PSLના વિદેશી ખેલાડીઓ રડી રહ્યા હતા, 'ક્યારેય પાકિસ્તાન નહીં જઈએ', તેઓએ બતાવી પોતાની કહાની

8મી મે ની તારીખ ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં રમાઈ રહેલી PSLને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમય દરમિયાન, દરેક વ્યક્તિ પાકિસ્તાનમાં હાજર વિદેશી ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતિત હતો. તે ખેલાડીઓના મનમાં શું ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શું બન્યું? આ અંગે, PSL 2025માં લાહોર કલંદર્સ તરફથી રમનાર બાંગ્લાદેશી લેગ-સ્પિનર ​​રિશાદ હુસૈને એક મોટો ખુલાસો કર્યો છે.

10 મેના રોજ દુબઈ પહોંચ્યા પછી તેણે કહ્યું કે, પાકિસ્તાનની હાલતને કારણે બધા વિદેશી ક્રિકેટરો ડરી રહ્યા હતા. દરેક વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનમાંથી બહાર નીકળવા માંગતો હતો. તેમના મતે, ટોમ કરણ એટલો બધો ડરી ગયો હતો કે તે બાળકની જેમ રડવા લાગ્યો. ચાલો જાણીએ શું છે આખો મામલો.

Tom-Curran1
freepressjournal.in

દુબઈ પહોંચ્યા પછી પત્રકારો સાથે વાત કરતા રિશાદે કહ્યું, 'ટીમના અન્ય વિદેશી ખેલાડીઓ જેમ કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વીઝ, ટોમ કુરન ખૂબ જ ડરી ગયા હતા. દુબઈ ઉતર્યા પછી, ડેરિલ મિશેલે કહ્યું કે, હવે હું ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં. એકંદરે બધા ડરી ગયા હતા.'

બધા વિદેશી ખેલાડીઓ કેટલા ડરી ગયા હતા. આ વાત પર ભાર મૂકતા રિશાદે કહ્યું, 'ટોમ કરણ એરપોર્ટ ગયો હતો. પણ ત્યાં તેને ખબર પડી કે એરપોર્ટ બંધ છે. આ પછી તે બાળકની જેમ રડવા લાગ્યો. તેને સંભાળવા માટે બે-ત્રણ લોકોને લાગવું પડ્યું હતું.

Tom-Curran,-Daryl-Mitchell
hindi.cricketnmore.com

PSL 2025માં રમનાર બાંગ્લાદેશનો બીજો ખેલાડી નાહિદ રાણા હતો. તે પેશાવર ઝાલ્મી ટીમનો ભાગ હતો. રિશાદે કહ્યું કે, તેણે તેના સાથી દેશના ખેલાડીને પણ સાંત્વના આપી. તેણે કહ્યું, 'નાહિદ રાણા ખૂબ જ શાંત થઈને બેઠો હતો. કદાચ તે ટેન્શનમાં હતો. હું સમજી શકું છું. મેં તેને કહ્યું કે ચિંતા ના કર. મને આશા છે કે આપણને કંઈ ન થાય. આપણે સુરક્ષિત રીતે દુબઈ પહોંચીશું.'

પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે રિશાદે કહ્યું, 'અમે એક ભયાનક સંકટમાંથી પસાર થયા પછી દુબઈ પહોંચ્યા છીએ. અને હવે મને સારું લાગે છે. દુબઈમાં ઉતર્યા પછી, અમને ખબર પડી કે અમે નીકળી ગયાના 20 મિનિટ પછી જ એરપોર્ટ પર મિસાઈલ હુમલો થયો છે. આ સમાચાર ખૂબ જ ડરામણા હતા. દુબઈ પહોંચ્યા પછી, મને ઘણી રાહત થઈ રહી છે. પરિવારના સભ્યો ખૂબ ચિંતિત હતા. કારણ કે પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ અને મિસાઇલ હુમલા થઈ રહ્યા હતા.'

PSL-Player
hindi.news18.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી શરૂ થતાં જ PCBPSLની બાકીની મેચો દુબઈમાં યોજવાની માહિતી આપી હતી. બાકીની 8 મેચ UAEમાં રમાશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ 24 કલાકની અંદર PCBPSL રદ કરવાની જાહેરાત કરી. આ સમય દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમીરાત ક્રિકેટ બોર્ડે UAEમાં PSL મેચો ન યોજવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેઓ નથી ઇચ્છતા કે BCCI સાથેના તેમના સંબંધો બગડે. આ કારણોસર PSL મુલતવી રાખવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.