મહેંદી, હલ્દી પછી જયમાલા... MBA પાસ છોકરીએ 'ભગવાન શંકર' સાથે લગ્ન કર્યા!

મધ્યપ્રદેશના દતિયામાં એક છોકરીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. MBA પાસ યુવતીના લગ્ન બ્રહ્માકુમારી આશ્રમમાં થયા. નિકિતા નામની છોકરીના લગ્ન કોઈ મનુષ્ય સાથે નહિ પરંતુ ભગવાન શંકર સાથે થયા હતા. બ્રહ્માકુમારી આશ્રમમાં લગ્નની વિધિઓ બાદ લગ્નની વાડીમાં રાત્રે વરમાળા પહેરાવવાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જોરદાર નાચવાનો અને ગાવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં, MBA પાસ નિકિતા ચૌરસિયાએ દુલ્હનના વેશમાં સજ્જ થઈને કોઈ મનુષ્ય સાથે નહીં પરંતુ  ભગવાન શંકર સાથે લગ્ન કર્યા છે. બ્રહ્માકુમારી આશ્રમમાં હળદર-મહેંદીની વિધિ થઈ હતી. મંગળ ગીતો ગાવામાં આવ્યા હતા. લગ્નની તમામ વિધિઓ બાદ નિકિતાએ લગ્નની વાડીમાં ભગવાન શંકરને વારમાળા પહેરાવી, અને સાત ફેરા લઈને ભગવાન શંકરને પોતાના પતિ માની લીધા હતા.

નિકિતા કહે છે કે, આજ કાલ દુનિયાનો દરેક મનુષ્ય દુઃખી છે, એટલા માટે અમે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને ભગવાન શિવને પોતાના પતિ માનીને હું મારું જીવન તેમના માટે અર્પિત કરી રહી છું. નિકિતાએ કહ્યું કે, જ્યારે અમે ભગવાન શિવ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અમારા પરિવાર અને મિત્રોએ પણ અમારા આ નિર્ણયને યોગ્ય ઠેરવીને અમને ટેકો આપ્યો હતો.

નિકિતાના સંબંધીઓનું કહેવું છે કે, આપણે હંમેશા ભગવાનની પૂજા આરતી કરીએ છીએ, પરંતુ એ વ્યક્તિ કે જે હંમેશને માટે ભગવાનના થઇ જાય છે, તે કંઈ અનોખા જ હોય છે, નિકિતા તેમાંની એક છે કે જેણે આવી હિમ્મત કરી છે. નિકિતાના ભગવાન શંકર સાથે લગ્ન કરવા પર સમાજના લોકોની પ્રતિક્રિયા યોગ્ય નથી, પરંતુ જે લોકો સારા કામ કરે છે તેમનો હંમેશા વિરોધ થતો રહ્યો છે. પરંતુ અમે નિકિતાના આ સાહસી પગલાંની સરાહના કરીએ છીએ. નિકિતાના લગ્ન કરાવનાર બ્રહ્માકુમારી આશ્રમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ભગવાન સાથે એક થવાનો એક રસ્તો છે, અમને આનાથી ખૂબ જ ખુશી થઇ રહી છે.

સાંસારિક જીવનનો ત્યાગ કરવો એ બહુ અઘરું કામ છે અને પરંપરાના પ્રવાહની વિરુદ્ધ જઈને અને સમાજની પરવા ન કરીને મીરાબાઈની જેમ ભગવાનને પોતાના પતિ તરીકે સ્વીકારવા એ પણ સૌથી વધુ અઘરું છે, પરંતુ નિકિતાએ MBAનું શિક્ષણ મેળવ્યા પછી પણ આ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે.

Top News

મુંબઇની જે કોલેજમાં ભણ્યા ત્યાં મુકેશ અંબાણીએ આપી દીધું 152 કરોડનું દાન

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઇની જે કોલેજમાં ભણ્યા હતા ત્યાં 152 કરોડનું દાન કર્યું છે....
Education 
મુંબઇની જે કોલેજમાં ભણ્યા ત્યાં મુકેશ અંબાણીએ આપી દીધું 152 કરોડનું દાન

4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં,...
National 
4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું...
Politics 
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ

દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ કારણે અહીંના લોકોનું જીવન...
World 
ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.