શું છે ચીનના સ્ટેપલ વીઝા જેને કારણે મચી છે બબાલ, ભારતે ખેલાડીઓને પાછા બોલાવ્યા

આજથી એટલે કે 28 જુલાઇથી સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સામેલ થવા માટે ચીન જઇ રહેલા ભારતીય ખેલાડીઓને ભારત સરકારે પાછા બોલાવી લીધા છે.ચીનની જિંગપિંગ સરકારે નોર્મલ વીઝાને બદલે ખેલાડીઓને સ્ટેપલ વીઝા ઇશ્યૂ કરી દેતા સરકારે આ કડક પગલું લીધું છે અને વુશુ ટીમના ખેલાડીઓને એરપોર્ટ પરથી જ પાછા બોલાવી લીધા છે.

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2023 દરમિયાન ચીનના ચેંગડુમાં યોજાઈ રહી છે. ભારતીય વુશુ ટીમના કેટલાક ખેલાડીઓએ 26 જુલાઈના રોજ મોડી રાત્રે ચીન જવા માટે અને અન્ય ત્રણ ખેલાડીઓને 27 જુલાઈની વહેલી સવારે ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાનું હતું. પરંતુ ચીની સત્તાવાળાઓએ અન્ય ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા  ઇશ્યૂ કર્યા. જેને કારણે ભારત સરકારે બધા ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવી લીધા હતા અને કહ્યુ હતું કે આ અમને સ્વીકાર્ય નથી.

બંને દેશો વચ્ચે વીઝા વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્વીકાર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવેમ્બરમાં બાલીમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા કરી હતી. ભારત સરકારે અત્યાર સુધી આ વાતચીત અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે નવેમ્બરમાં બંને નેતાઓ વચ્ચેની માત્ર સૌજન્ય મુલાકાત નહોતી.

અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા આપવાના ચીનના પગલા પર કડક વલણ અપનાવતા, ભારતે વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવ્યા.શું છે સ્ટેપલ વીઝા? જેના કારણે ભારતે વુશુ ટીમને પરત બોલાવી છે. તે ક્યારે અને શા માટે ઇશ્યૂ કરવામાં આવે છે?

કોઈપણ નાગરિકને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર હોય છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ વિદેશ જાય છે તો ઈમિગ્રેશન ઓફિસર તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે. આ સ્ટેમ્પ એટલા માટે લગાવવામાં આવે છે કે તે જાણી શકાય કે વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે.

પરંતુ જો તે જ વ્યક્તિને સામાન્ય વીઝાને બદલે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવ્યો હોય. તેથી તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવામાં નથી આવતો, તેના બદલે, વ્યક્તિના પાસપોર્ટ સાથે અન્ય કાગળ અલગથી સ્ટેપલ કરવામાં આવે છે. પેપરને અલગથી સ્ટેપલ કરવામાં આવે છે તેને સ્ટેપલ્ડ વીઝા કહેવામાં આવે છે.

જ્યારે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવે છે ત્યારે પાસપોર્ટને બદલે એક અલગ પેપર પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ પેપર પર વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે તેની વિગતો નોંધવામાં આવે છે. જ્યારે સ્ટેપલ વીઝા ધારક તેનું કામ પૂરું કરીને પાછો આવે છે ત્યારે તેના સ્ટેપલ વીઝા, પ્રવેશ અને બહાર નીકળવાની ટિકિટ ફાડી નાંખવામાં આવે છે. એટલે કે આ પ્રવાસનો કોઈ રેકોર્ડ તેના પાસપોર્ટ પર રજીસ્ટર થઈ શકશે નહીં. જ્યારે સામાન્ય વીઝા સાથે આવું થતું નથી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતના કેટલાક ખેલાડીઓને ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ગેમ્સ માટે સ્ટેપલ વીઝા આપવામાં આવ્યા હતા. આ અસ્વીકાર્ય છે. સ્ટેપલ્ડ વીઝાના મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. વીઝા આપવામાં જાતિ અથવા સ્થાનનો કોઈપણ પ્રકારનો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી. ભારત આવી કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે. અમે આ મુદ્દે ચીની સત્તાવાળાઓ સમક્ષ અમારો ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.