દિલ્હીમાં આંતરરાજ્ય ફોરેક્સ ટ્રેડિંગ છેતરપિંડી, નકલી કંપનીઓ, બીજા લોકોના ખાતાઓ અને બેન્ક મેનેજરો સાથે મિલીભગત: સિન્ડિકેટનો પર્દાફાશ

દિલ્હી પોલીસે દુબઈ સ્થિત સાયબર ગુનેગારો દ્વારા સંચાલિત આંતરરાજ્ય ફોરેક્સ ટ્રેડિંગ છેતરપિંડી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉચ્ચ વિદેશી હૂંડિયામણ નફાના વચન આપીને લલચાવતી હતી. તેઓ તેમને ડિજિટલની માયાજાળમાં ફસાવતા હતા જ્યાં નકલી ડેશબોર્ડ, હેરફેર કરેલા રિટર્ન અને ખોટા નફાના સ્ટેટમેન્ટ બતાવીને તેમના પૈસા લૂંટી લેવામાં આવતા હતા. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક ખૂબ જ ટેકનિકલ અને સંગઠિત હતું. આરોપીઓએ નકલી કંપનીઓની એક લાંબી સાંકળ બનાવી હતી અને પીડિતો પાસેથી મેળવેલા પૈસા બીજાના ખાતાઓમાં નાખીને તેને મેન્ટેન કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કંપનીઓના તમામ બેંકિંગ સાધનો, ATM કાર્ડ, ચેકબુક, ખાતાઓ સાથે જોડાયેલા સિમ કાર્ડ અને નેટ-બેંકિંગ ઓળખપત્રો, સીધા દુબઈથી નિયંત્રિત થતા હતા. અબ્દુલ ઉર્ફે વિકી, આ કામગીરીનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે.

Forex Scam
business-standard.com

ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓનું પહેલું નામ અનુરાગ કુમાર છે. તેણે મોટા પાયે બીજા લોકોના નામે ખાતાઓ ખોલ્યા હતા. તે આ ખાતાઓ માત્ર રૂ. 200000માં દુબઈ કનેક્શન ધરાવતા નેટવર્કને સોંપી દેતો હતો. દરેક ખાતા આ ગેંગની મની લોન્ડરિંગ મશીનરીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા. બીજો આરોપી ઝીશાન સૈયદ છે, જે એક ખાનગી બેંકમાં સેલ્સ મેનેજર છે. ઝીશાનની ભૂમિકા વધુ ખતરનાક માનવામાં આવે છે.

ઝીશાને પોતાના પદનો દુરુપયોગ કરીને રૂ. 70000માં કોર્પોરેટ ખાતાઓની ઍક્સેસ આપી. આનાથી નકલી કંપનીઓનું નાણાકીય માળખું મજબૂત બન્યું, જેના કારણે છેતરપિંડી કોઈ પણ શંકા વગર આગળ થતી રહી હતી. ત્રીજો આરોપી હિમાંશુ ગુપ્તા છે, જે અગાઉ અનેક છેતરપિંડીના કેસોમાં સામેલ રહ્યો છે. આ કેસમાં, હિમાંશુએ મુખ્ય સંયોજક તરીકે કામ કર્યું હતું, નીચલા સ્તરના કાર્યકરોને દુબઈ સ્થિત હેન્ડલર્સ સાથે જોડી દીધા હતા.

Forex Scam
x.com

આ ગેંગે ફક્ત એક પીડિત સાથે લગભગ રૂ. 40 લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે, પરંતુ પોલીસ માને છે કે, આ કૌભાંડનો વ્યાપ ઘણો મોટો છે, અને ઘણા લોકો તેનો ભોગ બન્યા હોઈ શકે છે. સમગ્ર કેસમાં રીબૂટ સિંક પ્રોફેશનલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને થિંકસિંક પ્રોફેશનલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો ઉપયોગ પ્રાથમિકી તરીકે કરવામાં આવ્યો હતો. પૈસા તેમના ખાતાઓ દ્વારા સ્તરીય રીતે મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી અને ફરીદાબાદમાં હાથ ધરાયેલા અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે, ભારતમાંથી દુબઈમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા, કેટલી બેંકિંગ ચેનલો સામેલ હતી અને આ નેટવર્કના અન્ય સભ્યો ક્યાં છુપાયેલા છે. આ કેસ માત્ર ફોરેક્સ કૌભાંડ નથી, પરંતુ એક નવા યુગનું પ્રતીક છે, જ્યાં સાયબર ક્રાઇમ આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી ચકયું છે.

About The Author

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.