‘ફરવા લઈ જઈ રહ્યો છું’, કહી દોઢ વર્ષની દીકરીને લઈ ગયો પિતા અને નદીમાં ફેંકી દીધી કારણ કે...

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સંબંધોને શરમમાં નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. પુત્રની ચાહતમાં એક પિતાએ તેની દોઢ વર્ષની દીકરીને નદીમાં ફેંકી દીધી. આ ઘટના જૌનપુરના કેરાકટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પોલીસે પિતાની અટકાયત કરી છે અને છોકરીને શોધવા માટે તરવૈયાઓને લગાવ્યા છે. માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવી વાત પણ સામે આવી છે કે લગભગ 10 મહિના અગાઉ મુંબઈમાં રહેતા પિતાએ તેની દીકરીને ગાદલાથી ગૂંગળાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

કેરાકટ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરગસેનપુર ગામના રહેવાસી અશોક વિશ્વકર્મા 3 દીકરીઓનો પિતા છે. બુધવારે સવારે અશોક પોતાની દોઢ વર્ષની દીકરી રૂતબી સાથે સાયકલ પર ઘરેથી નીકળ્યો હતો. તેણે પોતાની પત્ની સંજૂને કહ્યું કે તે રૂતબીને ફરવા લઈ જઈ રહ્યો છે. જોકે, અશોકે તેની દીકરીને તેમના ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર પંપ કેનાલ પાસે જઈને ગોમતી નદીમાં ફેંકી દીધી.

girl1
amarujala.com

નદીના બીજા કિનારે બેઠેલા કેટલાક નાવ ચાલકોએ આ ઘટના પોતાની આંખોથી જોઈ લીધી. તેમણે બૂમ પાડતા દીકરીને બચાવવા માટે નદીમાં છલાંગ પણ લગાવી, પરંતુ અંતર વધુ હોવા અને તેજ વહેણને કારણે છોકરીને ન બચાવી શક્યા. થોડા સમયમાં જ ઘટનાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તેમણે આરોપી પિતા અશોકની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. ત્યારબાદ CO અજીત રજક અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને શોધખોળનું નિરીક્ષણ કર્યું.

અશોકની પત્ની સંજુએ પોલીસને જણાવ્યું કે, ત્રીજી દીકરીનો જન્મ થવાથી અશોક વારંવાર ઝઘડો કરતો હતો. તે એક પુત્ર ઇચ્છતો હતો, પરંતુ તે ન પેદા થતા નારાજ હતો. અશોક મુંબઈમાં મજૂરી કામ કરે છે, જ્યારે તેની પત્ની અને 3 પુત્રીઓ ગામમાં રહે છે. મોટી પુત્રી આકાંક્ષા 18 વર્ષની છે અને બીજી પુત્રી સૃષ્ટિ 13 વર્ષની છે. સંજૂએ જણાવ્યું કે લગભગ 10 મહિના અગાઉ અશોકે મુંબઈમાં રજાઈથી તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

family1
amarujala.com

પોલીસે સંજુની ફરિયાદના આધારે કેસ નોંધીને અશોકની ધરપકડ કરી છે. તો 24 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ પુત્રીનો મૃતદેહ નદીમાંથી મળ્યો નથી. પુત્રીને શોધવા માટે તરવૈયાઓની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.