- National
- મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા
By Khabarchhe
On

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા 17 માર્ચ, સોમવારે સવારે 11 વાગ્યે સિટી પેલેસથી નિકળશે. એ પહેલાં તેમનો પાર્થિવદેવ સવારે 7 વાગ્યે લોકો માટે ખુલ્લો મુકાશે. મેવાડ તેમની પાછળ 50,000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. તેમને 2 દીકરી અને 1 દીકરો છે.
અરવિંદ સિંહ મેવાડે 80 વર્ષની વયે ઉદયપુરના સિટી પેલેસમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ શંભુ નિવાસમા રહેતા હતા અને લાંબા સમયથી બિમાર હતા.
અરવિંદ સિંહ મેવાડનું ઉદયપુરના ડેવલપમેન્ટમાં મોટું યોગદાન હતું, ખાસ કરીને ટુરીઝમ ક્ષેત્રમાં.ડેસ્ટીનેશન વેડીંગ શરૂ કરાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. અરવિંદ સિંહ રાજસ્થાનમાં શ્રીજી હુજુર તરીકે જાણીતા હતા.
Related Posts
Top News
Published On
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Published On
By Nilesh Parmar
સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Published On
By Nilesh Parmar
દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.