PSLના વિદેશી ખેલાડીઓ રડી રહ્યા હતા, 'ક્યારેય પાકિસ્તાન નહીં જઈએ', તેઓએ બતાવી પોતાની કહાની

8મી મે ની તારીખ ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં રમાઈ રહેલી PSLને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમય દરમિયાન, દરેક વ્યક્તિ પાકિસ્તાનમાં હાજર વિદેશી ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતિત હતો. તે ખેલાડીઓના મનમાં શું ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શું બન્યું? આ અંગે, PSL 2025માં લાહોર કલંદર્સ તરફથી રમનાર બાંગ્લાદેશી લેગ-સ્પિનર ​​રિશાદ હુસૈને એક મોટો ખુલાસો કર્યો છે.

10 મેના રોજ દુબઈ પહોંચ્યા પછી તેણે કહ્યું કે, પાકિસ્તાનની હાલતને કારણે બધા વિદેશી ક્રિકેટરો ડરી રહ્યા હતા. દરેક વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનમાંથી બહાર નીકળવા માંગતો હતો. તેમના મતે, ટોમ કરણ એટલો બધો ડરી ગયો હતો કે તે બાળકની જેમ રડવા લાગ્યો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

Tom-Curran1
freepressjournal.in

દુબઈ પહોંચ્યા પછી પત્રકારો સાથે વાત કરતા રિશાદે કહ્યું, 'ટીમના અન્ય વિદેશી ખેલાડીઓ જેમ કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વીઝ, ટોમ કુરન ખૂબ જ ડરી ગયા હતા. દુબઈ ઉતર્યા પછી, ડેરિલ મિશેલે કહ્યું કે, હવે હું ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં. એકંદરે બધા ડરી ગયા હતા.'

બધા વિદેશી ખેલાડીઓ કેટલા ડરી ગયા હતા. આ વાત પર ભાર મૂકતા રિશાદે કહ્યું, 'ટોમ કરણ એરપોર્ટ ગયો હતો. પણ ત્યાં તેને ખબર પડી કે એરપોર્ટ બંધ છે. આ પછી તે બાળકની જેમ રડવા લાગ્યો. તેને સંભાળવા માટે બે-ત્રણ લોકોને લાગવું પડ્યું હતું.

Tom-Curran,-Daryl-Mitchell
hindi.cricketnmore.com

PSL 2025માં રમનાર બાંગ્લાદેશનો બીજો ખેલાડી નાહિદ રાણા હતો. તે પેશાવર ઝાલ્મી ટીમનો ભાગ હતો. રિશાદે કહ્યું કે, તેણે તેના સાથી દેશના ખેલાડીને પણ સાંત્વના આપી. તેણે કહ્યું, 'નાહિદ રાણા ખૂબ જ શાંત થઈને બેઠો હતો. કદાચ તે ટેન્શનમાં હતો. હું સમજી શકું છું. મેં તેને કહ્યું કે ચિંતા ના કર. મને આશા છે કે આપણને કંઈ ન થાય. આપણે સુરક્ષિત રીતે દુબઈ પહોંચીશું.'

પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે રિશાદે કહ્યું, 'અમે એક ભયાનક સંકટમાંથી પસાર થયા પછી દુબઈ પહોંચ્યા છીએ. અને હવે મને સારું લાગે છે. દુબઈમાં ઉતર્યા પછી, અમને ખબર પડી કે અમે નીકળી ગયાના 20 મિનિટ પછી જ એરપોર્ટ પર મિસાઈલ હુમલો થયો છે. આ સમાચાર ખૂબ જ ડરામણા હતા. દુબઈ પહોંચ્યા પછી, મને ઘણી રાહત થઈ રહી છે. પરિવારના સભ્યો ખૂબ ચિંતિત હતા. કારણ કે પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ અને મિસાઇલ હુમલા થઈ રહ્યા હતા.'

PSL-Player
hindi.news18.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી શરૂ થતાં જ PCBPSLની બાકીની મેચો દુબઈમાં યોજવાની માહિતી આપી હતી. બાકીની 8 મેચ UAEમાં રમાશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ 24 કલાકની અંદર PCBPSL રદ કરવાની જાહેરાત કરી. આ સમય દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમીરાત ક્રિકેટ બોર્ડે UAEમાં PSL મેચો ન યોજવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેઓ નથી ઇચ્છતા કે BCCI સાથેના તેમના સંબંધો બગડે. આ કારણોસર PSL મુલતવી રાખવામાં આવ્યું હતું.

Related Posts

Top News

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.