મંત્રાલયના કામકાજ પર ઉપલા ગૃહની ચર્ચામાં ભાગ લેતા વૈષ્ણવે કહ્યું કે, વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે રેલવેએ ભરતી કરી નથી. વિપક્ષના આરોપને સત્યથી વિરુદ્ધ અને ભ્રામક ગણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં 5 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. આ સિવાય એક લાખ ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે. રેલવેમાં પૂરી પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

Ashwini-Vaishnaw1
metrorailnews.in

વૈષ્ણવે કહ્યું કે, અત્યારે રેલવેમાં લગભગ 12 લાખ કર્મચારીઓ છે, જેમાંથી લગભગ 40 ટકા એવા છે, જેમની નિમણૂક છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવી છે. આ રીતે રેલવેની મોટાભાગની કાર્યકારી ક્ષમતા યુવા છે. મહાકુંભ મેળા દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી અફરાતફરીને દર્દનાક અને દુ:ખદ ગણાવતા તેમણે કહ્યું કે, CCTV ફૂટેજ સહિત ઘટના સાથે સંબંધિત તમામ ડેટા સુરક્ષિત છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી શીખીને રેલવેએ વિવિધ સાવચેતીના પગલાં ઉઠાવ્યા છે. સરકાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગને સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમીર લોકો વિમાન અથવા કારમાં મુસાફરી કરી શકે છે, પરંતુ કામ કરતા લોકો અને ગરીબ લોકો માત્ર રેલવેથી જ મુસાફરી કરી શકે છે.

ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા ઘટાડવાના વિપક્ષના આરોપ પર તેમણે કહ્યું કે, આ સરકાર અંત્યોદયની ભાવના સાથે કામ કરે છે. સામાન્ય લોકોની દૃષ્ટિએ નોન-એર-કન્ડિશન્ડ કોચની સંખ્યામાં વધારવામાં આવી રહી છે અને હાલમાં નોન-એર-કન્ડિશન્ડ અને એર-કન્ડિશન્ડ કોચની સંખ્યા 70:30ના રેશિયોમાં છે. 17,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રેનોની સુરક્ષા માટે લગાવવામાં આવી રહેલી કવચ પરિયોજનાને એક જટિલ અને વિશાળ નેટવર્ક ગણાવતા તેમણે કહ્યું કે, 10000 એન્જિનમાં તેને લગાવવામાં આવી રહ્યું છે. આગામી 5-6 વર્ષમાં તેને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ જેવા વિપક્ષ શાસિત રાજ્યોના સભ્યોના નિવેદનોના સંદર્ભમાં, વૈષ્ણવે સંબંધિત રાજ્ય સરકારો પાસે સહયોગ માગ્યો, જે વિવિધ કારણોસર વિલંબિત છે.

About The Author

Related Posts

Top News

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ
Copyright (c) Khabarchhe All Rights Reserved.