શું છે ચીનના સ્ટેપલ વીઝા જેને કારણે મચી છે બબાલ, ભારતે ખેલાડીઓને પાછા બોલાવ્યા

આજથી એટલે કે 28 જુલાઇથી સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સામેલ થવા માટે ચીન જઇ રહેલા ભારતીય ખેલાડીઓને ભારત સરકારે પાછા બોલાવી લીધા છે.ચીનની જિંગપિંગ સરકારે નોર્મલ વીઝાને બદલે ખેલાડીઓને સ્ટેપલ વીઝા ઇશ્યૂ કરી દેતા સરકારે આ કડક પગલું લીધું છે અને વુશુ ટીમના ખેલાડીઓને એરપોર્ટ પરથી જ પાછા બોલાવી લીધા છે.

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2023 દરમિયાન ચીનના ચેંગડુમાં યોજાઈ રહી છે. ભારતીય વુશુ ટીમના કેટલાક ખેલાડીઓએ 26 જુલાઈના રોજ મોડી રાત્રે ચીન જવા માટે અને અન્ય ત્રણ ખેલાડીઓને 27 જુલાઈની વહેલી સવારે ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાનું હતું. પરંતુ ચીની સત્તાવાળાઓએ અન્ય ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા  ઇશ્યૂ કર્યા. જેને કારણે ભારત સરકારે બધા ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવી લીધા હતા અને કહ્યુ હતું કે આ અમને સ્વીકાર્ય નથી.

બંને દેશો વચ્ચે વીઝા વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્વીકાર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવેમ્બરમાં બાલીમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા કરી હતી. ભારત સરકારે અત્યાર સુધી આ વાતચીત અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે નવેમ્બરમાં બંને નેતાઓ વચ્ચેની માત્ર સૌજન્ય મુલાકાત નહોતી.

અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા આપવાના ચીનના પગલા પર કડક વલણ અપનાવતા, ભારતે વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવ્યા.શું છે સ્ટેપલ વીઝા? જેના કારણે ભારતે વુશુ ટીમને પરત બોલાવી છે. તે ક્યારે અને શા માટે ઇશ્યૂ કરવામાં આવે છે?

કોઈપણ નાગરિકને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર હોય છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ વિદેશ જાય છે તો ઈમિગ્રેશન ઓફિસર તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે. આ સ્ટેમ્પ એટલા માટે લગાવવામાં આવે છે કે તે જાણી શકાય કે વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે.

પરંતુ જો તે જ વ્યક્તિને સામાન્ય વીઝાને બદલે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવ્યો હોય. તેથી તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવામાં નથી આવતો, તેના બદલે, વ્યક્તિના પાસપોર્ટ સાથે અન્ય કાગળ અલગથી સ્ટેપલ કરવામાં આવે છે. પેપરને અલગથી સ્ટેપલ કરવામાં આવે છે તેને સ્ટેપલ્ડ વીઝા કહેવામાં આવે છે.

જ્યારે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવે છે ત્યારે પાસપોર્ટને બદલે એક અલગ પેપર પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ પેપર પર વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે તેની વિગતો નોંધવામાં આવે છે. જ્યારે સ્ટેપલ વીઝા ધારક તેનું કામ પૂરું કરીને પાછો આવે છે ત્યારે તેના સ્ટેપલ વીઝા, પ્રવેશ અને બહાર નીકળવાની ટિકિટ ફાડી નાંખવામાં આવે છે. એટલે કે આ પ્રવાસનો કોઈ રેકોર્ડ તેના પાસપોર્ટ પર રજીસ્ટર થઈ શકશે નહીં. જ્યારે સામાન્ય વીઝા સાથે આવું થતું નથી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતના કેટલાક ખેલાડીઓને ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ગેમ્સ માટે સ્ટેપલ વીઝા આપવામાં આવ્યા હતા. આ અસ્વીકાર્ય છે. સ્ટેપલ્ડ વીઝાના મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. વીઝા આપવામાં જાતિ અથવા સ્થાનનો કોઈપણ પ્રકારનો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી. ભારત આવી કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે. અમે આ મુદ્દે ચીની સત્તાવાળાઓ સમક્ષ અમારો ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે.

About The Author

Top News

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.