- National
- ભારત હિંદુ રાષ્ટ્ર જ છે, બનાવવાની વાત ક્યાંથી આવી?
ભારત હિંદુ રાષ્ટ્ર જ છે, બનાવવાની વાત ક્યાંથી આવી?
મેરઠના ભાજપ સાંસદ તેમજ રામાયણ ધારાવાહિકમાં ભગવાન રામના પાત્ર માટે જાણીતા અરુણ ગોવિલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “ભારત હિંદુ રાષ્ટ્ર જ છે, બનાવવાની વાત ક્યાંથી આવી?” તેમણે દલીલ કરી કે મુગલ આક્રમણ પહેલાં અહીં બીજો કોઈ ધર્મ પ્રચલિત નહોતો ભારતને ‘દેવભૂમિ’ અને ‘ભારત માતા’ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી હિંદુ રાષ્ટ્રની વાત પહેલેથી જ સ્થાપિત છે.
અહીં ફરી એક વાર ભારતની રાષ્ટ્રીય ઓળખના મૂળભૂત પ્રશ્નને ઉભો થાય છે. બંધારણની પ્રસ્તાવનામાં ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ ‘ધર્મનિરપેક્ષતા’ (Secularism) શબ્દ 1976માં 42મા સુધારા દ્વારા ઉમેરાયો હતો પરંતુ તેનો આધાર સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ રહ્યો છે જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સહિત તમામ સમુદાયોએ સાથે મળીને લડત આપી હતી.

એક તરફ જે લોકો માને છે કે ભારતની સાંસ્કૃતિક ધારા મુખ્યત્વે હિંદુ છે અને તેના પર આધારિત રાષ્ટ્રીય ઓળખ સ્વાભાવિક છે તો બીજી તરફ ઘણા લોકો માને છે કે ધર્મનિરપેક્ષ બંધારણ જ દેશની વિવિધતાને એકતામાં બાંધી રાખવાનું સૌથી મજબૂત સાધન છે. જો રાજ્ય કોઈ એક ધર્મને અધિકૃત રીતે પ્રાધાન્ય આપે તો લઘુમતી સમુદાયોમાં અસુરક્ષાની ભાવના વધી શકે છે જે રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક બની શકે.
અરુણ ગોવિલનું નિવેદન કદાચ ભાવનાત્મક અને સાંસ્કૃતિક સ્તરે સાચું લાગે પરંતુ કાયદાકીય અને બંધારણીય સ્તરે ભારત હજુ પણ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આ ચર્ચા ફક્ત નિવેદનોની નથી પરંતુ દેશના ભવિષ્યની દિશા અને સમાજની સમાનતાની છે. બન્નેવ મતના પક્ષોએ સંવાદ દ્વારા નહીં કે ધ્રુવીકરણ દ્વારા એક થઈને આ મુદ્દાનો ઉકેલ શોધવો જોઈશે જેથી દેશના દરેક નાગરિકને પોતાના દેશમાં સમાન ગૌરવ અને સુરક્ષા અનુભવાય.

