પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, આ પહેલા એક ખાસ સઘન સુધારા દ્વારા રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કુલ 58 લાખ નામો દૂર કરવામાં આવ્યા છે. આ 58 લાખ નામોમાંથી 24 લાખ મૃત તરીકે ચિહ્નિત થયા છે, 19 લાખ લોકોનું સ્થળાંતર થયું છે, 12 લાખ ગુમ થયા છે અને 3 લાખ ડુપ્લિકેટ છે.

West-Bengal-SIR2
ndtv.in

અહીં તમને બતાવી દઈએ કે, ત્રણ તબક્કાની SIR કવાયતનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રહેશે. બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. દૂર કરાયેલા નામોમાંથી, અન્ય કારણોસર 57,604 વધુ નામો દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

4 ડિસેમ્બરથી શરૂ થયેલી અને 11 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલી બંગાળ SIR પ્રક્રિયામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના ધસારો અને બૂથ-લેવલ ઓફિસરો (BLO)ના કડક સમયમર્યાદા અને કાર્યભારને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા. શાસક તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, SIR પ્રક્રિયા દરમિયાન લગભગ 40 ચૂંટણી અધિકારીઓના મોત થયા છે, જે દેશભરમાં યાદીમાંથી અયોગ્ય નામો દૂર કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે.

West-Bengal-SIR1
aajtak.in

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ પ્રક્રિયા પારદર્શિતા અને ન્યાયીતા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે. પંચે મતદારોને તેમની સ્થિતિ તપાસવા અને જો કોઈનું નામ ભૂલથી દૂર કરવામાં આવ્યું હોય, તો નિર્ધારિત સમયમર્યાદામાં વાંધો નોંધાવવા અપીલ કરી છે. આ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ પ્રદાન કરવામાં આવી છે.

 

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પણ SIR પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો હતો. તેમણે BJP અને ચૂંટણી પંચ પર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં છેડછાડ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની સરકાર કોઈને પણ બંગાળમાંથી લોકોને દૂર કરવાની મંજૂરી આપશે નહીં. જો તમારું નામ દૂર કરવામાં આવે છે, તો કેન્દ્ર સરકારનું નામ પણ દૂર કરવું જોઈએ. બંગાળ ઉપરાંત, SIR પ્રક્રિયા આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં હાથ ધરવામાં આવી રહી છે.

About The Author

Top News

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.