દારૂ નીતિ એક બહાનું છે, અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનું છેઃ CM કેજરીવાલ

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પીએમ આ સમયે ઈન્દિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી હજારો લોકો સાથે વાત થઈ, જનતામાં ભારે રોષ છે. જનતા કહી રહી છે કે ભાજપના લોકો શું કરી રહ્યા છે. તેઓ જેને ઈચ્છે છે, તેમને જેલમાં ધકેલી દે છે. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે, જ્યારથી તેઓ પંજાબ જીતી ગયા છે, તેઓ તેને સહન કરી શકતા નથી, આમ આદમી પાર્ટી તોફાન છે. આ હવે અટકવાનું નથી, આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે. અમે ડોર ટુ ડોર અભિયાન ચલાવીશું. એક સમયે ઈન્દિરાએ અતિ કરી હતી, હવે વડાપ્રધાન કરી રહ્યા છે. ઉપરવાળો પોતાનું ઝાડું ચલાવશે.

ભાજપ અને કેન્દ્ર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દારૂની નીતિ એક બહાનું છે, તેમનો અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનો છે. તેમણે કહ્યું કે જો મનીષ સિસોદિયા આજે ભાજપમાં જોડાય જાય તો આવતીકાલે તેમને મુક્ત કરી દેવામાં આવશે. કેજરીવાલે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને મહાન દેશભક્ત ગણાવ્યા.

કેજરીવાલે એ વાત પર પણ ભાર મૂક્યો કે મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કહે છે કે દેશને આ બે મંત્રીઓ પર ગર્વ છે. આ બંને મંત્રીઓએ દેશનું નામ રોશન કર્યું છે. સત્યેન્દ્ર જૈને વિશ્વને સ્વાસ્થ્યનું નવું મોડેલ આપ્યું. મનીષ સિસોદિયાએ સરકારી શાળાઓનો કાયાકલ્પ કરીને સૌને ચોંકાવી દીધા. સમગ્ર વિશ્વને શિક્ષણનું મોડેલ આપ્યું, જેણે નામના અપાવી, વડાપ્રધાને બંનેને જેલમાં ધકેલી દીધા. દારૂ પોલિસી માત્ર એક બહાનું છે, બધું જ નકલી છે. પીએમ ઈચ્છે છે કે સારું કામ રોકવામાં આવે, અમે જે કામ કરી રહ્યા છીએ તે તેઓ કરી શકતા નથી. જ્યાં તેમની સરકાર છે ત્યાં તેઓ એક પણ શાળા સુધારી શક્યા નથી. હોસ્પિટલ ઠીક કરી નથી, તેથી જ તેઓ કેજરીવાલને રોકવાનું કામ કરી રહ્યા છે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.