જસ્ટિસ વર્માના ઘરે બળી ગયેલા કરોડો રૂપિયા અંગે નવા ખુલાસા, દીકરીની ભૂમિકા પર તપાસ કમિટીને શંકા કેમ છે?

આ વર્ષે માર્ચમાં જસ્ટિસ યશવંત વર્માના ઘરથી રોકડ જપ્ત થવાના મામલાની તપાસ કરી રહેલી 3 જજોની કમિટીએ ઘણી વાતો સ્પષ્ટ કરી છે. જજ સાહેબના અસામાન્ય વ્યવહાર અને પુત્રીના બદલાયેલા નિવેદનો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગૂ, હિમાચલ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનની બનેલી કમિટીએ જસ્ટિસ યશવંત વર્માની પુત્રી દિવ્યા વર્માના નિવેદન અને ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે.

justice-yashwant-varma3
theprint.in

કમિટીએ જસ્ટિસ વર્માના દાવાને ફગાવી દીધો કે તેમને ફસાવવા માટે આખો એપિસોડ સેટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, રોકડ વાસ્તવમાં જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી જ મળી આવી હતી અને તેમના 2 વફાદાર સ્ટાફ રાહુલ/હનુમાન પ્રસાદ શર્મા અને રાજિન્દર સિંહ કાર્કીએ સ્ટોર રૂમમાંથી બળી ગયેલી રોકડને હટાવી હતી. 15 માર્ચ, 2025ના રોજ ફાયર વિભાગની ટીમ અને દિલ્હી પોલીસના અધિકારીઓ પરિસર છોડી ગયા પછી આ બધું થયું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 10 પ્રત્યક્ષદર્શીઓએ બળી ગયેલી રોકડ જોઈ હતી. ઇલેક્ટ્રોનિક પુરાવા જેમ કે વીડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ્સથી પણ આ વાતની પુષ્ટિ થાય છે. ત્યારબાદ તપાસ કમિટીએ જસ્ટિસ વર્માની પુત્રીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, જસ્ટિસ યશવંત વર્માની પુત્રી દિવ્યા વર્માએ બાલિશ સ્પષ્ટિકરણ આપ્યું કે આ વીડિયો તેમના ઘર સિવાય કોઈ અન્ય જગ્યાનો, કોઈ અન્ય રૂમનો પણ હોય શકે છે. જસ્ટિસ વર્માની પુત્રીએ ઘટનાના વીડિયોમાં તેમના સ્ટાફ મેમ્બર રાજેન્દ્ર સિંહ કાર્કીનો અવાજ ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો, જ્યારે સ્ટાફે પોતે સ્વીકાર્યું છે કે, આ વીડિયોમાં તેમનો અવાજ છે. જાહેર છે કે દિવ્યા વર્મા કમિટી સામે તથ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી.

justice-yashwant-varma3
theprint.in

તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં કોઈ શંકા નથી કે દિવ્યા વર્માએ ફાયર સ્ટેશનને ફોન કરીને આગ લાગવાની જાણ કરી હતી. જો કે, બાદમાં તેણે ફાયર વિભાગને જાણ કરી હતી કે તેમણે આવવાની જરૂરિયાત નથી કારણ કે આગ બુઝાઈ ચૂકી છે. જસ્ટિસ વર્માની પુત્રીએ 7 એપ્રિલ 2025ના રોજ નિવેદન આપ્યું હતું કે તેમને સ્ટોર રૂમમાં અડધી સળગી ગયેલી રોકડની જાણકારી 15 માર્ચ 2025ના રોજ મળી, જ્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના PPSએ સ્ટોર રૂમનું નિરીક્ષણ કર્યું. જોકે, બાદમાં તેમણે તેને ગભરાટમાં આપેલું નિવેદન ગણાવતા તેને પરત લેવાની મંજૂરી માગી, પરંતુ કમિટીએ તેની મંજૂરી ન આપી.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.