શું છે ચીનના સ્ટેપલ વીઝા જેને કારણે મચી છે બબાલ, ભારતે ખેલાડીઓને પાછા બોલાવ્યા

આજથી એટલે કે 28 જુલાઇથી સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સામેલ થવા માટે ચીન જઇ રહેલા ભારતીય ખેલાડીઓને ભારત સરકારે પાછા બોલાવી લીધા છે.ચીનની જિંગપિંગ સરકારે નોર્મલ વીઝાને બદલે ખેલાડીઓને સ્ટેપલ વીઝા ઇશ્યૂ કરી દેતા સરકારે આ કડક પગલું લીધું છે અને વુશુ ટીમના ખેલાડીઓને એરપોર્ટ પરથી જ પાછા બોલાવી લીધા છે.

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2023 દરમિયાન ચીનના ચેંગડુમાં યોજાઈ રહી છે. ભારતીય વુશુ ટીમના કેટલાક ખેલાડીઓએ 26 જુલાઈના રોજ મોડી રાત્રે ચીન જવા માટે અને અન્ય ત્રણ ખેલાડીઓને 27 જુલાઈની વહેલી સવારે ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાનું હતું. પરંતુ ચીની સત્તાવાળાઓએ અન્ય ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા  ઇશ્યૂ કર્યા. જેને કારણે ભારત સરકારે બધા ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવી લીધા હતા અને કહ્યુ હતું કે આ અમને સ્વીકાર્ય નથી.

બંને દેશો વચ્ચે વીઝા વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્વીકાર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવેમ્બરમાં બાલીમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા કરી હતી. ભારત સરકારે અત્યાર સુધી આ વાતચીત અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે નવેમ્બરમાં બંને નેતાઓ વચ્ચેની માત્ર સૌજન્ય મુલાકાત નહોતી.

અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા આપવાના ચીનના પગલા પર કડક વલણ અપનાવતા, ભારતે વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવ્યા.શું છે સ્ટેપલ વીઝા? જેના કારણે ભારતે વુશુ ટીમને પરત બોલાવી છે. તે ક્યારે અને શા માટે ઇશ્યૂ કરવામાં આવે છે?

કોઈપણ નાગરિકને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર હોય છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ વિદેશ જાય છે તો ઈમિગ્રેશન ઓફિસર તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે. આ સ્ટેમ્પ એટલા માટે લગાવવામાં આવે છે કે તે જાણી શકાય કે વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે.

પરંતુ જો તે જ વ્યક્તિને સામાન્ય વીઝાને બદલે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવ્યો હોય. તેથી તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવામાં નથી આવતો, તેના બદલે, વ્યક્તિના પાસપોર્ટ સાથે અન્ય કાગળ અલગથી સ્ટેપલ કરવામાં આવે છે. પેપરને અલગથી સ્ટેપલ કરવામાં આવે છે તેને સ્ટેપલ્ડ વીઝા કહેવામાં આવે છે.

જ્યારે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવે છે ત્યારે પાસપોર્ટને બદલે એક અલગ પેપર પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ પેપર પર વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે તેની વિગતો નોંધવામાં આવે છે. જ્યારે સ્ટેપલ વીઝા ધારક તેનું કામ પૂરું કરીને પાછો આવે છે ત્યારે તેના સ્ટેપલ વીઝા, પ્રવેશ અને બહાર નીકળવાની ટિકિટ ફાડી નાંખવામાં આવે છે. એટલે કે આ પ્રવાસનો કોઈ રેકોર્ડ તેના પાસપોર્ટ પર રજીસ્ટર થઈ શકશે નહીં. જ્યારે સામાન્ય વીઝા સાથે આવું થતું નથી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતના કેટલાક ખેલાડીઓને ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ગેમ્સ માટે સ્ટેપલ વીઝા આપવામાં આવ્યા હતા. આ અસ્વીકાર્ય છે. સ્ટેપલ્ડ વીઝાના મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. વીઝા આપવામાં જાતિ અથવા સ્થાનનો કોઈપણ પ્રકારનો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી. ભારત આવી કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે. અમે આ મુદ્દે ચીની સત્તાવાળાઓ સમક્ષ અમારો ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.