દિલ્હીમાં આંતરરાજ્ય ફોરેક્સ ટ્રેડિંગ છેતરપિંડી, નકલી કંપનીઓ, બીજા લોકોના ખાતાઓ અને બેન્ક મેનેજરો સાથે મિલીભગત: સિન્ડિકેટનો પર્દાફાશ

દિલ્હી પોલીસે દુબઈ સ્થિત સાયબર ગુનેગારો દ્વારા સંચાલિત આંતરરાજ્ય ફોરેક્સ ટ્રેડિંગ છેતરપિંડી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉચ્ચ વિદેશી હૂંડિયામણ નફાના વચન આપીને લલચાવતી હતી. તેઓ તેમને ડિજિટલની માયાજાળમાં ફસાવતા હતા જ્યાં નકલી ડેશબોર્ડ, હેરફેર કરેલા રિટર્ન અને ખોટા નફાના સ્ટેટમેન્ટ બતાવીને તેમના પૈસા લૂંટી લેવામાં આવતા હતા. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક ખૂબ જ ટેકનિકલ અને સંગઠિત હતું. આરોપીઓએ નકલી કંપનીઓની એક લાંબી સાંકળ બનાવી હતી અને પીડિતો પાસેથી મેળવેલા પૈસા બીજાના ખાતાઓમાં નાખીને તેને મેન્ટેન કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કંપનીઓના તમામ બેંકિંગ સાધનો, ATM કાર્ડ, ચેકબુક, ખાતાઓ સાથે જોડાયેલા સિમ કાર્ડ અને નેટ-બેંકિંગ ઓળખપત્રો, સીધા દુબઈથી નિયંત્રિત થતા હતા. અબ્દુલ ઉર્ફે વિકી, આ કામગીરીનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે.

Forex Scam
business-standard.com

ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓનું પહેલું નામ અનુરાગ કુમાર છે. તેણે મોટા પાયે બીજા લોકોના નામે ખાતાઓ ખોલ્યા હતા. તે આ ખાતાઓ માત્ર રૂ. 200000માં દુબઈ કનેક્શન ધરાવતા નેટવર્કને સોંપી દેતો હતો. દરેક ખાતા આ ગેંગની મની લોન્ડરિંગ મશીનરીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા. બીજો આરોપી ઝીશાન સૈયદ છે, જે એક ખાનગી બેંકમાં સેલ્સ મેનેજર છે. ઝીશાનની ભૂમિકા વધુ ખતરનાક માનવામાં આવે છે.

ઝીશાને પોતાના પદનો દુરુપયોગ કરીને રૂ. 70000માં કોર્પોરેટ ખાતાઓની ઍક્સેસ આપી. આનાથી નકલી કંપનીઓનું નાણાકીય માળખું મજબૂત બન્યું, જેના કારણે છેતરપિંડી કોઈ પણ શંકા વગર આગળ થતી રહી હતી. ત્રીજો આરોપી હિમાંશુ ગુપ્તા છે, જે અગાઉ અનેક છેતરપિંડીના કેસોમાં સામેલ રહ્યો છે. આ કેસમાં, હિમાંશુએ મુખ્ય સંયોજક તરીકે કામ કર્યું હતું, નીચલા સ્તરના કાર્યકરોને દુબઈ સ્થિત હેન્ડલર્સ સાથે જોડી દીધા હતા.

Forex Scam
x.com

આ ગેંગે ફક્ત એક પીડિત સાથે લગભગ રૂ. 40 લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે, પરંતુ પોલીસ માને છે કે, આ કૌભાંડનો વ્યાપ ઘણો મોટો છે, અને ઘણા લોકો તેનો ભોગ બન્યા હોઈ શકે છે. સમગ્ર કેસમાં રીબૂટ સિંક પ્રોફેશનલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને થિંકસિંક પ્રોફેશનલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો ઉપયોગ પ્રાથમિકી તરીકે કરવામાં આવ્યો હતો. પૈસા તેમના ખાતાઓ દ્વારા સ્તરીય રીતે મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી અને ફરીદાબાદમાં હાથ ધરાયેલા અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે, ભારતમાંથી દુબઈમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા, કેટલી બેંકિંગ ચેનલો સામેલ હતી અને આ નેટવર્કના અન્ય સભ્યો ક્યાં છુપાયેલા છે. આ કેસ માત્ર ફોરેક્સ કૌભાંડ નથી, પરંતુ એક નવા યુગનું પ્રતીક છે, જ્યાં સાયબર ક્રાઇમ આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી ચકયું છે.

About The Author

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.