વરમાળા પહેરવાના સમયે દારૂ પીધેલા વરરાજાને જોઈને કન્યાએ એવું કર્યું કે... તેને જીવનભર યાદ રહેશે!

બાંદા જિલ્લાના પૈલાની તહસીલના ગૌરી કલા ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે દારૂના નશામાં ધૂત વરરાજાએ વરમાળા પહેરાવવાના સમારંભ દરમિયાન હોબાળો મચાવ્યો હતો. આ જોઈને, કન્યાએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. તે વરમાળા પહેર્યા વિના જ લગ્ન સ્થળથી પાછી ફરી હતી. કન્યાને હાથમાં વરમાળા સાથે આવતી જોઈને જાનૈયાઓ અને ઘરના પરિવારના સભ્યો ગભરાઈ ગયા.

વારંવાર વિનંતી કરવા છતાં, કન્યાએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેણે જાહેર કર્યું કે તે એક ગરીબ માણસ સાથે લગ્ન કરી લેશે, પરંતુ દારૂડિયા સાથે નહીં. છેવટે, જાનૈયાઓને કન્યાને લીધા વગર અને લગ્ન કર્યા વિના ઘરે પાછા ફરવું પડ્યું. જસપુરા પોલીસ સ્ટેશનની હાજરીમાં, બંને પક્ષોએ એકબીજાને પોતાનો સામાન પરત કર્યો.

06

અહીં તમને બતાવી દઈએ કે, જસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌરી કલા ગામમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. મધ્યપ્રદેશના છિંદવાડાના છિંદા ગામની રહેવાસી 25 વર્ષીય સંજુ વર્માના લગ્ન ગૌરી કલા ગામમાં તેની માસીના ઘરેથી થઈ રહ્યા હતા. લગ્ન 4 ડિસેમ્બરે નક્કી થયા હતા. સંજુ ફતેહપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશન હેઠળના આઝમપુરના રહેવાસી મોતીલાલના પુત્ર શ્યામુ સાથે લગ્ન કરી રહી હતી. 4 ડિસેમ્બરે લગ્નની જાન ખૂબ જ ધામધૂમથી ગૌરી કલા ગામમાં પહોંચી હતી.

લગ્નમાં તમામ શુભ વિધિઓ ચાલી રહી હતી, પરંતુ એવું કહેવામાં આવે છે કે, લગ્નમાં મોટાભાગના મહેમાનો નશામાં હતા, અને વરરાજા, જે લગ્ન કરવા આવ્યો હતો, તે પણ નશામાં હતો. જ્યારે વરમાળા પહેરાવવાનો સમારોહ આવ્યો, ત્યારે છોકરી, તેની સહેલીઓ સાથે, વરરાજાને વરમાળા પહેરાવવા માટે પહોંચી હતી ત્યારે તેણે દારૂ પીધેલા જાનૈયાઓને ધમાલ મસ્તી કરતા જોયા. સ્ટેજ પર ચઢતાની સાથે જ દુલ્હને શ્યામુ કે જે લગ્ન કરવા આવ્યો હતો તેને પણ નશામાં જોયો. કન્યા સંજુની ધીરજ તૂટી ગઈ અને તે વરરાજાને વરમાળા પહેરાવ્યા વિના જ પાછી ફરી.

તેણે દારૂ પીધેલા વરરાજા શ્યામુ સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. વરમાળા પહેરાવ્યા વગર દુલ્હન પાછી આવતા સમારોહમાં હોબાળો મચી ગયો. જાનૈયા પક્ષ અને કન્યાના પરિવાર બંને ચોંકી ગયા. ઘણી સમજાવટ છતાં, કન્યાએ સ્પષ્ટપણે ના પાડી દીધી, અને કહ્યું કે તે ગરીબ પુરુષ સાથે લગ્ન કરશે પણ ડ્રગ્સનો બંધાણી કે દારૂડિયા સાથે નહીં.

અંતે, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. બંને પક્ષો જસપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે છોકરીને પૂછ્યું કે શું તે લગ્ન કરવા માંગે છે, પરંતુ છોકરીએ સ્પષ્ટપણે ના પાડી દીધી, કહ્યું કે તે લગ્ન નહીં કરે. આ પછી, પોલીસ મધ્યસ્થી દ્વારા, વરરાજા અને કન્યાના પક્ષોએ એકબીજાનો સામાન પરત કર્યો, અને લગ્ન પક્ષ કન્યાને લીધા વગર જ પાછો ફર્યો.

UP કહે છે કે કોઈ પણ છોકરીએ જાહેર શરમના ડરના કારણે એવો નિર્ણય ન લેવો જોઈએ કે જેથી કરીને તેનું જીવન બરબાદ થઇ જાય, અને તેણે ડ્રગ્સનો બંધાણી કે દારૂડિયા સાથે લગ્ન ન કરવા જોઈએ.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.