‘ફરવા લઈ જઈ રહ્યો છું’, કહી દોઢ વર્ષની દીકરીને લઈ ગયો પિતા અને નદીમાં ફેંકી દીધી કારણ કે...

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સંબંધોને શરમમાં નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. પુત્રની ચાહતમાં એક પિતાએ તેની દોઢ વર્ષની દીકરીને નદીમાં ફેંકી દીધી. આ ઘટના જૌનપુરના કેરાકટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પોલીસે પિતાની અટકાયત કરી છે અને છોકરીને શોધવા માટે તરવૈયાઓને લગાવ્યા છે. માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવી વાત પણ સામે આવી છે કે લગભગ 10 મહિના અગાઉ મુંબઈમાં રહેતા પિતાએ તેની દીકરીને ગાદલાથી ગૂંગળાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

કેરાકટ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરગસેનપુર ગામના રહેવાસી અશોક વિશ્વકર્મા 3 દીકરીઓનો પિતા છે. બુધવારે સવારે અશોક પોતાની દોઢ વર્ષની દીકરી રૂતબી સાથે સાયકલ પર ઘરેથી નીકળ્યો હતો. તેણે પોતાની પત્ની સંજૂને કહ્યું કે તે રૂતબીને ફરવા લઈ જઈ રહ્યો છે. જોકે, અશોકે તેની દીકરીને તેમના ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર પંપ કેનાલ પાસે જઈને ગોમતી નદીમાં ફેંકી દીધી.

girl1
amarujala.com

નદીના બીજા કિનારે બેઠેલા કેટલાક નાવ ચાલકોએ આ ઘટના પોતાની આંખોથી જોઈ લીધી. તેમણે બૂમ પાડતા દીકરીને બચાવવા માટે નદીમાં છલાંગ પણ લગાવી, પરંતુ અંતર વધુ હોવા અને તેજ વહેણને કારણે છોકરીને ન બચાવી શક્યા. થોડા સમયમાં જ ઘટનાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તેમણે આરોપી પિતા અશોકની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. ત્યારબાદ CO અજીત રજક અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને શોધખોળનું નિરીક્ષણ કર્યું.

અશોકની પત્ની સંજુએ પોલીસને જણાવ્યું કે, ત્રીજી દીકરીનો જન્મ થવાથી અશોક વારંવાર ઝઘડો કરતો હતો. તે એક પુત્ર ઇચ્છતો હતો, પરંતુ તે ન પેદા થતા નારાજ હતો. અશોક મુંબઈમાં મજૂરી કામ કરે છે, જ્યારે તેની પત્ની અને 3 પુત્રીઓ ગામમાં રહે છે. મોટી પુત્રી આકાંક્ષા 18 વર્ષની છે અને બીજી પુત્રી સૃષ્ટિ 13 વર્ષની છે. સંજૂએ જણાવ્યું કે લગભગ 10 મહિના અગાઉ અશોકે મુંબઈમાં રજાઈથી તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

family1
amarujala.com

પોલીસે સંજુની ફરિયાદના આધારે કેસ નોંધીને અશોકની ધરપકડ કરી છે. તો 24 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ પુત્રીનો મૃતદેહ નદીમાંથી મળ્યો નથી. પુત્રીને શોધવા માટે તરવૈયાઓની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.