જૈન મૂનિનું અપહરણ અને હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દેવાયા, 2 પકડાયા

કર્ણાટકમાં એક જૈન મૂનિના અપહરણ અને હત્યાના સમાચારે જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. બુધવારથી જૈન મૂનિ ગાયબ હતા અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે બે શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી છે અને તેમણે જૈન મૂનિની હત્યાની કબુલાત કરી લીધી છે, પરંતુ પોલીસને હજુ સુધી જૈન મૂનિની લાશ મળી નથી. આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે.

કર્ણાટકના બેલગાવી જિલ્લામાં મૂનિ કામકુમાર નંદી મહારાજની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મૂનિ બુધવારથી ગાયબ હતા અને ગુરુવારે ભક્તોએ પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બેલગાવી જિલ્લાના ચિક્કોડી વિસ્તારની આ ઘટના છે. ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી અને એકની પુછપરછ કરી તો તેણે કામકુમાર નંદીની હત્યાની કબુલાત કરી લીધી હતી. આરોપીએ કહ્યું કે, જૈન મૂનિનું અપહરણ કરીને તેમની લાશ ફેંકી દેવામાં આવી છે અને અન્ય એક વ્યકિત પણ હત્યામાં સામેલ છે. પોલીસે બંને વ્યકિતની ધરપકડ કરી છે.

મીડિયાન અહેવાલો મુજબ, બેલગાવી જિલ્લામાં આવેલા ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં નંદીપર્વત આશ્રમમાં આચાર્ય કામકુમાર નંદી મહારાજ છેલ્લાં 15વર્ષથી રહેતા હતા. ગુરુવારે આચાર્ય કામકુમાર નંદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગારેએ પોલીસમાં આચાર્યના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આચાર્ય નંદીની લાશ શોધી રહી છે.

પોલીસે કહ્યું કે, આરોપીઓ જૈન મૂનિની હત્યા ક્યાં કરી અને શબને ક્યાં ફેંક્યું? એ વિશે સ્પષ્ટ માહિતી આપી નથી રહ્યા. એક વાત એ સામે આવી રહી છે કે આરોપીઓઅ જૈન મૂનિનું શબ કટકાબાવી ગામની પાસે ટુકડા કરીને ફેંકી દીધું છે. બીજી તરફ એવી વાત સામે આવે છે કે શબને કપડામાં લપેટીને નદીમાં વહાવી દેવામાં આવ્યું છે. મળેલા ઇનપૂટના આધારે પોલીસે મધરાતે કટકાબાવી ગામમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જૈન મૂનિ કામકુમાર નંદીના મૃતદેહને શોધવાની કવાયત શનિવારે પણ ચાલું રહી છે, પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી.પોલીસે કહ્યું કે, આરોપીઓએ જૈન મૂનિનું આશ્રમમાંથી અપહરણ કર્યું હતું અને હત્યા કરી હતી એ વાત કબુલી લીધી છે. પોલીસ ગામમાં  મોટા પાયે કાફલો ગોઠવી દીધો છે.

જૈન મૂનિની હત્યાને કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે એ વાતને ધ્યાનમાં રાખીને પોલીસે મોટા પાયે બંદોબસ્ત ગોઠવ્યો છે. જૈન મૂનિની હત્યા શું કામ કરવામાં આવી તે વિશે પણ હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.